AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Riots: દિલ્હી રમખાણ કેસમાં ઉમર ખાલિદ પર આજે આવી શકે છે ચુકાદો, જામીનને લઈ સસ્પેન્સ યથાવત

વર્ષ 2020માં ઉત્તર પૂર્વ દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. તે જ સમયે, આ કેસમાં જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની ભૂમિકા પણ સામે આવી હતી. આ દરમિયાન ઉમર ખાલિદ પર રમખાણો ભડકાવવાનો આરોપ છે.

Delhi Riots: દિલ્હી રમખાણ કેસમાં ઉમર ખાલિદ પર આજે આવી શકે છે ચુકાદો, જામીનને લઈ સસ્પેન્સ યથાવત
Umar Khalid's verdict in Delhi riots case may come today
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 11:23 AM
Share

Delhi Riots: દેશની રાજધાની દિલ્હી સ્થિત કરકરડૂમા કોર્ટે દિલ્હી રમખાણોના આરોપમાં જેલમાં બંધ JNUના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. ખાલિદની જામીન અરજી પર આજે એટલે કે 14 માર્ચે ચુકાદો સંભળાવવામાં આવશે. જણાવી દઈએ કે 3 માર્ચે કરકરડુમા કોર્ટના એડિશનલ સેશન્સ જજ (ASJ) અમિતાભ રાવતે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.ખાલિદે દિલ્હી રમખાણોની ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ કેસમાં જામીન માંગ્યા છે.

વાસ્તવમાં, કરકરડૂમા કોર્ટમાં ઉમર ખાલિદની જામીન અરજીની સુનાવણી દરમિયાન, તેના વકીલે કહ્યું, પોતાની સાથે થયેલા ગેરવર્તણૂક સામે અવાજ ઉઠાવવો અથવા જાહેરમાં બોલવાનો અર્થ એ નથી કે લઘુમતીઓ સાંપ્રદાયિક છે. કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ ત્રિદીપ પેસે જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષે અમુક વોટ્સએપ જૂથો પર તેમના અસીલ (ઓમર ખાલિદ)ના મૌનને કારણે ગુનો નોંધ્યો હતો. પરંતુ ઉમર ખાલિદે આ વોટ્સએપ ગ્રુપ પર ક્યારેય કોઈ એક્ટિવિટી કરી ન હતી.

જણાવી દઈએ કે કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ ત્રિદીપ પેસે કહ્યું કે, તેમણે કોર્ટમાં કહ્યું કે, CAA અને NRCને ભેદભાવપૂર્ણ કહેવાથી હું બિલકુલ સાંપ્રદાયિક નથી બની જતો. આ દરમિયાન વકીલે ખાલિદની પીએચડી થીસીસનો પણ ઉલ્લેખ કર્યો, જે ઝારખંડના આદિવાસીઓ પર કરવામાં આવેલા સંશોધન પર આધારિત છે. તેમણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ કોઈ મુદ્દો ઉઠાવે છે તો તેને સાંપ્રદાયિક ન કહી શકાય.માત્ર એટલા માટે કે તે લોકોના એક વર્ગ વિશે લખે છે, જેમની સાથે દુર્વ્યવહાર થાય છે તેવા લઘુમતીઓ માટે બોલવું, તેમને સાંપ્રદાયિક બનાવતું નથી.

મહત્વપૂર્ણ છે કે, પેસે કહ્યું કે ઘણા લોકોએ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કર્યો હતો. આવી સ્થિતિમાં રામચંદ્ર ગુહા, ટીએમ કૃષ્ણા અને ઘણા લોકો આ કાયદાની વિરુદ્ધ બોલ્યા છે. પરંતુ માત્ર ઉમર ખાલિદને જ દોષ કેમ? ચાર્જશીટ દાખલ થયા બાદ કોર્ટે પોલીસ સહિત તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ ખાલિદને જામીન આપવા કે નહીં તે અંગેનો નિર્ણય અનામત રાખ્યો છે. જો કે, આ કેસમાં કોર્ટે કહ્યું કે, હવે આ કેસમાં 14 માર્ચે ચુકાદો સંભળાવવામાં આવશે.

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">