Delhi Riots: દિલ્હી રમખાણ કેસમાં ઉમર ખાલિદ પર આજે આવી શકે છે ચુકાદો, જામીનને લઈ સસ્પેન્સ યથાવત

વર્ષ 2020માં ઉત્તર પૂર્વ દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. તે જ સમયે, આ કેસમાં જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની ભૂમિકા પણ સામે આવી હતી. આ દરમિયાન ઉમર ખાલિદ પર રમખાણો ભડકાવવાનો આરોપ છે.

Delhi Riots: દિલ્હી રમખાણ કેસમાં ઉમર ખાલિદ પર આજે આવી શકે છે ચુકાદો, જામીનને લઈ સસ્પેન્સ યથાવત
Umar Khalid's verdict in Delhi riots case may come today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 11:23 AM

Delhi Riots: દેશની રાજધાની દિલ્હી સ્થિત કરકરડૂમા કોર્ટે દિલ્હી રમખાણોના આરોપમાં જેલમાં બંધ JNUના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. ખાલિદની જામીન અરજી પર આજે એટલે કે 14 માર્ચે ચુકાદો સંભળાવવામાં આવશે. જણાવી દઈએ કે 3 માર્ચે કરકરડુમા કોર્ટના એડિશનલ સેશન્સ જજ (ASJ) અમિતાભ રાવતે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.ખાલિદે દિલ્હી રમખાણોની ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ કેસમાં જામીન માંગ્યા છે.

વાસ્તવમાં, કરકરડૂમા કોર્ટમાં ઉમર ખાલિદની જામીન અરજીની સુનાવણી દરમિયાન, તેના વકીલે કહ્યું, પોતાની સાથે થયેલા ગેરવર્તણૂક સામે અવાજ ઉઠાવવો અથવા જાહેરમાં બોલવાનો અર્થ એ નથી કે લઘુમતીઓ સાંપ્રદાયિક છે. કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ ત્રિદીપ પેસે જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષે અમુક વોટ્સએપ જૂથો પર તેમના અસીલ (ઓમર ખાલિદ)ના મૌનને કારણે ગુનો નોંધ્યો હતો. પરંતુ ઉમર ખાલિદે આ વોટ્સએપ ગ્રુપ પર ક્યારેય કોઈ એક્ટિવિટી કરી ન હતી.

જણાવી દઈએ કે કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ ત્રિદીપ પેસે કહ્યું કે, તેમણે કોર્ટમાં કહ્યું કે, CAA અને NRCને ભેદભાવપૂર્ણ કહેવાથી હું બિલકુલ સાંપ્રદાયિક નથી બની જતો. આ દરમિયાન વકીલે ખાલિદની પીએચડી થીસીસનો પણ ઉલ્લેખ કર્યો, જે ઝારખંડના આદિવાસીઓ પર કરવામાં આવેલા સંશોધન પર આધારિત છે. તેમણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ કોઈ મુદ્દો ઉઠાવે છે તો તેને સાંપ્રદાયિક ન કહી શકાય.માત્ર એટલા માટે કે તે લોકોના એક વર્ગ વિશે લખે છે, જેમની સાથે દુર્વ્યવહાર થાય છે તેવા લઘુમતીઓ માટે બોલવું, તેમને સાંપ્રદાયિક બનાવતું નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મહત્વપૂર્ણ છે કે, પેસે કહ્યું કે ઘણા લોકોએ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કર્યો હતો. આવી સ્થિતિમાં રામચંદ્ર ગુહા, ટીએમ કૃષ્ણા અને ઘણા લોકો આ કાયદાની વિરુદ્ધ બોલ્યા છે. પરંતુ માત્ર ઉમર ખાલિદને જ દોષ કેમ? ચાર્જશીટ દાખલ થયા બાદ કોર્ટે પોલીસ સહિત તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ ખાલિદને જામીન આપવા કે નહીં તે અંગેનો નિર્ણય અનામત રાખ્યો છે. જો કે, આ કેસમાં કોર્ટે કહ્યું કે, હવે આ કેસમાં 14 માર્ચે ચુકાદો સંભળાવવામાં આવશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">