Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Riots: દિલ્હી રમખાણ કેસમાં ઉમર ખાલિદ પર આજે આવી શકે છે ચુકાદો, જામીનને લઈ સસ્પેન્સ યથાવત

વર્ષ 2020માં ઉત્તર પૂર્વ દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. તે જ સમયે, આ કેસમાં જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની ભૂમિકા પણ સામે આવી હતી. આ દરમિયાન ઉમર ખાલિદ પર રમખાણો ભડકાવવાનો આરોપ છે.

Delhi Riots: દિલ્હી રમખાણ કેસમાં ઉમર ખાલિદ પર આજે આવી શકે છે ચુકાદો, જામીનને લઈ સસ્પેન્સ યથાવત
Umar Khalid's verdict in Delhi riots case may come today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 11:23 AM

Delhi Riots: દેશની રાજધાની દિલ્હી સ્થિત કરકરડૂમા કોર્ટે દિલ્હી રમખાણોના આરોપમાં જેલમાં બંધ JNUના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. ખાલિદની જામીન અરજી પર આજે એટલે કે 14 માર્ચે ચુકાદો સંભળાવવામાં આવશે. જણાવી દઈએ કે 3 માર્ચે કરકરડુમા કોર્ટના એડિશનલ સેશન્સ જજ (ASJ) અમિતાભ રાવતે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.ખાલિદે દિલ્હી રમખાણોની ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ કેસમાં જામીન માંગ્યા છે.

વાસ્તવમાં, કરકરડૂમા કોર્ટમાં ઉમર ખાલિદની જામીન અરજીની સુનાવણી દરમિયાન, તેના વકીલે કહ્યું, પોતાની સાથે થયેલા ગેરવર્તણૂક સામે અવાજ ઉઠાવવો અથવા જાહેરમાં બોલવાનો અર્થ એ નથી કે લઘુમતીઓ સાંપ્રદાયિક છે. કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ ત્રિદીપ પેસે જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષે અમુક વોટ્સએપ જૂથો પર તેમના અસીલ (ઓમર ખાલિદ)ના મૌનને કારણે ગુનો નોંધ્યો હતો. પરંતુ ઉમર ખાલિદે આ વોટ્સએપ ગ્રુપ પર ક્યારેય કોઈ એક્ટિવિટી કરી ન હતી.

જણાવી દઈએ કે કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ ત્રિદીપ પેસે કહ્યું કે, તેમણે કોર્ટમાં કહ્યું કે, CAA અને NRCને ભેદભાવપૂર્ણ કહેવાથી હું બિલકુલ સાંપ્રદાયિક નથી બની જતો. આ દરમિયાન વકીલે ખાલિદની પીએચડી થીસીસનો પણ ઉલ્લેખ કર્યો, જે ઝારખંડના આદિવાસીઓ પર કરવામાં આવેલા સંશોધન પર આધારિત છે. તેમણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ કોઈ મુદ્દો ઉઠાવે છે તો તેને સાંપ્રદાયિક ન કહી શકાય.માત્ર એટલા માટે કે તે લોકોના એક વર્ગ વિશે લખે છે, જેમની સાથે દુર્વ્યવહાર થાય છે તેવા લઘુમતીઓ માટે બોલવું, તેમને સાંપ્રદાયિક બનાવતું નથી.

IPLના ઈતિહાસમાં કઈ ટીમ સૌથી વધારે મેચ હારી જાણો?
બે પત્નીઓનો પતિ હવે ગર્લફ્રેન્ડ સાથે થયો રોમેન્ટિક! બધા વચ્ચે પકડી લીધો હાથ
બોલિવુડથી દુર છે અમિતાભ બચ્ચનની દીકરી, જુઓ ફોટો
તમારો EPFO ​​પાસવર્ડ ભૂલી ગયા છો? ચિંતા ના કરો... આ રીતે તેનો ઉકેલ લાવો
Jio ફ્રીમાં આપી રહ્યું IPL જોવાનો મોકો ! લોન્ચ કરી અનલિમિટેડ ઓફર
મની પ્લાન્ટનું અચાનક સુકાઈ જવું કઈ વાતનો સંકેત આપે છે? આ જાણી લેજો

મહત્વપૂર્ણ છે કે, પેસે કહ્યું કે ઘણા લોકોએ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કર્યો હતો. આવી સ્થિતિમાં રામચંદ્ર ગુહા, ટીએમ કૃષ્ણા અને ઘણા લોકો આ કાયદાની વિરુદ્ધ બોલ્યા છે. પરંતુ માત્ર ઉમર ખાલિદને જ દોષ કેમ? ચાર્જશીટ દાખલ થયા બાદ કોર્ટે પોલીસ સહિત તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ ખાલિદને જામીન આપવા કે નહીં તે અંગેનો નિર્ણય અનામત રાખ્યો છે. જો કે, આ કેસમાં કોર્ટે કહ્યું કે, હવે આ કેસમાં 14 માર્ચે ચુકાદો સંભળાવવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">