શું તમારું Mutual Fund સ્કીમમાં રોકાણ વળતરના નામે ઠેગો દેખાડી રહ્યું છે? આ સંકેત દેખાય તો તરત જ તમારા પૈસા ઉપાડી લો

મોટા ભાગના નાણાકીય સલાહકારો ભલે બજારમાં  વધઘટ હોય પણ ગ્રાહકોને આવા કેસોમાં રોકાણ કરવાનું સલાહ આપે છે.  જો કે, ઘણા કિસ્સાઓમાં ફંડમાંથી બહાર નીકળવાનો અર્થ છે કે તમે કેવી રીતે જાણશો  કે તમારે તમારી સ્કીમમાંથી બહાર નીકળવું જોઈએ?

શું તમારું Mutual Fund સ્કીમમાં રોકાણ વળતરના નામે ઠેગો દેખાડી રહ્યું છે? આ સંકેત દેખાય તો તરત જ તમારા પૈસા ઉપાડી લો
Mutual Fund (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 9:32 AM

મિહિર મહેતા હાલના  દિવસોમાં પોતાના મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund)નું પ્રદર્શન જોઈને ખૂબ જ દુઃખી છે. તેનું મન કેટલીક યોજનાઓમાંથી વારંવાર બહાર નીકળી રહ્યું છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા મિહિરે  વિચાર્યું કે શા માટે એક વાર તેના નાણાકીય સલાહકાર સાથે ચર્ચા ન કરવી જોઈએ. મિહિરના મિત્ર ભાવેશે પણ આ દરમ્યાન તેને પૂછ્યું  કેટલીક યોજનાઓમાંથી નીકળવું  જોઈએ? મિહિર  જેવી મૂંઝવણ ઘણા લોકોના મનમાં છે અને મોટા ભાગના નાણાકીય સલાહકારો ભલે બજારમાં  વધઘટ હોય પણ ગ્રાહકોને આવા કેસોમાં રોકાણ કરવાનું સલાહ આપે છે.  જો કે, ઘણા કિસ્સાઓમાં ફંડમાંથી બહાર નીકળવાનો અર્થ છે કે તમે કેવી રીતે જાણશો  કે તમારે તમારી સ્કીમમાંથી બહાર નીકળવું જોઈએ?

આ સંકેત ગંભીરતાથી લેવા જોઈએ

મિહિરના સવાલ પર તેના નાણાકીય સલાહકારે કહ્યું કે જો તમે નાણાકીય લક્ષ્યો હાંસલ કરી લીધા હોય તો પણ ઘણી ઘટનાઓને પોર્ટફોલિયો માટે સ્પીડ બ્રેકર તરીકે જોવી જોઈએ. જે નીચે મુજબ છે

  •  તમારે આવા ફંડ્સમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ જેમાં વરિષ્ઠ મેનેજમેન્ટ સ્તરમાં વારંવાર ફેરફારો થાય છે. ભારતમાં લોકો સામાન્ય રીતે ફંડ પર વિશ્વાસ કરે છે પણ ઘણીવાર મેનેજર કોણ છે તેના પર ધ્યાન આપવામાં આવતું  નથી. તમારે કોઈપણ ફંડના મેનેજર અને તેમને લગતા સમાચારો વિશે જાણતા રહેવું જોઈએ. મેનેજર બદલવાથી તમારા વળતરને પણ અસર થઈ શકે છે.
  •  હવે બીજું પરિબળ આવે છે જે Standard Deviation છે. મ્યુચ્યુઅલ ફંડની વોલેટિલિટી standard deviation દ્વારા નક્કી કરવામાં આવે છે. આનાથી ખ્યાલ આવે છે કે તમારા ફંડનું વળતર સ્કીમના ઐતિહાસિક સરેરાશ વળતરથી કેટલું વિચલિત થઈ રહ્યું છે. નીચું standard deviation ઓછી વોલેટિલિટી દર્શાવે છે જે રોકાણકારો માટે સારી છે. વધતા standard deviation સામાન્ય રીતે સૂચવે છે કે ફંડનું પ્રદર્શન અસમાન છે. આવા કિસ્સાઓમાં ફંડમાંથી બહાર નીકળવું વધુ સારું છે.  જો ફંડ સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યું છે તો તેમાંથી બહાર નીકળવું યોગ્ય રહેશે.
  •  જો કોઈ ફંડ તમારા જેવા અન્ય ફંડ્સની સરખામણીમાં નીચું પ્રદર્શન કરી રહ્યું હોય તો તે એક સંકેત છે કે તરત જ તેમાંથી બહાર નીકળવું જોઈએ.  અંતે એમ કહી શકાય કે જો અમુક ફંડ તેમના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં સક્ષમ ન હોય તો એવું સૂચન કરવામાં આવે છે કે તમે તમારા પોર્ટફોલિયોને સમાયોજિત કરો અને આવા ભંડોળમાંથી બહાર નીકળો.
  • મિહિર  માટે નિર્ણય લેવો લગભગ સરળ હતો. આમ છતાં તેણે એક નિષ્ણાતની મદદ પણ લીધી હતી. પ્રોફિટેબલ ઇક્વિટી પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ડિરેક્ટર મનોજ દાલમિયાએ જણાવ્યું હતું કે જો ફંડ લાંબા સમયથી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સામે અંડર પરફોર્મ કરી રહ્યું હોય અથવા તમારો ટાર્ગેટ પૂરો થયો હોય અથવા તેમાં 5 થી 6 ટકાનો ઘટાડો થયો હોય તો પણ તમે બહાર નીકળી શકો છો.

મની 9 ની સલાહ

મની 9 ની સલાહ છે કે કોઈ પણ રોકાણકારે ટૂંકા ગાળાની ખોટથી  જ ફંડમાંથી બહાર નીકળવું જોઈએ નહીં. મ્યુચ્યુઅલ ફંડની કામગીરીનું મૂલ્યાંકન માત્ર ઊંચા કે ઓછા વળતરના આધારે ન કરવું જોઈએ. જ્યારે તમે કોઈપણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો ત્યારે ચોક્કસપણે તમારા લક્ષ્યોને જુઓ. તમારે કેપિટલ ગેઈન ટેક્સને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. એટલું જ નહીં જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાંથી બહાર નીકળશો ત્યારે તમને જે પૈસા મળશે તેનું શું કરવું તેની પણ યોજના બનાવો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચો :  SEBIએ BSE અને NSE ને ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો?

આ પણ વાંચો :  Sri Lanka Economic Crisis : શ્રીલંકાને પાસે ડીઝલ ખરીદવા માટે પૈસા નથી, સરકારી તીજોરીમાં વિદેશી મુદ્રા તળિયા ઝાટક

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">