ઓછુ ભણેલા જ આતંકવાદી હોય છે એવુ નથી, ખૂબ ભણેલા વિદ્વાન પણ બન્યા છે આતંકી, જુઓ ફોટા
દિલ્હીના લાલ કિલ્લા ખાતે થયેલ કાર વિસ્ફોટમાં ધર્માંધ ડોકટર આરોપી નિકળ્યો. આટલું જ નહીં આ ડોકટરની સાથે જેમના તાર જોડાયેલા હતા તે તમામે તમામ ડોકટરો છે. ઉચ્ચ શિક્ષણ મેળવેલા કાશ્મીરના યુવાન મુસ્લિમ, આતંકવાદી બની ગયા હતા. જેને ડી ગેંગ એટલે કે ડોકટરની ગેંગ કહેવામાં આવી રહી છે. માત્ર અભણ જ નહીં પરતુ ઉચ્ચ શિક્ષણ પામેલા મુસ્લિમો પણ આતંકવાદી બની જઈને સૌ કોઈને અંચબામાં નાખ્યા છે. વિશ્વમાં કુખ્યાત બની ચૂકેલા આતંદવાદીઓમાંથી કેટલાય આતંકવાદીઓ ઉચ્ચ શિક્ષણ પામેલા હતા.

લશ્કર એ તૈયબાના વડા હાફિઝ સઈદ વિશે વાત કરીએ તો, પાકિસ્તાનથી આતંકવાદી ફેક્ટરી ચલાવીને મુસ્લિમોને આતંકી બનાવે છે. હાફિઝ પાસે બે માસ્ટર ડિગ્રી છે. તેણે પાકિસ્તાનની પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. સાથોસાથ તેણે કિંગ સઈદ યુનિવર્સિટીમાંથી ઇસ્લામિક સ્ટડીઝ અને અરબીમાં પણ વિશેષતા મેળવી છે. જ્યાં તે પ્રોફેસર તરીકે પણ વિદ્યાર્થીઓેને ભણાવતો હતો. હાફિઝ સઈદ આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાનો સ્થાપક છે. તે ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપીઓના લિસ્ટમાં છે. તેણે જ કસાબ એન્ડ કંપની પાસે 26/11 મુંબઈ હુમલો કરાવ્યો હતો.

બાબરી મસ્જિદ ધ્વસ્ત થવાના બદલા સ્વરૂપે મુંબઈમાં 1993માં કરાયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના દોષિત યાકુબ મેમણ પણ ઓછો શિક્ષિત નહોતો. યાકુબ મેમણ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો. ૩૦ જુલાઈ, 2015 ના રોજ તેને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.

ઓસામા બિન લાદેન : અલ-કાયદાના ઓસામા બિન લાદેન, 2 મે, 2011 ના રોજ અમેરિકન મિલિટરી ઓપરેશનમાં પાકિસ્તાનના એબટાબાદમાં માર્યો ગયો હતો. અમેરિકન સૈન્યે તેમની સાથેસાથે બિનલાદેનનો મૃતદેહ પણ ઉપાડી ગયા હતા. ઓસામા બિન લાદેનનો જન્મ રિયાધમાં થયો હતો. તેણે સાઉદી અરેબિયા અને વિદેશની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો હતો. તેણે પોતાનું પ્રાથમિક, માધ્યમિક અને યુનિવર્સિટી શિક્ષણ પણ જેદ્દાહમાં મેળવ્યું હતું. તેણે 1981માં જેદ્દાહની કિંગ અબ્દુલ-અઝીઝ યુનિવર્સિટીમાંથી જાહેર વહીવટમાં ડિગ્રી મેળવી હતી. અફઘાનિસ્તાનમાં સોવિયેત યુદ્ધ સમાપ્ત થયા પછી, બિન લાદેને 1988 માં વિશ્વભરમાં જેહાદ ચલાવવા માટે અલ-કાયદાની સ્થાપના કરી હતી.

અયમાન અલ-ઝવાહિરી: અલ-કાયદાના આ ભૂતપૂર્વ નેતા પાસે મેડિકલ ડિગ્રી હતી અને તે ઇજિપ્તમાં સર્જન હતો. તેને યુનાઇટેડ સ્ટેટ્સમાં 9-11 ના હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. તેનું મૃત્યુ જુલાઈ 2022 માં થયું.

અબુ બકર અલ-બગદાદી: મુસ્લિમ ધર્માંધ આતંકી સંસ્થા ISISના ભૂતપૂર્વ નેતાએ ઇસ્લામિક સ્ટડીઝમાં પીએચડી કરી હતી. તેણે 2010 થી 2019 સુધી ISISનું નેતૃત્વ કર્યું. બગદાદી એક સમયે ભયનો પર્યાય હતો. ઓક્ટોબર 2019 માં તેનું અવસાન થયું.

ઝાકિર મુસા: હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર તરીકે આતંકવાદી બનતા પહેલા બી.ટેકનો અભ્યાસ કરી રહ્યો હતો. મુસાએ નૂરપરાની નૂર પબ્લિક સ્કૂલમાં 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેણે નૂરપરાની એક સરકારી સ્કૂલમાં 12મું ધોરણ પૂર્ણ કર્યું. 2019 માં સુરક્ષા દળો સાથેની અથડામણમાં તેનું મોત નીપજ્યું હતું. તેનું સાચું નામ ઝાકિર રશીદ ભટ હતું.

અમેરિકાના ન્યુયોર્કમાં આવેલ ટ્વિટ ટાવર 9-11 ની આતંકી ધટનામાં વિમાન અપહરણકારોમાં ઉચ્ચ શિક્ષિત આતંકવાદીઓનો સમાવેશ થતો હતો. તેઓ સાઉદી અરેબિયા અને ઇજિપ્તના મધ્યમ વર્ગના પરિવારોમાંથી આવતા હતા. વિમાનના મુખ્ય અપહરણકર્તા, મોહમ્મદ અત્તાએ કૈરો યુનિવર્સિટીમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો હતો અને બાદમાં હેમ્બર્ગમાં શહેરી ડિઝાઇનમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી. મારવાન અલ-શેહી અને ઝિયાદ જરાહ પણ જર્મનીમાં અભ્યાસ કર્યો હતો. ઝિયાદ જરાહ એક શ્રીમંત લેબનીઝ પરિવારમાંથી આવતો હતા અને હેમ્બર્ગ યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સમાં અભ્યાસ કર્યો હતો.
દિલ્હીમાં કરાયેલા કાર વિસ્ફોટના મામલામાં ડોકટરની સંડોવણી સામે આવી છે. સુરક્ષા એજન્સીએ હાથ ધરેલ તપાસમાં એક નહીં પરંતુ ડોકટરોની ફોજ આતંક ફેલાવવા સક્રીય છે. દિલ્હી વિસ્ફોટની સાથે આવા અન્ય સમાચાર જાણવા માટે આપ અહીંયા ક્લિક કરો.