Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન, ટ્રેડ શોના ઉદ્ઘાટન બાદ UAE પ્રમુખ સાથે કરશે રોડ શો

વડાપ્રધાન આજે 10 કલાકે મહાત્મા મંદિર જશે. જ્યાં અન્ય દેશના વડા સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ વાતચીત અને મુલાકાત લગભગ 2 કલાક સુધી ચાલશે. તો બપોરે 2 કલાકે રાજભવન જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પછી બપોરે 3 કલાકે હેલિપેડ ગ્રાઉન્ડની મુલાકાત લેશે.

વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન, ટ્રેડ શોના ઉદ્ઘાટન બાદ UAE પ્રમુખ સાથે કરશે રોડ શો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2024 | 8:09 AM

વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઇ વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન થઇ ચૂક્યું છે. સમિટ પહેલા વડાપ્રધાન ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. તેઓ બપોરે ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે અને સાંજે UAEના પ્રમુખ સાથે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી મેગા રોડ શો કરશે. આ દરમિયાન 15 સ્ટેજો પર સાંસ્કૃતિક નૃત્યોનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

UAEના વડા સાથે PM મોદી કરશે રોડ શો

તેમના આજના સમગ્ર કાર્યક્રમ વિશે વાત કરીએ તો વડાપ્રધાન આજે 10 કલાકે મહાત્મા મંદિર જશે. જ્યાં અન્ય દેશના વડા સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ વાતચીત અને મુલાકાત લગભગ 2 કલાક સુધી ચાલશે. તો બપોરે 2 કલાકે રાજભવન જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પછી બપોરે 3 કલાકે હેલિપેડ ગ્રાઉન્ડની મુલાકાત લેશે. જે બાદ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે અને સાંજે 4 કલાકે ફરી મહાત્મા મંદિર જવા રવાના થશે. મહત્વનું છે સાંજે 5 કલાકે UAEના વડાનું PM કરશે સ્વાગત અને ત્યારપછી UAEના વડા સાથે એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સુધી રોડ શો યોજશે. બંને મહાનુભાવોના રોકાવવા માટે ગાંધીનગરની હોટેલ લીલામાં વ્યવસ્થા કરાઇ છે.

ગુજરાતમાં આગમન બાદ PM મોદીનું ટ્વીટ

ગુજરાત આગમન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ હતુ. તેમણે લખ્યુ હતુ કે મોહમ્મદ બિન ઝાયદની ગુજરાત મુલાકાત સ્પેશિયલ છે. વાઇબ્રન્ટ ગુજરાત સાથે ખૂબ નજીકથી જોડાયેલો છું. રાજ્યના વિકાસમાં વાઇબ્રન્ટ ગુજરાત ખૂબ મહત્વનું છે. લોકોને તક આપવા માટે આ માધ્યમનો ખુબ મોટો ફાળો છે.

અસ્થમા શા માટે થાય છે?
આજનું રાશિફળ તારીખ 19-03-2025
ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો
IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?

ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે

ગુજરાત પ્રવાસના પહેલા દિવસે એટલે કે 9મી જાન્યુઆરીએ એટલે કે આજે PM મોદી ગાંધીનગર ખાતે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે. આશરે 2 લાખ ચોરસ મીટરમાં પથરાયેલા ગ્લોબલ ટ્રેડ શોમાં પાર્ટનર કન્ટ્રી તરીકે 33 દેશના ગ્લોબલ લીડર્સ ભાગ લેશે. સાથે જ 100થી વધુ ગ્લોબલ લીડર્સ પણ આ શોમાં હાજરી આપશે. 10 અને 11 જાન્યુઆરીના રોજ બિઝનેસ વિઝિટર્સ ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો રહેશે. જ્યારે 12 અને 13 જાન્યુઆરીના રોજ જાહેર જનતા ટ્રેડ શોની મુલાકાત લઇ શકશે.

આ પણ વાંચો-9 જાન્યુઆરીના મહત્વના સમાચાર : ભારત પ્રથમ વખત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા કરશે

શું છે ગ્લોબલ ટ્રેડ શોની વિશેષતા ?

ગ્લોબલ ટ્રેડ શોની વિશેષતા પર નજર કરીએ તો IT આધારીત સેવાઓ ક્ષેત્રના સંશોધનો અને સિદ્ધિઓની માહિતી આપવામાં આવશે. રાજ્યના વૈવિધ્યપૂર્ણ અને ભાતિગળ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરાશે. 350થી વધુ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સ્ટોલની ફાળવણી કરાઇ છે. ઇ-મોબિલિટી પેવેલનિયન દ્વારા ભાવિ પરિવહનનું અનાવરણ કરાશે. બ્લ્યૂ ઇકોનોમિ પેવેલિયનમાં દરિયાઇ ઉદ્યોગોના વિકાસનું પ્રદર્શન યોજાશે. નોલેજ ઇકોનોમી અને સ્ટાર્ટઅપ ડોમમાં ઉભરતા સાહસોનું નિદર્શન કરાશે. સાથે જ આત્મનિર્ભર ભારતને ગતિશિલ બનાવતા ઔધોગીક સાહસોનું પ્રદર્શન પણ યોજાશે. આમ ગ્લોબલ ટ્રેડ શોમાં વિકસીત ભારતનું ચિત્ર રજૂ કરાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
g clip-path="url(#clip0_868_265)">