AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Relief : હવે મળશે ટેક્સથી રાહત ! આ દેશે તો આવકવેરો જ સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો, રાષ્ટ્રપતિએ વચન નિભાવ્યું

સરકાર ઘણીવાર તેમના નાગરિકોને ઇન્કમ ટેક્સમાં છૂટ આપે છે પરંતુ એક દેશ એવો છે કે, જેણે આવકવેરાને જ સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો છે. ટેક્સ નાબૂદ કરીને રાષ્ટ્રપતિએ ચૂંટણી વચન પૂર્ણ કર્યું છે.

| Updated on: Nov 19, 2025 | 5:47 PM
Share
સરકાર ઘણીવાર ઇન્કમ ટેક્સમાં છૂટ આપે છે. જો કે, એક દેશ એવો છે કે, જેણે સંપૂર્ણપણે 'ઇન્કમ ટેક્સ' નાબૂદ કરી દીધો છે. ખાસ વાત એ છે કે, આ કાયદા હેઠળ ઓછામાં ઓછા બે બાળકો ધરાવતા પરિવારોએ કોઈ 'પર્સનલ ઇન્કમ' પર ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ પગલાનો હેતુ પરિવારોને ટેકો આપવા, તેમની આવક વધારવા અને અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.

સરકાર ઘણીવાર ઇન્કમ ટેક્સમાં છૂટ આપે છે. જો કે, એક દેશ એવો છે કે, જેણે સંપૂર્ણપણે 'ઇન્કમ ટેક્સ' નાબૂદ કરી દીધો છે. ખાસ વાત એ છે કે, આ કાયદા હેઠળ ઓછામાં ઓછા બે બાળકો ધરાવતા પરિવારોએ કોઈ 'પર્સનલ ઇન્કમ' પર ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ પગલાનો હેતુ પરિવારોને ટેકો આપવા, તેમની આવક વધારવા અને અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.

1 / 6
પોલેન્ડના રાષ્ટ્રપતિ કરોલ નોરોકીએ ઇન્કમ ટેક્સમાં એક નવા કાયદાને મંજૂરી આપી છે. આ બિલ ઓગસ્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. તે મુજબ, વાર્ષિક 1,40,000 ઝ્લોટી (આશરે ₹33.82 લાખ) સુધીની કમાણી કરતા પરિવારોને હવે આવકવેરો ચૂકવવાની જરૂર રહેશે નહીં. આ કાયદો એવા તમામ માતા-પિતાને લાગુ પડે છે, જેમની પાસે બાળકોની કાનૂની જવાબદારી છે.

પોલેન્ડના રાષ્ટ્રપતિ કરોલ નોરોકીએ ઇન્કમ ટેક્સમાં એક નવા કાયદાને મંજૂરી આપી છે. આ બિલ ઓગસ્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. તે મુજબ, વાર્ષિક 1,40,000 ઝ્લોટી (આશરે ₹33.82 લાખ) સુધીની કમાણી કરતા પરિવારોને હવે આવકવેરો ચૂકવવાની જરૂર રહેશે નહીં. આ કાયદો એવા તમામ માતા-પિતાને લાગુ પડે છે, જેમની પાસે બાળકોની કાનૂની જવાબદારી છે.

2 / 6
રાષ્ટ્રપતિ કાર્યાલય અનુસાર, આ ટેક્સ છૂટથી સરેરાશ પોલિશ પરિવારને દર મહિને આશરે 1,000 ઝ્લોટી (લગભગ 24,000 રૂપિયા) નો ફાયદો થશે. જો કે, આ કાયદાની સંપૂર્ણ અસર વર્ષ 2026 ના ટેક્સ રિટર્નમાં જોવા મળશે, જે વર્ષ 2027 માં ફાઇલ કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ કાર્યાલય અનુસાર, આ ટેક્સ છૂટથી સરેરાશ પોલિશ પરિવારને દર મહિને આશરે 1,000 ઝ્લોટી (લગભગ 24,000 રૂપિયા) નો ફાયદો થશે. જો કે, આ કાયદાની સંપૂર્ણ અસર વર્ષ 2026 ના ટેક્સ રિટર્નમાં જોવા મળશે, જે વર્ષ 2027 માં ફાઇલ કરવામાં આવશે.

3 / 6
આ સુધારો દરેક પરિવાર પરના કરવેરાનો બોજ ઘટાડવા, લોકોને કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા અને ખર્ચ વધારવાના પ્રયાસનો એક ભાગ છે. રાષ્ટ્રપતિ નોરોકીએ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ઝીરો પર્સનલ ઇન્કમ ટેક્સ (PIT) નું વચન આપ્યું હતું.

આ સુધારો દરેક પરિવાર પરના કરવેરાનો બોજ ઘટાડવા, લોકોને કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા અને ખર્ચ વધારવાના પ્રયાસનો એક ભાગ છે. રાષ્ટ્રપતિ નોરોકીએ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ઝીરો પર્સનલ ઇન્કમ ટેક્સ (PIT) નું વચન આપ્યું હતું.

4 / 6
નોરોકીએ માર્ચમાં પોલિશ લોકો સાથેના તેમના કરારના ભાગરૂપે તેની જાહેરાત કરી હતી, રાષ્ટ્રપતિ બનતાની સાથે જ તેનો અમલ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. જૂનમાં ચૂંટણી જીત્યા પછી તેમણે 8 ઓગસ્ટના રોજ બિલ પર હસ્તાક્ષર કર્યા અને તેને પોલેન્ડની સંસદ (સેજ્મ) ને મોકલ્યો હતો.

નોરોકીએ માર્ચમાં પોલિશ લોકો સાથેના તેમના કરારના ભાગરૂપે તેની જાહેરાત કરી હતી, રાષ્ટ્રપતિ બનતાની સાથે જ તેનો અમલ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. જૂનમાં ચૂંટણી જીત્યા પછી તેમણે 8 ઓગસ્ટના રોજ બિલ પર હસ્તાક્ષર કર્યા અને તેને પોલેન્ડની સંસદ (સેજ્મ) ને મોકલ્યો હતો.

5 / 6
ઝીરો પીઆઈટી પણ ટેક્સ આર્મર નામની યોજનાનો એક ભાગ છે. આ યોજનામાં વેટ (VAT) 23% થી ઘટાડીને 22% કરવા, કેપિટલ ગેઈન ટેક્સ નાબૂદ કરવા અને પેન્શન ઇન્ડેક્સેશન માટે ક્વોટા સિસ્ટમ રજૂ કરવાનો પણ સમાવેશ થાય છે.

ઝીરો પીઆઈટી પણ ટેક્સ આર્મર નામની યોજનાનો એક ભાગ છે. આ યોજનામાં વેટ (VAT) 23% થી ઘટાડીને 22% કરવા, કેપિટલ ગેઈન ટેક્સ નાબૂદ કરવા અને પેન્શન ઇન્ડેક્સેશન માટે ક્વોટા સિસ્ટમ રજૂ કરવાનો પણ સમાવેશ થાય છે.

6 / 6

આ પણ વાંચો: તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી ? આ મહત્વપૂર્ણ દસ્તાવેજ ચકાસવા માટે ઘરે બેઠા આટલું કામ અવશ્ય કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">