AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agriculture: પૂરના કારણે ડાંગરનો પાક નાશ પામ્યો, હવે ખેડૂતોને મફતમાં મળશે છોડ

દરડ ગામના ખેડૂતો પૂરગ્રસ્ત ખેડૂતોને વિનામૂલ્યે ડાંગરનું બિયારણ આપશે. પૂર પ્રભાવિત ખેડૂતોની મદદ માટે દરડ ગામમાં 8 એકરમાં ડાંગરની નર્સરી તૈયાર કરવામાં આવી રહી છે. આ નર્સરી 20 થી 25 દિવસમાં તૈયાર થઈ જશે.

Agriculture: પૂરના કારણે ડાંગરનો પાક નાશ પામ્યો, હવે ખેડૂતોને મફતમાં મળશે છોડ
Paddy Crop
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 6:24 PM
Share

દર વર્ષે પૂર અને વરસાદને (Heavy Rain) કારણે અનેક વિસ્તારમાં ડાંગરનો પાક (Paddy Crop) બરબાદ થઈ જાય છે. જેના કારણે ખેડૂતોને (Farmers) ઘણું આર્થિક નુકસાન વેઠવું પડે છે. ડાંગરનો પાક નિષ્ફળ જવાને કારણે ઘણા ખેડૂતો દેવામાં ડૂબી જાય છે. પરંતુ હવે ખેડૂતોને પૂરના કારણે ડાંગરનો પાક નાશ પામવાની ચિંતા કરવાની જરૂર નથી. હવે તેમને ડાંગરના છોડ મફતમાં આપવામાં આવશે, જેથી તેઓ સમયસર તેની વાવણી કરી શકે.

ડાંગરનું વાવેતર 15 થી 20 દિવસ પહેલા જ થયું હતું

આ વખતે હરિયાણાના કરનાલ જિલ્લામાં પૂરને કારણે ઘણી તબાહી મચી છે. ઈન્દ્રી વિસ્તારના અનેક ગામોમાં પૂરના કારણે ડાંગરનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. ડાંગરનું વાવેતર 15 થી 20 દિવસ પહેલા જ થયું હતું. અચાનક આવેલા પૂરના પાણીની સાથે ડાંગરનો પાક પણ વહી ગયો હતો. જેના કારણે ખેડૂતો ભારે પરેશાન છે.

હાલમાં ખેડૂતો પાસે ખેતી કરવા માટે ડાંગરના છોડ નથી. પરંતુ કેટલાક ખેડૂતોએ પૂર પ્રભાવિત લોકોની પીડા સમજીને ડાંગરના છોડ મફતમાં આપવાનું નક્કી કર્યું. આ સાથે તેઓ પૂર પ્રભાવિત લોકોને ડાંગર રોપવામાં પણ મદદ કરશે.

નર્સરી 20 થી 25 દિવસમાં તૈયાર થઈ જશે

કરનાલના દરડ ગામના ખેડૂતોએ પૂર પ્રભાવિત ખેડૂતોની મદદ માટે આ પહેલ કરી છે. દરડ ગામના ખેડૂતો પૂરગ્રસ્ત ખેડૂતોને વિનામૂલ્યે ડાંગરનું બિયારણ આપશે. પૂર પ્રભાવિત ખેડૂતોની મદદ માટે દરડ ગામમાં 8 એકરમાં ડાંગરની નર્સરી તૈયાર કરવામાં આવી રહી છે. આ નર્સરી 20 થી 25 દિવસમાં તૈયાર થઈ જશે. જે ખેડૂતો ડાંગરની ખેતી કરવા માંગતા હોય તેઓ આ ગામમાં આવીને વિનામૂલ્યે ડાંગરની નર્સરી લઈ શકે છે.

આ પણ વાંચો : PM Kisan Scheme: 15 લાખ ખેડૂતો પીએમ કિસાન યોજનાના 14 માં હપ્તાથી રહી શકે છે વંચિત, જાણો કારણ

આ ખેડૂતોને મફતમાં આપવામાં આવશે ડાંગરના છોડ

8 એકરની નર્સરીમાંથી લગભગ 1500 એકરમાં ડાંગરનું વાવેતર કરી શકાય છે. આવી સ્થિતિમાં પૂરના પાણીથી જે ખેડૂતોનો પાક નાશ પામ્યો છે તેઓને ફરીથી ડાંગરની વાવણી કરવાનો વારો આવ્યો છે. કેટલાક ખેડૂતોએ કોન્ટ્રાક્ટ પર જમીન લઈને ખેતી કરી હતી. તેથી પૂરના કારણે તેમને ઘણું નુકસાન થયું છે. આ જ કારણ છે કે કોન્ટ્રાક્ટ પર જમીનની ખેતી કરતા ખેડૂતોને ડાંગરના રોપા વિનામૂલ્યે આપવામાં આવશે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">