Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાશ્મીરના વાતાવરણને ધ્યાને રાખીને તૈયાર કરાઈ છે વંદેભારત, જાણો કટરાથી શ્રીનગર વચ્ચે ક્યારથી દોડશે ટ્રેન

જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી કટરાથી ખીણ પ્રદેશના શ્રીનગર સુધી તેજ ગતિએ દોડનારી વંદે ભારત ટ્રેન રોજબરોજ દોડવા માટે તૈયાર થઈ ગઈ છે. કટરા-શ્રીનગર વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેન, જમ્મુ કાશ્મીર પ્રદેશના વિશિષ્ટ હવામાનને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે. જાણો તેની ખાસિયત

કાશ્મીરના વાતાવરણને ધ્યાને રાખીને તૈયાર કરાઈ છે વંદેભારત, જાણો કટરાથી શ્રીનગર વચ્ચે ક્યારથી દોડશે ટ્રેન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2025 | 5:10 PM

જમ્મુ કાશ્મીરના કટરા અને શ્રીનગર વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરવાની ઉત્સુકતા હટે ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. કટરાથી શ્રીનગર વંદે ભારત ટ્રેન આગામી સપ્તાહેથી શરૂ થવા જઈ રહી છે. ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ખાતે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ ઉત્પાદિત, આ સેમી-હાઇ-સ્પીડ ટ્રેન અત્યાધુનિક ટેકનોલોજી અને ઉત્તમ સુવિધાઓથી સજ્જ છે. તેને ખાસ જમ્મુ અને કાશ્મીરના વાતાવરણની ધ્યાને રાખીને ઝડપની સાથે આરામને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.

વંદે ભારત ટ્રેનમાં અદ્યતન સુવિધા

કટરાથી શ્રીનગર સુધી ચાલતી આ વંદે ભારત એક્સપ્રેસમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ હશે. કાશ્મીર ખીણની પડકારજનક આબોહવાની પરિસ્થિતિઓમાં સરળ મુસાફરીને સરળ બનાવવા માટે તેને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ટ્રેન સેવા શરૂ થયા પછી, કોઈપણ ઋતુમાં કાશ્મીર ખીણ સુધી પહોંચવું સરળ બનશે. વંદે ભારત દોડવાથી ખીણમાં પ્રવાસનને વેગ મળશે.

કયા દિવસે લીલી ઝંડી દર્શાવાશે ?

આ કટરાથી શ્રીનગર વંદે ભારત જમ્મુ અને શ્રીનગર વચ્ચેની પ્રથમ સીધી ટ્રેન હશે. આ ટ્રેન ચલાવવા અને જાળવણીની જવાબદારી ઉત્તર રેલવે (NR) ઝોનની રહેશે. કટરા-શ્રીનગર-કટરા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 19 એપ્રિલના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવે તેવી અપેક્ષા છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કટરા-શ્રીનગરની મુસાફરી લગભગ ત્રણ કલાકમાં પૂર્ણ કરશે. રોડ માર્ગે કટરા-શ્રીનગર પહોંચવામાં 6 થી 7 કલાકનો સમય લાગે છે.

Plant in pot : મરચાના છોડનો વિકાસ અટકી ગયો છે ? આ ટીપ્સ અપનાવો
Ambani Surname History : એશિયાના સૌથી ધનવાન પરિવાર એવા અંબાણી સરનેમનો ઈતિહાસ જાણો
1000 રુપિયામાં મળી રહ્યું હરતુ-ફરતુ Cooler ! ગમે ત્યાં લઈને ફરી શકશો
કોન્ડોમ અસ્તિત્વમાં આવતા પહેલા લોકો કેવી રીતે ગર્ભાવસ્થા અટકાવતા હતા?
ઘરમાં ચામાચીડિયાનું આવવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો સંકેત આપે છે
આજનું રાશિફળ તારીખ : 18-04-2025

જમ્મુ અને કાશ્મીર જેવા ઠંડા વિસ્તારોમાં સારી રેલ સેવા માટે, વંદે ભારત ટ્રેનમાં ખાસ ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી મુસાફરોને વાતાવરણને લગતી કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. જમ્મુ કાશ્મીરના વાતાવરણને ધ્યાને રાખીને વંદે ભારતના કોચ ખાસ ડિઝાઇનથી બનાવાયા છે

સિલિકોન હીટિંગ પેડ્સ: આ રેલવેની અંદર રહેલ પાણી અને બાયો-ટોઇલેટ ટાંકીઓમાં પાણીને અતિશય ઠંડીમાં થીજવાથી અટકાવે છે. તેમાં ઓવરહિટ પ્રોટેક્શન સેન્સર પણ ફીટ કરવામાં આવ્યા છે, જે શૂન્ય અથવા શૂન્યથી નીચે તાપમાને અવિરત સેવા સુનિશ્ચિત કરે છે.

પાઇપ લાઇન્સ: સ્વ-નિયમનિત હીટિંગ કેબલ્સ શૂન્ય ડિગ્રીથી નીચેના તાપમાને પણ પાણીને થીજવાથી અટકાવે છે.

ઓટો-ડ્રેનિંગ મિકેનિઝમ: આ મિકેનિઝમ પ્લમ્બિંગ લાઇનમાં પાણી એકઠું થતું અટકાવે છે, જેનાથી અવિરત પાણીનો પ્રવાહ સુનિશ્ચિત થાય છે.

એમ્બેડેડ હીટિંગ એલિમેન્ટ્સ: ફ્રન્ટ લુકઆઉટ ગ્લાસમાં ફીટ કરાયેલા આ એલિમેન્ટ્સ ઠંડા હવામાનમાં વિન્ડશિલ્ડને ડિફ્રોસ્ટ કરે છે, જેનાથી ટ્રેન દોડતી હોય ત્યારે સ્પષ્ટ દ્રષ્ટિએ જોઈ શકાય છે.

એન્ટિ-સ્પોલ લેયર: આ લેયર હિમવર્ષા અથવા ઝંઝાવાત દરમિયાન ડ્રાઇવરની સલામતી સુનિશ્ચિત કરે છે, જેનાથી ટ્રેન સુરક્ષિત રીતે ચલાવવામાં મદદ મળે છે.

સલામત અને આરામદાયક કાર્યકારી વાતાવરણ: આ ટ્રેન ખાસ કરીને ઉચ્ચ હવામાન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે બનાવવામાં આવી છે, જે રેલવે કર્મચારીઓને સલામત અને આરામદાયક કાર્ય અનુભવ પ્રદાન કરે છે.

એર ડ્રાયર સિસ્ટમ હીટિંગ: ભારે ઠંડીની સ્થિતિમાં એર બ્રેક સિસ્ટમને કાર્યક્ષમ રાખે છે. વધુમાં, હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ (HVAC) ડક્ટ મુસાફરો માટે આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરે છે.

5 kVA ટ્રાન્સફોર્મર: મુખ્ય ટ્રેનના ઘટકોનું વધુ સારું સંચાલન સુનિશ્ચિત કરવા અને ઠંડા હવામાન દરમિયાન કાર્યક્ષમતા જાળવવા માટે ફ્રેમ હેઠળ ખાસ સ્થાપિત થયેલ છે.

ભારતીય રેલવને લગતા તમામ નાના મોટા પંરતુ યાત્રાળુઓ માટે અતિ મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">