Surat : ઉનાળાની શરૂઆતમાં ‘પૂર’ જેવા દ્રશ્યો ! ઉશ્કેર નજીક આવેલી કેનાલમાં મોટું ભંગાણ, ખેતરમાં ફરી વળ્યા પાણી, જુઓ Video
સુરતમાં માંડવીના ઉશ્કેર નજીક આવેલી કેનાલમાં મોટું ભંગાણ થયું છે. કેનાલના ભંગાણના કારણે પાણી નજીકના ખેતરોમાં પહોંચી ગયાં છે. જેનાથી ખેડૂતોને ભારે નુકસાન થવાની સંભાવના છે.
સુરતમાં માંડવીના ઉશ્કેર નજીક આવેલી કેનાલમાં મોટું ભંગાણ થયું છે. કેનાલના ભંગાણના કારણે પાણી નજીકના ખેતરોમાં પહોંચી ગયાં છે. જેનાથી ખેડૂતોને ભારે નુકસાન થવાની સંભાવના છે. હાલ સિંચાઈ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. જોકે હજુ સુધી પાણીનો પ્રવાહ બંધ થતાં કલાકોનો સમય લાગી શકે છે. પાણીનો પ્રવાહ રોકાઈ નથી રહ્યો ત્યારે ખેડૂતોને પાકને નુકસાન થવાનો ભય છે. નોંધનીય છે કે આ અગાઉ પણ આ કેનાલમાં ભંગાણ થયું હતું.જેના કારણે કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉભા પાક પર ફરી વળ્યાં પાણી
માંડવી ઉશ્કેર નજીક કેનાલના ભંગાણ બાદ હાલ પાળો બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ પાણીનો પ્રવાહ હજુ સુધી બંધ નથી થઈ રહ્યો અને ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે. ત્યારે આ મુદ્દે સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું કે ‘વહેલી સવારે ત્રણ વાગ્યે અમને એક ખાતેદારનો કોલ આવ્યો હતો કે કેનાલમાં આ સ્થળે એક ભંગાણ પડ્યું છે. ત્યારબાદ તપાસ કરાવતા વિગત સાચી હોવાની જાણ થઈ અને તુરંત ઝીરો એચઆરમાંથી અમે તાત્કાલિક મેઇન કેનાલના દરવાજા બંધ કરાવ્યાં અને એસ્કેપ ઓપન કરાવી પાણી ડાયવર્ટ કર્યું હતું. હાલ યુદ્ધના ધોરણે કેનાલના સમારકામની કામગીરી શરૂ થઈ ચુકી છે. જે બે દિવસમાં પૂર્ણ થઈ જશે.
કેનાલમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ
મહત્વનું છે કે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ટૂંક સમયમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થશે.એવા સમયે કેનાલમાં ભંગાણ થવાના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જોકે તંત્રના ભ્રષ્ટાચારના ભોગે ખેડૂતોને નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
