વાઈનશોપની પરમિશન માટે તોડી પડાયું શિવ મંદિર, સેલવાસના સ્થાનિકો 25 વર્ષથી કરતા હતા પૂજા

સેલવાસ-વાપી રોડ પર 25 વર્ષથી મહાદેવનું એક મંદિર આવેલું હતું. જેને તોડી પડાતા સ્થાનિકોમાં રોષ છે. અહેવાલ પ્રમાણે વાઈનશોપની પરમિશન માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે.

વાઈનશોપની પરમિશન માટે તોડી પડાયું શિવ મંદિર, સેલવાસના સ્થાનિકો 25 વર્ષથી કરતા હતા પૂજા
People are angry on demolition of Shiva temple to get permission for wine shop in Silvassa-Vapi road
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 4:44 PM

સેલવાસમાં એક એવી ઘટના બની છે જેના કારણે ધાર્મિક લોકોની લાગણી દુભાઈ. અને બાદમાં તેમણે આ મુદ્દે કલેક્ટર પાસે જવાનું નક્કી કર્યું. વાત જાણે એમ છે કે એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર સેલવાસ વાપી રોડ પર એક વાઈનશોપને મંજુરી મળે તે માટે મંદિર તોડી પાડવામાં આવ્યું. ખરેખરમાં તો ભગવાન શિવનું આ મંદિર 25 વર્ષ જૂનું હતું. વાઈનશોપની મંજુરી માટે મંદિરને હટાવવાના કારણે સ્થાનિક લોકોની લાગણી દુભાઈ છે.

25 વર્ષ જૂનું મંદિર તોડતા વિવાદ

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સેલવાસમાં સાયોના હોસ્પિટલની બાજુમાં મહાદેવનું મંદિર આવ્યું હતું. જે 25 વર્ષ કરતા પણ જુનું હતું. જેને વાઈનશોપની મંજૂરી માટે તોડી પાડવામાં આવ્યું. બાદમાં મામલો કલેક્ટર ઓફીસ પહોંચ્યો. સ્થાનિકોની લાગણી દુભાતા તેમણે કલેક્ટર ઓફીસના દરવાજા ખખડાવ્યા અને કલેક્ટરને આ બાબતે લેખિતમાં રજૂઆત કરી છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

લોકો વર્ષોથી મંદિરમાં કરતા હતા પૂજા

અહેવાલમાં સ્થાનિક રહેવાસીના મત પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે જીતાલ બારની બાજુમાં મહાદેવનું મંદિર આવેલું હતી. જેમાં ભગવાન શિવની મૂર્તિ અને શિવલિંગ આવેલું હતું. મંદિર સાથે હજારો ભક્તોની આસ્થા જોડાયેલી હતી. લોકો વર્ષોથી મંદિરમાં પૂજા, આરતી અને સ્તુતિ કરતા હતા. અહેવાલમાં સ્થાનિકે જણાવ્યું છે કે અચાનક મંદિર, મૂર્તિ અને શિવલિંગ તોડી પાડવામાં આવ્યું. કોઈ અસામાજિક તત્વો દ્વારા કે પછી કોઈ સ્વાર્થ માટે કોઈએ સમજીવિચારીને આ કૃત્ય કર્યું છે.

ફરીથી મંદિર બનાવવાની માંગ

વર્ષો જૂનું મંદિર નામશેષ થઇ જતા સ્થાનિકોમાં રોષ છે. સેલવાસના રહેવાસી તેમજ મંદિરની આજુબાજુ રહેતા સોસાયટીના લોકોને ઘણું દુઃખ અને આઘાત લાગ્યો છે. આ કારણે આ ઘટનાનો ભારે વિરોધ થઇ રહ્યો છે. સમગ્ર મામલે લોકો દ્વારા કલેકટર ઓફીસમાં અરજી આપવામાં આવી છે. અને પ્રશાસન દ્વારા આ મામલે જલ્દીથી જલ્દી પગલા ભરવામાં આવે. તેમજ લોકોની ભાવનાને ધ્યાનમાં રાખીને ફરીથી આ મંદિરનું નિર્માણ કરવાની માંગ લોકોમાં ઉઠી છે.

આ પણ વાંચો: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળની શપથવિધિ ગુરુવારે 16મી સપ્ટેમ્બરના રોજ બપોરના 1.30 કલાકે યોજાશે

આ પણ વાંચો: Gujarat માં મંત્રીમંડળની રચનાને લઇને પેચ ફસાયો, ચાર નારાજ ધારાસભ્ય પૂર્વ સીએમ રૂપાણીને મળવા પહોંચ્યા : સૂત્ર

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">