Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Myanmar : સેનાના હેલિકોપ્ટર દ્વારા સ્કૂલ પર હવાઈ હુમલો, 7 બાળકો સહિત 13ના મોત, ઘણા ઘાયલ

મ્યાનમારમાં સૈન્ય હેલિકોપ્ટરોએ એક શાળા અને એક ગામ પર હુમલો કર્યો. આ હુમલામાં 7 બાળકો સહિત 13 લોકોના મોત થયા છે. આ સિવાય ઘણા લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે.

Myanmar : સેનાના હેલિકોપ્ટર દ્વારા સ્કૂલ પર હવાઈ હુમલો, 7 બાળકો સહિત 13ના મોત, ઘણા ઘાયલ
Myanmar Air attack on school by army helicopter (symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 6:38 AM

મ્યાનમારમાં સૈન્ય હેલિકોપ્ટરોએ (Military helicopters) એક શાળા અને એક ગામ પર હુમલો કર્યો. આ હુમલામાં 7 બાળકો સહિત 13 લોકોના મોત થયા છે. આ સિવાય ઘણા લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે. સ્કૂલ એડમિનિસ્ટ્રેટર અને એક મદદનીશ કર્મચારીએ સોમવારે આ જાણકારી આપી. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો શુક્રવારે મ્યાનમારના (Myanmar) બીજા સૌથી મોટા શહેર મંડલેથી લગભગ 110 કિમી દૂર તબાયિનના લેટ યાટ કોન ગામમાં થયો હતો.

શાળાના એક પ્રશાસકે જણાવ્યું કે ગામની ઉત્તરે ફરતા ચારમાંથી બે Mi-35 હેલિકોપ્ટરે મશીનગન અને ભારે હથિયારોથી શાળા પર હુમલો કરવાનું શરૂ કર્યું, વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ ફ્લોર પરના વર્ગખંડોમાં સુરક્ષિત સ્થાનો પર ખસેડવાનો પ્રયાસ કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે શાળામાં છ વિદ્યાર્થીઓના મોત થયા હતા અને નજીકના ગામમાં એક 13 વર્ષના છોકરાની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

સત્તા પલટા બાદ મ્યાનમારની સ્થિતિ વણસી છે

તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2021માં મ્યાનમારમાં સેના દ્વારા કરવામાં આવેલા તખ્તાપલટ બાદ ત્યાંની સ્થિતિ સતત બગડી રહી છે. મ્યાનમારમાં પણ શ્રીલંકા અને પાકિસ્તાન જેવી આર્થિક સંકટની સ્થિતિ સર્જાઈ રહી છે. અહીં પણ વિદેશી મુદ્રા ભંડારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી 2021ના તખ્તાપલટ પછી પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે મ્યાનમારનું વિદેશી દેવું વધ્યું છે અને કોવિડ રોગચાળાએ દેશની અર્થવ્યવસ્થાને ખરાબ રીતે અસર કરી છે.

બે SIM Card ધરાવતા યુઝર્સ માટે Jioનો બેસ્ટ પ્લાન ! જાણો કિંમત અને ફાયદા
ઘરમાં સ્નેક પ્લાન્ટ લગાવવો શુભ કે અશુભ? જાણો કઈ વાતો આપે છે સંકેત
UAEમાં નથી સોનાની ખાણ ! તો પછી દુબઈમાં કેમ સસ્તું મળે છે સોનું?
આજનું રાશિફળ તારીખ : 07-03-2025
મારો પ્રેમ... આવું કહી ગળે લાગી ગઈ સારા તેંડુલકર, જાણો કોણ છે ?
વિનેશ ફોગાટને મળ્યા સારા સમાચાર, પહેલીવાર મળશે આ ખુશી

હજારો લોકો દેશ છોડી રહ્યા છે

મ્યાનમારમાં હજારો લોકો દેશ છોડી રહ્યા છે. ત્યાંથી આવીને લોકો ભારતમાં આશરો લઈ રહ્યા છે. ભારતમાં મિઝોરમમાં અત્યાર સુધીમાં હજારો લોકો પ્રવેશી ચૂક્યા છે. ગયા મહિને મિઝોરમના એક સ્થાનિક નેતાએ આ માહિતી આપી હતી. જોખાવથર વિલેજ કાઉન્સિલના પ્રમુખ લાલમુઆનપુઈયાએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, રવિવારથી મ્યાનમારમાંથી સેંકડો લોકો મિઝોરમમાં પ્રવેશ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">