611 વર્ષના અમદાવાદના 12 દરવાજા, જુઓ કોટ વિસ્તારના દરવાજાઓની તસવીર

611 વર્ષ જૂનું શહેર આજે અમદાવાદના નામે ઓળખાય છે. જે એક સમયે અહમદાબાદ, અહેમદાબાદ, કર્ણાવતી નગર, કર્ણાવતી, આશાપલ્લી, આશાવલ્લી, જેવા અનેક નામોના અચળા બદલી ચૂક્યું છે.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Mar 02, 2022 | 5:50 PM
શાહપુર દરવાજા - હાલ શાહપુર દરવાજો અસ્તિત્વમાં નથી. શહેર વિસ્તરવાની સાથે દરવાજાના કાંગરા ખરતા ગયા અને કાળક્રમે દરવાજાનુ અસ્તિત્વ ના રહ્યુ.  પરંતુ વર્ષો પહેલા અહીયા દરવાજો હતો જે શાહપુર દરવાજાના નામે ઓળખાતો હતો

શાહપુર દરવાજા - હાલ શાહપુર દરવાજો અસ્તિત્વમાં નથી. શહેર વિસ્તરવાની સાથે દરવાજાના કાંગરા ખરતા ગયા અને કાળક્રમે દરવાજાનુ અસ્તિત્વ ના રહ્યુ. પરંતુ વર્ષો પહેલા અહીયા દરવાજો હતો જે શાહપુર દરવાજાના નામે ઓળખાતો હતો

1 / 12
આ છે દિલ્હી દરવાજા. અમદાવાદમાં દરવાજાનુ નામ દિલ્હી દરવાજા નામ કેમ પડ્યું હશે ? આપને વિચાર તો ચોક્કસ આવે. પરંતુ વાત એવી છે કે, અમદાવાદથી દિલ્લી જવા માટે આ દરવાજાનો ઉપયોગ થતો હોવાથી આ દરવાજાનું નામ દિલ્લી દરવાજા પડ્યુ છે.

આ છે દિલ્હી દરવાજા. અમદાવાદમાં દરવાજાનુ નામ દિલ્હી દરવાજા નામ કેમ પડ્યું હશે ? આપને વિચાર તો ચોક્કસ આવે. પરંતુ વાત એવી છે કે, અમદાવાદથી દિલ્લી જવા માટે આ દરવાજાનો ઉપયોગ થતો હોવાથી આ દરવાજાનું નામ દિલ્લી દરવાજા પડ્યુ છે.

2 / 12
દરિયાપુર દરવાજા - ખૂબ સુંદર દેખાતો આ દરવાજો દરિયાપુર દરવાજા છે ત્યાંથી પસાર થતાં દરવાજાની કલાત્મકતા આપણું ધ્યાન આકર્ષિત કરે છે.

દરિયાપુર દરવાજા - ખૂબ સુંદર દેખાતો આ દરવાજો દરિયાપુર દરવાજા છે ત્યાંથી પસાર થતાં દરવાજાની કલાત્મકતા આપણું ધ્યાન આકર્ષિત કરે છે.

3 / 12
  પ્રેમ દરવાજા - કહેવાય છે અંગ્રેજોએ રેલવે આવ્યા પછી રેલવે માટે આ પ્રેમ દરવાજાનું નિર્માણ ઈ. સન. 1864મા રૂ. 9140ના ખર્ચે કરાયુ હોવાનુ મનાય છે..

પ્રેમ દરવાજા - કહેવાય છે અંગ્રેજોએ રેલવે આવ્યા પછી રેલવે માટે આ પ્રેમ દરવાજાનું નિર્માણ ઈ. સન. 1864મા રૂ. 9140ના ખર્ચે કરાયુ હોવાનુ મનાય છે..

4 / 12

કાલુપુર દરવાજા - આ કાલુપુર દરવાજાનો ઈતિહાસ રસપ્રદ છે. ખાધાખોરાકી આ દરવાજાથી શહેરમાં આવતી હતી. જેના કારણે કાલુપુર દરવાજાની આસપાસ જીવન જરૂરી બધી જ વસ્તુઓના બજાર આવેલા છે. જેવા કે અનાજ, શાકભાજી, ફ્રુટ, તેલ બજાર, કાપડ માર્કેટ, મીઠાઈ માવાનું માર્કેટ, અને તમામ સીઝનલ માર્કેટ આવેલા છે.

કાલુપુર દરવાજા - આ કાલુપુર દરવાજાનો ઈતિહાસ રસપ્રદ છે. ખાધાખોરાકી આ દરવાજાથી શહેરમાં આવતી હતી. જેના કારણે કાલુપુર દરવાજાની આસપાસ જીવન જરૂરી બધી જ વસ્તુઓના બજાર આવેલા છે. જેવા કે અનાજ, શાકભાજી, ફ્રુટ, તેલ બજાર, કાપડ માર્કેટ, મીઠાઈ માવાનું માર્કેટ, અને તમામ સીઝનલ માર્કેટ આવેલા છે.

5 / 12
પાંચકૂવા દરવાજા - પાંચકૂવા દરવાજા કાલુપુર રેલવે સ્ટેશનની થોડેક અંતરે આવેલો છે. ઈ. સન. 1871 મા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. લોકવાયકા મુજબ એ સમયે દરવાજાની આજુબાજુમાં પાંચ કુવા આવેલા હતા. તેથી આ દરવાજાને પાંચકુવા દરવાજા તરીકે ઓળખવામાં આવે છે. આ દરવાજાના નિર્માણ પાછળ રૂ. 11450 નો ખર્ચ તે સમયે થયો હતો.

પાંચકૂવા દરવાજા - પાંચકૂવા દરવાજા કાલુપુર રેલવે સ્ટેશનની થોડેક અંતરે આવેલો છે. ઈ. સન. 1871 મા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. લોકવાયકા મુજબ એ સમયે દરવાજાની આજુબાજુમાં પાંચ કુવા આવેલા હતા. તેથી આ દરવાજાને પાંચકુવા દરવાજા તરીકે ઓળખવામાં આવે છે. આ દરવાજાના નિર્માણ પાછળ રૂ. 11450 નો ખર્ચ તે સમયે થયો હતો.

6 / 12
સારંગપુર દરવાજા - આ છે સારંગપુર દરવાજા જે દરવાજો તમે જોઈ શકો છો તેની આસપાસ ફૂલોની દુકાનો આવેલી છે.

સારંગપુર દરવાજા - આ છે સારંગપુર દરવાજા જે દરવાજો તમે જોઈ શકો છો તેની આસપાસ ફૂલોની દુકાનો આવેલી છે.

7 / 12
રાયપુર દરવાજા - ભવ્ય દેખાતો આ રાયપુર દરવાજા ખૂબ લોકપ્રિય દરવાજામાનો એક છે. આ દરવાજો આવે એ પહેલાં આંખ કરતા નાકને પહેલાં ખબર પડી જાય છે. અહીયાથી આવતા જતા,  ભજીયાની સુગંધ આવી જાય એટલે સમજી જવાનુ કે આ રાયપુર દરવાજા છે. દરવાજાના નામ પરથી અમદાવાદના ફેમસ ભજીયા પણ મળે છે.

રાયપુર દરવાજા - ભવ્ય દેખાતો આ રાયપુર દરવાજા ખૂબ લોકપ્રિય દરવાજામાનો એક છે. આ દરવાજો આવે એ પહેલાં આંખ કરતા નાકને પહેલાં ખબર પડી જાય છે. અહીયાથી આવતા જતા, ભજીયાની સુગંધ આવી જાય એટલે સમજી જવાનુ કે આ રાયપુર દરવાજા છે. દરવાજાના નામ પરથી અમદાવાદના ફેમસ ભજીયા પણ મળે છે.

8 / 12
આસ્ટોડિયો દરવાજા - રોડની મધ્યમા આવેલો આ આસ્ટોડિયો દરવાજા ખૂબ વિશાળ અને કારીગરીનો અદ્ભુત નજારો કહી શકાય તેની ફરતે પથ્થરની બોર્ડર કરી તેની જાળવણી કરવામાં આવી છે.

આસ્ટોડિયો દરવાજા - રોડની મધ્યમા આવેલો આ આસ્ટોડિયો દરવાજા ખૂબ વિશાળ અને કારીગરીનો અદ્ભુત નજારો કહી શકાય તેની ફરતે પથ્થરની બોર્ડર કરી તેની જાળવણી કરવામાં આવી છે.

9 / 12
જમાલપુર દરવાજા - જમાલપુર દરવાજા એ ઐતિહાસીક જગન્નાથ મંદિરના નજીક આવેલો છે. આ દરવાજાનો ઉપયોગ વાહનની અવરજવર માટે થાય છે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથના રથ આ દરવાજાની અંદરથી પસાર થાય છે.

જમાલપુર દરવાજા - જમાલપુર દરવાજા એ ઐતિહાસીક જગન્નાથ મંદિરના નજીક આવેલો છે. આ દરવાજાનો ઉપયોગ વાહનની અવરજવર માટે થાય છે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથના રથ આ દરવાજાની અંદરથી પસાર થાય છે.

10 / 12
ખાન એ જહા દરવાજા - આ દરવાજાનું નામ ખાન જહાન દરવાજો છે. દરવાજાની પાસે તેમની કબર આવેલી છે માટે આ દરવાજો તેમના નામે ઓળખાય છે. એનો એક ભાગ સાબરમતી નદીના કિનારે પડે છે.

ખાન એ જહા દરવાજા - આ દરવાજાનું નામ ખાન જહાન દરવાજો છે. દરવાજાની પાસે તેમની કબર આવેલી છે માટે આ દરવાજો તેમના નામે ઓળખાય છે. એનો એક ભાગ સાબરમતી નદીના કિનારે પડે છે.

11 / 12
રાયખડ દરવાજા- તસ્વીરમા દેખાતો આ દરવાજો આખરી દરવાજો છે શાહપુર દરવાજાથી આ દરવાજા નું અંતર અંદાજે 8 કિલોમીટર ની ત્રિજ્યા હોવાનું મનાય છે.

રાયખડ દરવાજા- તસ્વીરમા દેખાતો આ દરવાજો આખરી દરવાજો છે શાહપુર દરવાજાથી આ દરવાજા નું અંતર અંદાજે 8 કિલોમીટર ની ત્રિજ્યા હોવાનું મનાય છે.

12 / 12

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">