AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka Economic Crisis : શ્રીલંકાને પાસે ડીઝલ ખરીદવા માટે પૈસા નથી, સરકારી તીજોરીમાં વિદેશી મુદ્રા તળિયા ઝાટક

શ્રીલંકા સરકારના તમામ મંત્રીઓએ લોક વિરોધને કારણે રાજીનામું આપવું પડ્યું છે.  તમામ સાંસદોએ પણ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેનો સાથ છોડી દીધો છે.

Sri Lanka Economic Crisis : શ્રીલંકાને પાસે ડીઝલ ખરીદવા માટે પૈસા નથી, સરકારી તીજોરીમાં વિદેશી મુદ્રા તળિયા ઝાટક
Sri Lanka Economic Crisis
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 8:34 AM
Share

Sri Lanka Economic Crisis:  વિદેશી હૂંડિયામણની કટોકટીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારત તરફથી આપવામાં આવેલ 50 કરોડ ડોલરનું  ધિરાણ ઝડપથી સમાપ્ત થઈ રહ્યું છે. જો આમ જ ચાલુ રહેશે તો એપ્રિલના અંત સુધીમાં તેની પાસે ડીઝલ ખરીદવા માટે કોઈ વિદેશી હૂંડિયામણ નહીં હોય. શ્રીલંકામાં જે ખાદ્ય ઉત્પાદનો, ગેસ, તેલ અને અન્ય આવશ્યક ચીજોની અછતનો સામનો કરી રહી છે અને ભારે વીજ કાપનો સામનો કરી રહ્યું છે, લોકો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. શ્રીલંકા સરકારના તમામ મંત્રીઓએ લોક વિરોધને કારણે રાજીનામું આપવું પડ્યું છે.  તમામ સાંસદોએ પણ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેનો સાથ છોડી દીધો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રીલંકામાં વિદેશથી ક્રૂડ ઓઈલનો સપ્લાય 1 એપ્રિલથી શરૂ થવાનું હતું  પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને જોતા માર્ચના અંતિમ સપ્તાહમાં જ તેલનો કન્સાઈનમેન્ટ આવવા લાગ્યો હતો.

તેલ સંકટનો ભય

ભારતમાંથી તેલનો આગામી કન્સાઈનમેન્ટ આવતા સપ્તાહે આવવાની ધારણા છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતમાંથી તેલનો કન્સાઈનમેન્ટ 15 એપ્રિલ, 18 એપ્રિલ અને 23 એપ્રિલે આવે તેવી શક્યતા છે. પરંતુ આ પછી ભારત તરફથી શ્રીલંકાને આપવામાં આવેલી 50 કરોડ ડોલરની લોનની સુવિધા સમાપ્ત થઈ જશે. બીજી તરફ જો ભારત તેમાં વધારો નહીં કરે તો શ્રીલંકાને તેલ સંકટનો સામનો કરવો પડી શકે છે. ફેબ્રુઆરીમાં ભારતે શ્રીલંકાને ઇંધણની ખરીદી માટે 50 કરોડની લાઇન ઓફ ક્રેડિટની જાહેરાત કરી હતી.

10-10 કલાક માટે પાવર કટ

શ્રીલંકામાં જાહેર પરિવહન માટે ડીઝલનો વ્યાપક ઉપયોગ થાય છે. આ સાથે થર્મલ પાવર ઉત્પાદનમાં ડીઝલનો વપરાશ પણ વધુ થાય છે. પરંતુ થર્મલ પાવર સ્ટેશનોમાં ડીઝલની અછતને કારણે ઉત્પાદન મોટા પ્રમાણમાં અટકી ગયું છે. જેના કારણે શ્રીલંકામાં હાલમાં 10-10 કલાક માટે પાવર કટ છે.

દરમિયાન, શ્રીલંકા મેડિકલ એસોસિએશને રાજપક્ષેને દેશમાં આવશ્યક દવાઓની અછતને પહોંચી વળવા તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, હાલમાં શ્રીલંકામાં આવશ્યક દવાઓ અને તબીબી સાધનોની અછતને કારણે માત્ર ઇમરજન્સી સર્જરી કરવામાં આવી રહી છે. આ સમયે દેશભરમાં થઈ રહેલા વિરોધને રાજકીય રીતે પ્રેરિત ગણાવતા, સરકારે કહ્યું છે કે વિરોધ પક્ષ જનતા વિમુક્તિ પેરામન (JVM) તેનું આયોજન કરી રહી છે.

આ પણ વાંચો : Bank of Baroda Mega e-Auction : સસ્તી કિંમતે પ્રોપર્ટી ખરીદવી છે? વાંચો આ અહેવાલ

આ પણ વાંચો :  IT Professionals માટે સારા સમાચાર, Infosys 50 હજાર નવી ભરતી કરશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">