કેનેડા સાથેના વિવાદની અસર મસૂર દાળના ભાવ પર થશે? જાણો દેશમાં મોંઘવારી વધશે કે ઘટશે

સરકારી ડેટા અનુસાર, પાકની સીઝન 2022-23માં ભારતે કેનેડામાંથી 3,012 કરોડ રૂપિયાની 4.85 લાખ ટન દાળની આયાત કરી હતી. આ વર્ષે એપ્રિલથી જૂન વચ્ચેના લગભગ ત્રણ મહિનામાં કેનેડાથી એક લાખ ટન મસૂર ભારત પહોંચી છે. સપ્ટેમ્બર 2021 માં કેન્દ્રએ રશિયાથી મસૂરની આયાતને મંજૂરી આપી હતી.

કેનેડા સાથેના વિવાદની અસર મસૂર દાળના ભાવ પર થશે? જાણો દેશમાં મોંઘવારી વધશે કે ઘટશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 8:19 PM

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદનને કારણે ભારત અને કેનેડા (India Canada Dispute) વચ્ચે તણાવ વધી રહ્યો છે. તેથી એવી અટકળો છે કે જો બંને દેશો વચ્ચે તણાવ વધુ વધશે તો ભારતમાં મોંઘવારી (Inflation) વધશે. ખાસ કરીને દાળની અછત રહેશે. કારણ કે કેનેડા ભારત માટે દાળનું મુખ્ય આયાતકાર છે. પરંતુ, કેન્દ્ર સરકારના અધિકારીઓએ તમામ પ્રકારની અટકળો અને અફવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી છે.

કેનેડાથી 1 લાખ ટન મસૂર દાળ ભારત પહોંચી

સરકારના અધિકારીઓનું કહેવું છે કે, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવની અસર નિકાસ-આયાત પર થવાની નથી. કેનેડામાંથી કઠોળની આયાતના સંદર્ભમાં અમે હાલમાં સેફ ઝોનમાં છીએ. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેનેડાથી 1 લાખ ટન મસૂર દાળ ભારતીય બંદરો પર પહોંચી છે.

કઠોળનું ઉત્પાદન માત્ર 16 લાખ ટન

અધિકારીઓનું કહેવું છે કે દેશમાં દર વર્ષે લગભગ 23 લાખ ટન દાળનો વપરાશ થાય છે. પરંતુ, દેશમાં કઠોળનું ઉત્પાદન માત્ર 16 લાખ ટન છે. આવી સ્થિતિમાં, બાકીની જરૂરિયાતોને પહોંચી વળવા વિદેશમાંથી કઠોળની આયાત કરવામાં આવે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

દાળ પર ઝીરો ઈમ્પોર્ટ ડ્યુટી ચાલુ રહી શકે

એક અધિકારીએ જણાવ્યું કે, કેનેડાથી અત્યાર સુધીમાં લગભગ 6 લાખ ટન દાળ દેશના બંદરો પર પહોંચી છે. તેથી દેશમાં કઠોળને લઈને કોઈ સમસ્યા ઊભી થવાની નથી. બજારમાં મસૂર દાળનો પુરવઠો પહેલાની જેમ જ ચાલુ રહેશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે વિદેશી નિકાસકારોને સ્પષ્ટ સંકેત આપવા માટે કેન્દ્ર સરકાર માર્ચ 2024 પછી પણ દાળ પર શૂન્ય આયાત જકાત ચાલુ રાખી શકે છે.

મસૂરની આયાત મંજૂર

સરકારી ડેટા અનુસાર, પાકની સીઝન 2022-23માં ભારતે કેનેડામાંથી 3,012 કરોડ રૂપિયાની 4.85 લાખ ટન દાળની આયાત કરી હતી. આ વર્ષે એપ્રિલથી જૂન વચ્ચેના લગભગ ત્રણ મહિનામાં કેનેડાથી એક લાખ ટન મસૂર ભારત પહોંચી છે. સપ્ટેમ્બર 2021 માં કેન્દ્રએ રશિયાથી મસૂરની આયાતને મંજૂરી આપી હતી.

આ પણ વાંચો : કેનેડાના વિવાદથી વધી શકે છે મોંઘવારી, જાણો કેવી રીતે વધશે તમારા કિચનનું બજેટ

જો કે, ઉંચા ભાવને કારણે સરકારે રશિયાથી દાળની આયાત શરૂ કરી ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે દાળના વપરાશને પહોંચી વળવા માટે ભારત એવા દેશોની સૂચિ તૈયાર કરી રહ્યું છે, જ્યાંથી સસ્તા દરે મસૂરની આયાત કરી શકાય છે. જોકે હવે દેશમાં કઠોળની ખેતી તરફ ખેડૂતોનો ઝોક થોડો વધ્યો છે. તેના કારણે સ્થાનિક કઠોળનું ઉત્પાદન વધ્યું છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">