Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન, ટ્રેડ શોના ઉદ્ઘાટન બાદ UAE પ્રમુખ સાથે કરશે રોડ શો

વડાપ્રધાન આજે 10 કલાકે મહાત્મા મંદિર જશે. જ્યાં અન્ય દેશના વડા સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ વાતચીત અને મુલાકાત લગભગ 2 કલાક સુધી ચાલશે. તો બપોરે 2 કલાકે રાજભવન જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પછી બપોરે 3 કલાકે હેલિપેડ ગ્રાઉન્ડની મુલાકાત લેશે.

વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન, ટ્રેડ શોના ઉદ્ઘાટન બાદ UAE પ્રમુખ સાથે કરશે રોડ શો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2024 | 8:09 AM

વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઇ વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન થઇ ચૂક્યું છે. સમિટ પહેલા વડાપ્રધાન ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. તેઓ બપોરે ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે અને સાંજે UAEના પ્રમુખ સાથે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી મેગા રોડ શો કરશે. આ દરમિયાન 15 સ્ટેજો પર સાંસ્કૃતિક નૃત્યોનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

UAEના વડા સાથે PM મોદી કરશે રોડ શો

તેમના આજના સમગ્ર કાર્યક્રમ વિશે વાત કરીએ તો વડાપ્રધાન આજે 10 કલાકે મહાત્મા મંદિર જશે. જ્યાં અન્ય દેશના વડા સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ વાતચીત અને મુલાકાત લગભગ 2 કલાક સુધી ચાલશે. તો બપોરે 2 કલાકે રાજભવન જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પછી બપોરે 3 કલાકે હેલિપેડ ગ્રાઉન્ડની મુલાકાત લેશે. જે બાદ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે અને સાંજે 4 કલાકે ફરી મહાત્મા મંદિર જવા રવાના થશે. મહત્વનું છે સાંજે 5 કલાકે UAEના વડાનું PM કરશે સ્વાગત અને ત્યારપછી UAEના વડા સાથે એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સુધી રોડ શો યોજશે. બંને મહાનુભાવોના રોકાવવા માટે ગાંધીનગરની હોટેલ લીલામાં વ્યવસ્થા કરાઇ છે.

ગુજરાતમાં આગમન બાદ PM મોદીનું ટ્વીટ

ગુજરાત આગમન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ હતુ. તેમણે લખ્યુ હતુ કે મોહમ્મદ બિન ઝાયદની ગુજરાત મુલાકાત સ્પેશિયલ છે. વાઇબ્રન્ટ ગુજરાત સાથે ખૂબ નજીકથી જોડાયેલો છું. રાજ્યના વિકાસમાં વાઇબ્રન્ટ ગુજરાત ખૂબ મહત્વનું છે. લોકોને તક આપવા માટે આ માધ્યમનો ખુબ મોટો ફાળો છે.

IPL 2025માં આ મોટા રેકોર્ડ તૂટશે
Engine Oil Expiry : કાર કે બાઇકનું ઓઇલ કેટલા સમય પછી બદલવું ?
IPLમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકનારા 5 બોલરો
IPL 2025ની 10 ટીમોના કેપ્ટન જુઓ
ચહલથી છૂટાછેડા બાદ ધનશ્રીનું ગીત ચર્ચામાં, બતાવી બેવફાઈ, તો યુઝર્સે કરી ટ્રોલ
જો તમારા ફોનમાં દેખાય આ 5 સંકેત, તો સમજો હેક થઈ ગયો છે તમારો ફોન !

ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે

ગુજરાત પ્રવાસના પહેલા દિવસે એટલે કે 9મી જાન્યુઆરીએ એટલે કે આજે PM મોદી ગાંધીનગર ખાતે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે. આશરે 2 લાખ ચોરસ મીટરમાં પથરાયેલા ગ્લોબલ ટ્રેડ શોમાં પાર્ટનર કન્ટ્રી તરીકે 33 દેશના ગ્લોબલ લીડર્સ ભાગ લેશે. સાથે જ 100થી વધુ ગ્લોબલ લીડર્સ પણ આ શોમાં હાજરી આપશે. 10 અને 11 જાન્યુઆરીના રોજ બિઝનેસ વિઝિટર્સ ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો રહેશે. જ્યારે 12 અને 13 જાન્યુઆરીના રોજ જાહેર જનતા ટ્રેડ શોની મુલાકાત લઇ શકશે.

આ પણ વાંચો-9 જાન્યુઆરીના મહત્વના સમાચાર : ભારત પ્રથમ વખત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા કરશે

શું છે ગ્લોબલ ટ્રેડ શોની વિશેષતા ?

ગ્લોબલ ટ્રેડ શોની વિશેષતા પર નજર કરીએ તો IT આધારીત સેવાઓ ક્ષેત્રના સંશોધનો અને સિદ્ધિઓની માહિતી આપવામાં આવશે. રાજ્યના વૈવિધ્યપૂર્ણ અને ભાતિગળ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરાશે. 350થી વધુ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સ્ટોલની ફાળવણી કરાઇ છે. ઇ-મોબિલિટી પેવેલનિયન દ્વારા ભાવિ પરિવહનનું અનાવરણ કરાશે. બ્લ્યૂ ઇકોનોમિ પેવેલિયનમાં દરિયાઇ ઉદ્યોગોના વિકાસનું પ્રદર્શન યોજાશે. નોલેજ ઇકોનોમી અને સ્ટાર્ટઅપ ડોમમાં ઉભરતા સાહસોનું નિદર્શન કરાશે. સાથે જ આત્મનિર્ભર ભારતને ગતિશિલ બનાવતા ઔધોગીક સાહસોનું પ્રદર્શન પણ યોજાશે. આમ ગ્લોબલ ટ્રેડ શોમાં વિકસીત ભારતનું ચિત્ર રજૂ કરાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
g clip-path="url(#clip0_868_265)">