Gandhinagar: મુખ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને પ્રિકોશનરી ડોઝ આપવાની શરુઆત
રાજ્યમાં 6 લાખ 24 હજાર હેલ્થ વર્કર, 3 લાખ 19 હજાર ફ્રન્ટ લાઇન વર્કર મળી કુલ 6 લાખ 40 હજાર લોકોને પ્રિકોશનરી ડોઝ આપવાની અભિયાનની શરુઆત થઇ ગઇ છે. સાથે જ 60 વર્ષથી વધુ ઊંમર ધરાવતા 37 હજાર લોકોને કોરોના રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવશે.

સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ આજે 10મી જાન્યુઆરીથી, કોરોના વોરિયર્સ તરીકે ઓળખાતા આરોગ્યના કર્મચારી તેમજ 60 વર્ષથી મોટી ઉમરના નાગરિકો, ગંભીર બિમારી ધરાવનાર દર્દીઓને પ્રિકોશન ડોઝ આપવાનુ શરુ કરાયુ છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે ગાંધીનગર મહાનગર પાલિકાના સેકટર-29ના અર્બન હેલ્થ સેન્ટરમાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય પ્રધાને ગાંધીનગર મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રની મુલાકાત દરમિયાન આરોગ્ય કર્મીઓ અને વેક્સિન લેનારાઓ સાથે વાતચીત કરીને પ્રોત્સાહિત કર્યા હતા.

સમગ્ર રાજ્યમાં અંદાજે 9 લાખ લોકોને પ્રિકોશન ડોઝ આપવાના છે. પ્રથમ દિવસે રાજ્ય ભરના 3500 રસીકરણ કેન્દ્રો પરથી અંદાજે 17હજારથી વધુ આરોગ્ય કર્મીઓ આ ડોઝ અપાશે.

આ પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, આરોગ્ય વિભાગના કાર્યકારી અગ્ર સચિવ મુકેશ કુમાર, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, મહાનગર પાલિકાના પદાધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા.