AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેનેડા સાથેના વિવાદની અસર મસૂર દાળના ભાવ પર થશે? જાણો દેશમાં મોંઘવારી વધશે કે ઘટશે

સરકારી ડેટા અનુસાર, પાકની સીઝન 2022-23માં ભારતે કેનેડામાંથી 3,012 કરોડ રૂપિયાની 4.85 લાખ ટન દાળની આયાત કરી હતી. આ વર્ષે એપ્રિલથી જૂન વચ્ચેના લગભગ ત્રણ મહિનામાં કેનેડાથી એક લાખ ટન મસૂર ભારત પહોંચી છે. સપ્ટેમ્બર 2021 માં કેન્દ્રએ રશિયાથી મસૂરની આયાતને મંજૂરી આપી હતી.

કેનેડા સાથેના વિવાદની અસર મસૂર દાળના ભાવ પર થશે? જાણો દેશમાં મોંઘવારી વધશે કે ઘટશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 8:19 PM
Share

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદનને કારણે ભારત અને કેનેડા (India Canada Dispute) વચ્ચે તણાવ વધી રહ્યો છે. તેથી એવી અટકળો છે કે જો બંને દેશો વચ્ચે તણાવ વધુ વધશે તો ભારતમાં મોંઘવારી (Inflation) વધશે. ખાસ કરીને દાળની અછત રહેશે. કારણ કે કેનેડા ભારત માટે દાળનું મુખ્ય આયાતકાર છે. પરંતુ, કેન્દ્ર સરકારના અધિકારીઓએ તમામ પ્રકારની અટકળો અને અફવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી છે.

કેનેડાથી 1 લાખ ટન મસૂર દાળ ભારત પહોંચી

સરકારના અધિકારીઓનું કહેવું છે કે, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવની અસર નિકાસ-આયાત પર થવાની નથી. કેનેડામાંથી કઠોળની આયાતના સંદર્ભમાં અમે હાલમાં સેફ ઝોનમાં છીએ. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેનેડાથી 1 લાખ ટન મસૂર દાળ ભારતીય બંદરો પર પહોંચી છે.

કઠોળનું ઉત્પાદન માત્ર 16 લાખ ટન

અધિકારીઓનું કહેવું છે કે દેશમાં દર વર્ષે લગભગ 23 લાખ ટન દાળનો વપરાશ થાય છે. પરંતુ, દેશમાં કઠોળનું ઉત્પાદન માત્ર 16 લાખ ટન છે. આવી સ્થિતિમાં, બાકીની જરૂરિયાતોને પહોંચી વળવા વિદેશમાંથી કઠોળની આયાત કરવામાં આવે છે.

દાળ પર ઝીરો ઈમ્પોર્ટ ડ્યુટી ચાલુ રહી શકે

એક અધિકારીએ જણાવ્યું કે, કેનેડાથી અત્યાર સુધીમાં લગભગ 6 લાખ ટન દાળ દેશના બંદરો પર પહોંચી છે. તેથી દેશમાં કઠોળને લઈને કોઈ સમસ્યા ઊભી થવાની નથી. બજારમાં મસૂર દાળનો પુરવઠો પહેલાની જેમ જ ચાલુ રહેશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે વિદેશી નિકાસકારોને સ્પષ્ટ સંકેત આપવા માટે કેન્દ્ર સરકાર માર્ચ 2024 પછી પણ દાળ પર શૂન્ય આયાત જકાત ચાલુ રાખી શકે છે.

મસૂરની આયાત મંજૂર

સરકારી ડેટા અનુસાર, પાકની સીઝન 2022-23માં ભારતે કેનેડામાંથી 3,012 કરોડ રૂપિયાની 4.85 લાખ ટન દાળની આયાત કરી હતી. આ વર્ષે એપ્રિલથી જૂન વચ્ચેના લગભગ ત્રણ મહિનામાં કેનેડાથી એક લાખ ટન મસૂર ભારત પહોંચી છે. સપ્ટેમ્બર 2021 માં કેન્દ્રએ રશિયાથી મસૂરની આયાતને મંજૂરી આપી હતી.

આ પણ વાંચો : કેનેડાના વિવાદથી વધી શકે છે મોંઘવારી, જાણો કેવી રીતે વધશે તમારા કિચનનું બજેટ

જો કે, ઉંચા ભાવને કારણે સરકારે રશિયાથી દાળની આયાત શરૂ કરી ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે દાળના વપરાશને પહોંચી વળવા માટે ભારત એવા દેશોની સૂચિ તૈયાર કરી રહ્યું છે, જ્યાંથી સસ્તા દરે મસૂરની આયાત કરી શકાય છે. જોકે હવે દેશમાં કઠોળની ખેતી તરફ ખેડૂતોનો ઝોક થોડો વધ્યો છે. તેના કારણે સ્થાનિક કઠોળનું ઉત્પાદન વધ્યું છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">