AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agriculture: પૂરના કારણે ડાંગરનો પાક નાશ પામ્યો, હવે ખેડૂતોને મફતમાં મળશે છોડ

દરડ ગામના ખેડૂતો પૂરગ્રસ્ત ખેડૂતોને વિનામૂલ્યે ડાંગરનું બિયારણ આપશે. પૂર પ્રભાવિત ખેડૂતોની મદદ માટે દરડ ગામમાં 8 એકરમાં ડાંગરની નર્સરી તૈયાર કરવામાં આવી રહી છે. આ નર્સરી 20 થી 25 દિવસમાં તૈયાર થઈ જશે.

Agriculture: પૂરના કારણે ડાંગરનો પાક નાશ પામ્યો, હવે ખેડૂતોને મફતમાં મળશે છોડ
Paddy Crop
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 6:24 PM
Share

દર વર્ષે પૂર અને વરસાદને (Heavy Rain) કારણે અનેક વિસ્તારમાં ડાંગરનો પાક (Paddy Crop) બરબાદ થઈ જાય છે. જેના કારણે ખેડૂતોને (Farmers) ઘણું આર્થિક નુકસાન વેઠવું પડે છે. ડાંગરનો પાક નિષ્ફળ જવાને કારણે ઘણા ખેડૂતો દેવામાં ડૂબી જાય છે. પરંતુ હવે ખેડૂતોને પૂરના કારણે ડાંગરનો પાક નાશ પામવાની ચિંતા કરવાની જરૂર નથી. હવે તેમને ડાંગરના છોડ મફતમાં આપવામાં આવશે, જેથી તેઓ સમયસર તેની વાવણી કરી શકે.

ડાંગરનું વાવેતર 15 થી 20 દિવસ પહેલા જ થયું હતું

આ વખતે હરિયાણાના કરનાલ જિલ્લામાં પૂરને કારણે ઘણી તબાહી મચી છે. ઈન્દ્રી વિસ્તારના અનેક ગામોમાં પૂરના કારણે ડાંગરનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. ડાંગરનું વાવેતર 15 થી 20 દિવસ પહેલા જ થયું હતું. અચાનક આવેલા પૂરના પાણીની સાથે ડાંગરનો પાક પણ વહી ગયો હતો. જેના કારણે ખેડૂતો ભારે પરેશાન છે.

હાલમાં ખેડૂતો પાસે ખેતી કરવા માટે ડાંગરના છોડ નથી. પરંતુ કેટલાક ખેડૂતોએ પૂર પ્રભાવિત લોકોની પીડા સમજીને ડાંગરના છોડ મફતમાં આપવાનું નક્કી કર્યું. આ સાથે તેઓ પૂર પ્રભાવિત લોકોને ડાંગર રોપવામાં પણ મદદ કરશે.

નર્સરી 20 થી 25 દિવસમાં તૈયાર થઈ જશે

કરનાલના દરડ ગામના ખેડૂતોએ પૂર પ્રભાવિત ખેડૂતોની મદદ માટે આ પહેલ કરી છે. દરડ ગામના ખેડૂતો પૂરગ્રસ્ત ખેડૂતોને વિનામૂલ્યે ડાંગરનું બિયારણ આપશે. પૂર પ્રભાવિત ખેડૂતોની મદદ માટે દરડ ગામમાં 8 એકરમાં ડાંગરની નર્સરી તૈયાર કરવામાં આવી રહી છે. આ નર્સરી 20 થી 25 દિવસમાં તૈયાર થઈ જશે. જે ખેડૂતો ડાંગરની ખેતી કરવા માંગતા હોય તેઓ આ ગામમાં આવીને વિનામૂલ્યે ડાંગરની નર્સરી લઈ શકે છે.

આ પણ વાંચો : PM Kisan Scheme: 15 લાખ ખેડૂતો પીએમ કિસાન યોજનાના 14 માં હપ્તાથી રહી શકે છે વંચિત, જાણો કારણ

આ ખેડૂતોને મફતમાં આપવામાં આવશે ડાંગરના છોડ

8 એકરની નર્સરીમાંથી લગભગ 1500 એકરમાં ડાંગરનું વાવેતર કરી શકાય છે. આવી સ્થિતિમાં પૂરના પાણીથી જે ખેડૂતોનો પાક નાશ પામ્યો છે તેઓને ફરીથી ડાંગરની વાવણી કરવાનો વારો આવ્યો છે. કેટલાક ખેડૂતોએ કોન્ટ્રાક્ટ પર જમીન લઈને ખેતી કરી હતી. તેથી પૂરના કારણે તેમને ઘણું નુકસાન થયું છે. આ જ કારણ છે કે કોન્ટ્રાક્ટ પર જમીનની ખેતી કરતા ખેડૂતોને ડાંગરના રોપા વિનામૂલ્યે આપવામાં આવશે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
દમણમાં મોનસુનન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુનન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
g clip-path="url(#clip0_868_265)">