AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SEBIએ BSE અને NSE ને ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો?

KSBL એ આઠ બેંકો/નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) પાસેથી ગીરવે મુકેલી સિક્યોરિટીઝ દ્વારા રૂ. 851.43 કરોડ એકત્ર કર્યા હતા.

SEBIએ BSE અને NSE ને ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો?
Bombay Stock Exchange - BSE
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 8:55 AM
Share

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા  (Securities and Exchange Board of India – SEBI) એ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર કરોડોનો દંડ(Penalty on BSE-NSE) ફટકાર્યો છે.  કાર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડ (KSBL) તેના ગ્રાહકોની રૂ. 2,300 કરોડની સિક્યોરિટીઝના દુરુપયોગને પકડવામાં બેદરકારી દાખવવામાં આવી હતી જેના કારણે સેબીએ BSE  અને NSE પર દંડ ફટકાર્યો છે. KSBL એ સિક્યોરિટીઝ માત્ર એક જ ડીમેટ ખાતા દ્વારા ગીરવે મુકી હતી. સિક્યોરિટીઝ ગીરવે મૂકીને એકત્ર કરાયેલા નાણાનો ઉપયોગ KSBL દ્વારા પોતાના અને તેના જૂથની સંસ્થાઓ માટે કરવામાં આવ્યો હતો.

 કેટલો દંડ ફટકારાયો?

તમને જણાવી દઈએ કે સેબીએ આ સંબંધમાં બે અલગ-અલગ આદેશ જારી કર્યા છે. BSE પર 3 કરોડ રૂપિયા અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જાણો શું છે સમગ્ર મામલો?

કેસ KSBL દ્વારા રૂ. 2,300 કરોડની સિક્યોરિટીઝના ગેરઉપયોગથી સંબંધિત છે. આ સિક્યોરિટીઝ 95,000 થી વધુ ગ્રાહકો સાથે સંકળાયેલી હતી. KSBL એ આ સિક્યોરિટીઝ માત્ર એક જ ડીમેટ ખાતા દ્વારા ગીરવે મુકી હતી. સિક્યોરિટીઝ ગીરવે મૂકીને એકત્ર કરાયેલા નાણાનો ઉપયોગ KSBL દ્વારા પોતાના અને તેના જૂથની સંસ્થાઓ માટે કરવામાં આવ્યો હતો.

8 બેંકોમાંથી રૂપિયા મેળવ્યા હતા

KSBL એ આઠ બેંકો/નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) પાસેથી ગીરવે મુકેલી સિક્યોરિટીઝ દ્વારા રૂ. 851.43 કરોડ એકત્ર કર્યા હતા.

આ આદેશ જારી કરાયો

મંગળવારે એક્સ્ચેન્જ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર “એમાં કોઈ શંકા નથી કે  KSBL એ  ગ્રાહકોની સિક્યોરિટીઝને અનધિકૃત રીતે ગીરવે મુકી હતી. આવી સ્થિતિમાં તે પોતે જ નુકસાન માટે જવાબદાર હતી. તેણે સિક્યોરિટીઝ ગીરવે મુકી જે તેની પાસે ન હતી. આના પરિણામે રોકાણકારો તેમજ KSBL ને ધિરાણ આપતી બેંકો અને NBFC ને નુકસાન થયું.

KSBL BSE અને NSE  નો મેમ્બર છે

SEBIએ જણાવ્યું હતું કે KSBL BSE અને NSEના સભ્ય હોવાને કારણે એક્સચેન્જોની નિયમનકારી દેખરેખ હેઠળ હતું. બંને એક્સચેન્જો KSBL દ્વારા ભંડોળના ગેરઉપયોગને શોધવામાં ‘બેદરકારી’ માટે જવાબદાર છે.

આ પણ વાંચો : Sri Lanka Economic Crisis : શ્રીલંકાને પાસે ડીઝલ ખરીદવા માટે પૈસા નથી, સરકારી તીજોરીમાં વિદેશી મુદ્રા તળિયા ઝાટક

આ પણ વાંચો :  રિલાયન્સ કેપિટલની ડેટ રિઝોલ્યુશન પ્રક્રિયાને લઈને એડમિનિસ્ટ્રેટર અને ધિરાણકર્તાઓ વચ્ચે મતભેદ, જાણો શું છે સમગ્ર મામલો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

Follow Us
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">