AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લઈને, ભારતને ઈઝરાયેલ-અમેરિકાની યાદીમાં જોડી દીધુઃ અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતાં દેશની સુરક્ષા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જમ્મુ અને કાશ્મીર સમસ્યા, ડાબેરી ઉગ્રવાદ અને ઉત્તર-પૂર્વમાં વિદ્રોહનો ઉલ્લેખ કર્યો. તેમણે એમ પણ કહ્યું કે, આખી દુનિયામાં માત્ર બે જ દેશ ઈઝરાયેલ અને અમેરિકા એવા છે જે દરેક સ્તરે પોતાની સરહદો અને સેના માટે તૈયાર છે. આપણે પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લેતાની સાથે જ ભારતનુ નામ પણ ઈઝરાયેલ અને અમેરિકાની સાથેની યાદીમાં આવી ગયું છે.

પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લઈને, ભારતને ઈઝરાયેલ-અમેરિકાની યાદીમાં જોડી દીધુઃ અમિત શાહ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2025 | 4:11 PM
Share

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં પોતાના સંબોધનની શરૂઆત શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. તેમણે કહ્યું કે, દેશની આઝાદી બાદ દેશની સરહદોની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર સૈનિકોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું શહીદોના પરિવારજનોનો પણ આભાર માનું છું, જેમણે પોતાના પુત્રોને દેશની રક્ષા માટે મોકલ્યા છે. ગૃહ મંત્રાલય ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં કામ કરે છે. સીમા સુરક્ષા અને આંતરિક સુરક્ષા ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. પરંતુ જ્યારે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી રાજ્યોની હોય છે, ત્યારે આવી સ્થિતિ ઊભી થાય છે, ઘણા કિસ્સાઓમાં તે માત્ર રાજ્યોની સીમાઓ સુધી મર્યાદિત નથી.

અમિત શાહે કહ્યું કે, દેશની સરહદની બહાર પણ આપણા દેશ વિરુદ્ધ અનેક ગુનાઓ થાય છે. તેને જોતા ગૃહ મંત્રાલયમાં પણ ફેરફાર જરૂરી છે. હું પીએમ મોદીનો આભાર માનું છું જેમણે પરિવર્તન લાવી દેશને મજબૂત બનાવ્યો છે. જ્યારે ગૃહ મંત્રાલયની વાત કરવામાં આવે તો 2014 પહેલા દેશમાં ઘણા એવા મુદ્દા હતા, જે મોદી સરકારને આપવામાં આવ્યા હતા. ત્રણ સમસ્યાઓના કારણે આ દેશનો વિકાસ અટકી ગયો હતો. જે દેશની શાંતિને ખલેલ પહોંચાડી રહ્યા હતા.

ત્રણેય મુદ્દાઓ દેશ માટે કેન્સર સમાન

ગૃહમંત્રીએ કહ્યું, જમ્મુ અને કાશ્મીરની સમસ્યા (આતંકવાદ), ડાબેરી ઉગ્રવાદ અને ત્રીજી સમસ્યા ઉત્તર પૂર્વનો ઉગ્રવાદ છે. આ સમસ્યાઓના કારણે ચાર દાયકામાં દેશના લગભગ 92 હજાર નાગરિકોના મોત થયા છે. દરરોજ પડોશી દેશમાંથી આતંકવાદીઓ કાશ્મીરમાં ઘૂસીને હુમલાઓ કરતા હતા. એક પણ તહેવાર એવો નહોતો જે ચિંતા કર્યા વગર પસાર થયો હોય. અગાઉની સરકારો મૌન જાળવતી હતી. પરંતુ, મોદી સરકારમાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરવામાં આવ્યું હતું.

સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક

તેમણે કહ્યું કે, અમે સત્તામાં આવ્યા પછી ઉરી અને પુલવામામાં હુમલા થયા, પરંતુ અમે ચૂપ બેસી રહીએ એમાના અમે નથી. દસ જ દિવસમાં અમે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરી. આખી દુનિયામાં માત્ર બે જ દેશ ઈઝરાયેલ અને અમેરિકા એવા છે જે દરેક સ્તરે પોતાના દેશની સરહદ અને સેના માટે તૈયાર હોય. આ યાદીમાં ભારતનું નામ પણ હવે ઉમેરાયું છે. પીએમ મોદીના નેતૃત્વમાં આ બન્યું છે.

હવે ત્રાસવાદીનો જાહેર જનાજો નથી નીકળતો

ગૃહમંત્રીએ કહ્યું કે, કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરના યુવાનોએ આતંકવાદ તરફ ના જવાનો નિર્ણય લીધો છે. દસ વર્ષ પહેલાં, આતંકવાદીઓનું ગૌરવ સામાન્ય હતું અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા. પરંતુ હવે જ્યારે આતંકવાદીઓ માર્યા જાય છે ત્યારે તેમને ત્યાં જ દફનાવવામાં આવે છે. એક સમયે સરકારી સુવિધાઓનો આનંદ માણનારા આતંકવાદીઓના સંબંધીઓને સરકારી હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા છે, જેથી એક મજબૂત સંદેશ જાય.

ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની સાથે જોડાયેલા તમામ સમાચારો જાણવા માટે આપ અહીં ક્લિક કરો. 

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">