AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari: ડાંગરની ખેતીમાં થતો મોંઘોદાટ ખર્ચ ઘટાડવાની દિશામાં નવસારીના ખેડૂતોની પહેલ, પોખીને ડાંગરની વાવણીની કરી શરૂઆત

Navsari: નવસારીમાં ખેડૂતોએ પોખીને ડાંગરની વાવણી કરવા જેવી જૂની પદ્ધતિ અપવાની છે. આ પદ્ધતિથી તેઓ સારુ ઓછા ખર્ચે સારુ ઉત્પાદન મેળવી રહ્યા છે. ડાંગરના પાકના કારણે પૌવા ઉદ્યોગ એટલો વિકાસ પામ્યો છે કે સમગ્ર જિલ્લાના પૌવા નિકાસ કરવામાં આવે છે.

Navsari: ડાંગરની ખેતીમાં થતો મોંઘોદાટ ખર્ચ ઘટાડવાની દિશામાં નવસારીના ખેડૂતોની પહેલ, પોખીને ડાંગરની વાવણીની કરી શરૂઆત
Nilesh Gamit
| Edited By: | Updated on: Jul 27, 2023 | 10:19 PM
Share

દક્ષિણ ગુજરાતને ડાંગર અને શેરડીનું હબ ગણવામાં આવે છે. જેમાં શેરડી બાદ ડાંગરની સૌથી વધુ ખેતી કરવામાં આવે છે. શેરડીને સંલગ્ન સહકારી સુગર ફેક્ટરીઓ ખૂબ મોટા પાયા પર વિકાસ પામી છે. તેવી જ રીતે ડાંગર સાથે જોડાયેલી પૌવા મિલો પણ ખૂબ મોટા પાયે વિકાસ પામી છે.

ડાંગરના પાકના કારણે પૌવા ઉદ્યોગ એટલો બધો વિકાસ પામ્યો છે કે સમગ્ર દેશમાં નવસારી જિલ્લાના પૌવા નિકાસ કરવામાં આવે છે અને સારી એવી રકમ ઉદ્યોકારો મેળવી રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાસાયણિક ખાતરોના મોંઘા ભાવો મજૂરોની ઘટ અને ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને પગલે નવસારી જિલ્લાના ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

ઉનાળુ- ચોમાસુ બંને સીઝનમાં થાય છે ડાંગરની રોપણી

એક અંદાજ મુજબ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બે લાખથી વધુ હેક્ટરમાં ડાંગરનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાં નવસારી જિલ્લો ડાંગર ઉત્પાદનમાં અવ્વલ નંબરે ગણાય છે. ઉનાળુ અને ચોમાસુ એમ બંને સીઝનમાં ડાંગરની રોપણી અને વાવણી કરવામાં આવે છે જે નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોની આજીવિકાનો સૌથી મોટો સ્ત્રોત ગણવામાં આવે છે.

ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો ખેડૂતો માટે માથાનો દુ:ખાવો બને છે. ત્યારે નવસારી જિલ્લાના ગામના એક ખેડૂતે છેલ્લા એક દસકાથી ડાંગરની વાવણીમાં નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેના કારણે ખેડૂતોને એક વીઘામાં સાડા પાંચ હજાર રૂપિયા જેટલો ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉત્પાદન પણ સારું એવું થાય છે.

પોંખીને ડાંગણની વાવણીમાં ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકશે- પ્રગતિશીલ ખેડૂત

નવસારી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા સદલાવ ગામના પીનાકીનભાઈ પટેલ એક પ્રગતિશીલ ખેડૂત છે તેમણે પોખીને ડાંગરની વાવણી કરવી જેવી જુનવાણી ખેતી પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો છે અને સારું એવું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે.

પોખીને ડાંગરની વાવણી કરવી એટલે ઉનાળા દરમિયાન ડાંગરની કાપણી કરી લીધા બાદ ખેડ કરીને ખેતરને રહેવા દેવું અને ચોમાસાનો પહેલો વરસાદ પડે પછી કચરો ઊગી નીકળ્યા બાદ એકવાર ફરીથી કલ્ટીવેટરથી ખેતરને ખેડીને જમીન પોંચી કરી દેવી અને ત્યારબાદ પાણી ભરાયેલી હાલતમાં રહેવા દેવું.

જેમ રોપણી કરવા માટે ખેતર તૈયાર કરવામાં આવે છે. તેમ મજૂરોને કોઈપણ વાસણમાં ડાંગર ખેતરમાં વળવાનું હોય છે અને ત્યારબાદ ખેતરમાં જરૂરિયાત મુજબ પાણી ભરી દેવાનું હોય છે. આ જુનવાણી પદ્ધતિથી પિનાકીનભાઈ પટેલ છેલ્લા એક દશકથી સારું એવું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે.

પોંખીને ડાંગરની વાવણીમાં ઉત્પાદન ખર્ચ ઘટે છે

ખેતરમાં ચોમાસુ ડાંગરની વાવણી માટે ટ્રેક્ટર દ્વારા ઘાવલ કરવું, ધરું ઉગાડવો, ધરું ઉખેડવો, રોપણી કરવી જેવા ખર્ચમાં ઘટાડો થાય છે. પોખવાની પદ્ધતિમાં ડાંગર સીધુ જ ખેતરમાં છાટી દેવામાં આવે છે. જેના કારણે ખર્ચ ઘટે છે.

માત્ર નિંદામણનો ખર્ચ કરવો પડે છે. પોખીને ડાંગરની વાવણી કરવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે. એક વીઘામાં ઓછામાં ઓછા સાડા પાંચ હજાર રૂપિયા જેટલાની બચત થાય છે. આ જુનવાણી પદ્ધતિ ફરીથી જો ખેડૂતો અપનાવશે તો ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી શકશે અને સારી એવી આવક પણ મેળવી શકશે.

આ પણ વાંચો : Navsari Video : કાવેરી નદીના જળસ્તરમાં વધારો, આંતલિયા અને ઊંડાજ ગામને જોડતો લૉ લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થતા હાલાકી

જુની પદ્ધતિથી ખેતી સાવધાનીપૂર્વક કરવી જરૂરી

કૃષિ યુનિવર્સિટીના ડાંગર સંશોધન વિભાગના પ્રાધ્યાપક કિંજલ શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પોખીને ડાંગર રોપણી પદ્ધતિ એ આપણી ખેતી પદ્ધતિની જૂની રીત છે. એને ફરીથી અપનાવવામાં આવે તો ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરીને આવકમાં વધારો કરી શકાય છે પરંતુ એ સાવધાનીપૂર્વક કરવાની હોય છે.

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">