AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેનેડા સાથેના વિવાદની અસર મસૂર દાળના ભાવ પર થશે? જાણો દેશમાં મોંઘવારી વધશે કે ઘટશે

સરકારી ડેટા અનુસાર, પાકની સીઝન 2022-23માં ભારતે કેનેડામાંથી 3,012 કરોડ રૂપિયાની 4.85 લાખ ટન દાળની આયાત કરી હતી. આ વર્ષે એપ્રિલથી જૂન વચ્ચેના લગભગ ત્રણ મહિનામાં કેનેડાથી એક લાખ ટન મસૂર ભારત પહોંચી છે. સપ્ટેમ્બર 2021 માં કેન્દ્રએ રશિયાથી મસૂરની આયાતને મંજૂરી આપી હતી.

કેનેડા સાથેના વિવાદની અસર મસૂર દાળના ભાવ પર થશે? જાણો દેશમાં મોંઘવારી વધશે કે ઘટશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 8:19 PM
Share

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદનને કારણે ભારત અને કેનેડા (India Canada Dispute) વચ્ચે તણાવ વધી રહ્યો છે. તેથી એવી અટકળો છે કે જો બંને દેશો વચ્ચે તણાવ વધુ વધશે તો ભારતમાં મોંઘવારી (Inflation) વધશે. ખાસ કરીને દાળની અછત રહેશે. કારણ કે કેનેડા ભારત માટે દાળનું મુખ્ય આયાતકાર છે. પરંતુ, કેન્દ્ર સરકારના અધિકારીઓએ તમામ પ્રકારની અટકળો અને અફવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી છે.

કેનેડાથી 1 લાખ ટન મસૂર દાળ ભારત પહોંચી

સરકારના અધિકારીઓનું કહેવું છે કે, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવની અસર નિકાસ-આયાત પર થવાની નથી. કેનેડામાંથી કઠોળની આયાતના સંદર્ભમાં અમે હાલમાં સેફ ઝોનમાં છીએ. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેનેડાથી 1 લાખ ટન મસૂર દાળ ભારતીય બંદરો પર પહોંચી છે.

કઠોળનું ઉત્પાદન માત્ર 16 લાખ ટન

અધિકારીઓનું કહેવું છે કે દેશમાં દર વર્ષે લગભગ 23 લાખ ટન દાળનો વપરાશ થાય છે. પરંતુ, દેશમાં કઠોળનું ઉત્પાદન માત્ર 16 લાખ ટન છે. આવી સ્થિતિમાં, બાકીની જરૂરિયાતોને પહોંચી વળવા વિદેશમાંથી કઠોળની આયાત કરવામાં આવે છે.

દાળ પર ઝીરો ઈમ્પોર્ટ ડ્યુટી ચાલુ રહી શકે

એક અધિકારીએ જણાવ્યું કે, કેનેડાથી અત્યાર સુધીમાં લગભગ 6 લાખ ટન દાળ દેશના બંદરો પર પહોંચી છે. તેથી દેશમાં કઠોળને લઈને કોઈ સમસ્યા ઊભી થવાની નથી. બજારમાં મસૂર દાળનો પુરવઠો પહેલાની જેમ જ ચાલુ રહેશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે વિદેશી નિકાસકારોને સ્પષ્ટ સંકેત આપવા માટે કેન્દ્ર સરકાર માર્ચ 2024 પછી પણ દાળ પર શૂન્ય આયાત જકાત ચાલુ રાખી શકે છે.

મસૂરની આયાત મંજૂર

સરકારી ડેટા અનુસાર, પાકની સીઝન 2022-23માં ભારતે કેનેડામાંથી 3,012 કરોડ રૂપિયાની 4.85 લાખ ટન દાળની આયાત કરી હતી. આ વર્ષે એપ્રિલથી જૂન વચ્ચેના લગભગ ત્રણ મહિનામાં કેનેડાથી એક લાખ ટન મસૂર ભારત પહોંચી છે. સપ્ટેમ્બર 2021 માં કેન્દ્રએ રશિયાથી મસૂરની આયાતને મંજૂરી આપી હતી.

આ પણ વાંચો : કેનેડાના વિવાદથી વધી શકે છે મોંઘવારી, જાણો કેવી રીતે વધશે તમારા કિચનનું બજેટ

જો કે, ઉંચા ભાવને કારણે સરકારે રશિયાથી દાળની આયાત શરૂ કરી ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે દાળના વપરાશને પહોંચી વળવા માટે ભારત એવા દેશોની સૂચિ તૈયાર કરી રહ્યું છે, જ્યાંથી સસ્તા દરે મસૂરની આયાત કરી શકાય છે. જોકે હવે દેશમાં કઠોળની ખેતી તરફ ખેડૂતોનો ઝોક થોડો વધ્યો છે. તેના કારણે સ્થાનિક કઠોળનું ઉત્પાદન વધ્યું છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">