AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે Mutual Fund માં રોકાણ કરો છો ? તો ૩૦ જૂન સુધીમાં પતાવી લો આ કામ નહીતો નહિ ઉપાડી શકો પોતાના પૈસા

જો તમે મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund)માં નાણાંનું રોકાણ કરો છો તો આ માહિતી જાણવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 30 જૂનથી એક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ બદલાવા જઈ રહ્યો છે.

શું તમે Mutual Fund માં રોકાણ કરો છો ? તો ૩૦ જૂન સુધીમાં પતાવી લો આ કામ નહીતો નહિ ઉપાડી શકો પોતાના પૈસા
PAN- Aadhaar Linking
| Updated on: Jun 12, 2021 | 8:33 AM
Share

જો તમે મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund)માં નાણાંનું રોકાણ કરો છો તો આ માહિતી જાણવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 30 જૂનથી એક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ બદલાવા જઈ રહ્યો છે. આ નિયમ હેઠળ 30 જૂન સુધીમાં જેમના પાન અને આધારકાર્ડને લિંક(PAN-Aadhaar Link) કર્યા નહીં હોય તેમનું પાનકાર્ડ (PAN Card)અમાન્ય થઈ જશે. આટલુંજ નહિ આ બાબત સીધી મ્યુચ્યુઅલ ફંડ્સના તમારા રોકાણને અસર કરશે. ઉલ્લેખનીય છે કે મ્યુચ્યુઅલ ફંડ્સ (MF) માં રોકાણ કરતા લગભગ 20-30 લાખ લોકોએ તેમના પાનને આધાર સાથે લિંક કર્યું નથી.

30 જૂન સુધીમાં જે લોકો પાનને આધાર સાથે લિંક કરશે નહીં તેમને આવકવેરા કાયદા હેઠળ 10,000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. મોટી સમસ્યા એ હશે કે તમારો પાન સૂચના કે નોટિસ વગર અમાન્ય અથવા નિષ્ક્રિય થઈ જશે.

અમાન્ય PAN દ્વારા મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ શક્ય નથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે તમારે બે દસ્તાવેજીકરણ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પ્રથમ પ્રક્રિયા હેઠળ તમારા KYC કરવું જરૂરી છે. બીજી પ્રક્રિયા માટે ગ્રાહક પાસે માન્ય PAN હોવું જરૂરી છે. જો તમારો પાન આધાર લિંક નહીં હોવાના કારણે રિકવેસ્ટ રદ થઈ જાય છે તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકશો નહીં.

MFમાં 30% પાનકાર્ડ આધાર સાથે જોડાયેલા નથી મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફર એજન્સી કમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસીસ (CAMS) અનુસાર લગભગ 20 લાખ પાન નંબર છે જે હજી પણ આધાર સાથે લિંક કરાયા નથી. એટલે કે, લગભગ 30% પાનકાર્ડ આધાર સાથે જોડાયેલા નથી. આવકવેરાના નિયમો મુજબ 30 જૂન 2021 ના રોજ અથવા તે પહેલાં આધારને તમારા પાન સાથે લિંક કરવું ફરજિયાત છે. જો પાન આધાર સાથે જોડાયેલ નથી તો પાન નિષ્ક્રિય તરીકે માનવામાં આવશે. આ સાથે મ્યુચ્યુઅલ ફંડ્સનું KYC પણ નકામું થઈ જશે.

SIP બંધ થઈ જશે જો તમે તમારા પાનને આધાર સાથે જોડશો નહીં તો તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં કોઈ નવા રોકાણ કરી શકશો નહીં. આ ઉપરાંત તમે મ્યુચ્યુઅલ ફંડના પૈસા લઈ શકશો નહીં. સેબીના નિયમન મુજબ કેવાયસી અને પાન માન્ય હશે ત્યારે જ ફંડના પૈસા ઉપાડી શકાશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">