Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આગામી દિવાળી સુધીમાં Nifty 22000ની સપાટીને સ્પર્શી શકે છે, જાણો નિષ્ણાતોનું અનુમાન

ભારતની વૃદ્ધિ અને વધતા સ્થાનિક રોકાણને જોતા એવું લાગે છે કે સંવત 2079માં નિફ્ટી 20000 થી 22000ની સપાટી વટાવી શકે છે. જોકે, વૈશ્વિક અર્થતંત્રમાં અનેક પડકારો છે. પરંતુ તેની સાથે એવી પણ સંભાવના છે કે આ પડકારો વચ્ચે ભારત વૈશ્વિક રોકાણકારો માટે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી શકે છે.

આગામી દિવાળી સુધીમાં Nifty 22000ની સપાટીને સ્પર્શી શકે છે, જાણો નિષ્ણાતોનું અનુમાન
India is described as the fastest growing economy in the world
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2022 | 8:30 AM

વિશ્વભરમાં મંદીનો ભય અને બજારોમાં વેચવાલીની અસર ભારતીય શેરબજાર(Share Market) પર પણ દેખાઈ રહી છે. મંદીની કટોકટી વચ્ચે અસિત સી મહેતા ફાઇનાન્સિયલ સર્વિસિસના ડિરેક્ટર આનંદ વરદરાજને ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે વર્ણવ્યું છે. તેમણે કહ્યું કે ભારતની વૃદ્ધિ અને વધતા સ્થાનિક રોકાણને જોતા એવું લાગે છે કે સંવત 2079માં નિફ્ટી 20000થી 22000ની સપાટીને પાર કરી શકે છે. વરદરાજને જણાવ્યું હતું કે બજાર સમયાંતરે બાજુ તરફ જતું જોઈ શકાય છે પરંતુ રોકાણકારોએ ઈક્વિટી માર્કેટમાં વિશ્વાસ રાખીને લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં રોકાણ કરવું જોઈએ.

જાહેર ક્ષેત્રમાં રોકાણ અંગે નિષ્ણાતોનો અભિપ્રાય

પબ્લિક સેક્ટરની હાલની સ્થિતિને જોતા, બહુ ઓછા વિશ્લેષકો છે જેઓ અહીં રોકાણની સલાહ આપશે. પરંતુ આનંદ વરદરાજન કહે છે કે આ સેક્ટરમાં ઘણી એવી કંપનીઓ છે જે રોકાણના દૃષ્ટિકોણથી ઘણી સારી લાગે છે. તેમણે કહ્યું કે ભારત આગામી થોડા વર્ષોમાં 10 લાખ કરોડની અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે.

રોકાણના દૃષ્ટિકોણથી આ સેક્ટર ઉપર રાખો  નજર

તમને જણાવી દઈએ કે આનંદ વરદરાજન પાસે નાણાકીય ક્ષેત્રમાં 20 વર્ષથી વધુનો અનુભવ છે. તેમનું કહેવું છે કે પીએસયુ સેક્ટર અંડરરેટેડ છે અને આ સમયે ડિફેન્સ, પાવર અને રેલવે ઈન્ફ્રા સંબંધિત શેરો ખૂબ સારા દેખાઈ રહ્યા છે. રોકાણકારોને સલાહ આપતાં તેમણે એમ પણ કહ્યું કે બજાર સમયાંતરે બાજુ તરફ જતું જોઈ શકાય છે, પરંતુ રોકાણકારોએ ઈક્વિટી માર્કેટમાં વિશ્વાસ રાખીને લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં રોકાણ કરવું જોઈએ.

ઘરમાં કાનખજૂરાનું નિકળવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત
રોઝામાં નકલી ખજૂર તો નથી ખાઈ રહ્યા ને! આ રીતે કરો અસલી અને નકલી ખજૂરની ઓળખ
First AC train: ભારતની પહેલી AC ટ્રેન ક્યાંથી દોડી હતી?
Plant in pot : છોડમાં પાણી નાખવાનું ભૂલી જાવ છો ? આજે જ ઘરે ઉગાડો આ છોડ
આજનું રાશિફળ તારીખ : 02-03-2025
Health : એક મહિના સુધી તેલ બિલકુલ ન ખાવાથી શરીર પર શું અસર થશે?

નિફ્ટી 22000ના સ્તરને સ્પર્શી શકે છે

ભારતની વૃદ્ધિ અને વધતા સ્થાનિક રોકાણને જોતા એવું લાગે છે કે સંવત 2079માં નિફ્ટી 20000 થી 22000ની સપાટી વટાવી શકે છે. જોકે, વૈશ્વિક અર્થતંત્રમાં અનેક પડકારો છે. પરંતુ તેની સાથે એવી પણ સંભાવના છે કે આ પડકારો વચ્ચે ભારત વૈશ્વિક રોકાણકારો માટે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી શકે છે.

નોંધ : અહેવાલ નિષ્ણાંતોના મંતવ્યને આધારિત છે. શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે. કૃપા કરી રોકાણ કરતા પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી 

g clip-path="url(#clip0_868_265)">