AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તહેવારોની સિઝન પહેલા મોંઘવારીનો માર, તુવેર દાળ એક વર્ષમાં 45 ટકા મોંઘી થઈ

ઉપભોક્તા વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તુવેર દાળ 167 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. જો કે એક વર્ષ પહેલા તેની કિંમત 115 રૂપિયા હતી. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં તેના દરમાં 52 રૂપિયાનો વધારો થયો છે. તેવી જ રીતે ચણાની દાળ પણ એક વર્ષમાં 18 ટકા મોંઘી થઈ છે. એક કિલો ચણાની દાળની કિંમત 85 રૂપિયા છે. મગની દાળ પણ એક વર્ષમાં 18 ટકા મોંઘી થઈ ગઈ છે.

તહેવારોની સિઝન પહેલા મોંઘવારીનો માર, તુવેર દાળ એક વર્ષમાં 45 ટકા મોંઘી થઈ
Arhar Dal Price
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 2:10 PM
Share

મોંઘવારી (Inflation) ઘટવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એક વસ્તુ સસ્તી થાય ત્યાં સુધીમાં બીજી વસ્તુ મોંઘી થઈ જાય છે. ટામેટા અને લીલા શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે ત્યારે હવે કઠોળના ભાવમાં વધારો થયો છે. જેના કારણે સામાન્ય લોકોની થાળીમાંથી દાળ ગાયબ થઈ ગઈ છે. તુવેર દાળના ભાવમાં (Arhar Dal Price) સૌથી વધુ વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં તેની કિંમતમાં 45 ટકાનો ઉછાળો નોંધાયો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આગામી દિવસોમાં માગ વધશે તો તેની કિંમત વધુ વધી શકે છે. તેથી તહેવારોની સિઝનની શરૂઆત પહેલા જનતાના ખિસ્સા પર મોંઘવારીનો બોજ વધશે. તુવેર દાળ ઉપરાંત ચણાની દાળ અને મગની દાળના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

તુવેર દાળ 167 રૂપિયા પ્રતિ કિલો

ઉપભોક્તા વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તુવેર દાળ 167 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. જો કે એક વર્ષ પહેલા તેની કિંમત 115 રૂપિયા હતી. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં તેના દરમાં 52 રૂપિયાનો વધારો થયો છે. તેવી જ રીતે ચણાની દાળ પણ એક વર્ષમાં 18 ટકા મોંઘી થઈ છે.

મગની દાળ એક વર્ષમાં 18 ટકા મોંઘી થઈ

હાલમાં દિલ્હીમાં એક કિલો ચણાની દાળની કિંમત 85 રૂપિયા છે. મગની દાળ પણ એક વર્ષમાં 18 ટકા મોંઘી થઈ ગઈ છે. હાલમાં એક કિલો મગની દાળનો ભાવ 118 રૂપિયા છે. આવી સ્થિતિમાં તહેવારોની સિઝનની શરૂઆત પહેલા જો કઠોળના ભાવમાં વધુ વધારો થશે તો મોંઘવારીના કારણે સામાન્ય લોકોને મુશ્કેલી પડશે.

તહેવારોની સિઝન પહેલા ભાવ વધી શકે

ગયા વર્ષની સરખામણીમાં આ વખતે કઠોળના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત વરસાદ પણ સરેરાશ કરતા ઘણો ઓછો થયો છે. તેથી કઠોળના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે, જેની સીધી અસર ભાવ પર પડશે. વેપારીઓનું કહેવું છે કે જો દાળના ઉત્પાદનમાં ઘટાડો થશે તો ભાવ ઘટવાને બદલે વધશે.

આ પણ વાંચો : Sovereign Gold Bond : સોવરિન ગોલ્ડ બોન્ડે રોકાણકારોને કર્યા માલામાલ, જાણો છેલ્લા 2.5 વર્ષમાં કેટલું રિટર્ન આપ્યું

તમામ ખરીફ કઠોળના વાવેતર ક્ષેત્રમાં ઘટાડો

કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર, 8 સપ્ટેમ્બર સુધી ખરીફ કઠોળના ક્ષેત્રમાં ગયા વર્ષની સરખામણીમાં ઘટાડો થયો છે. આ વખતે 8 સપ્ટેમ્બર સુધી માત્ર 119.91 લાખ હેક્ટરમાં કઠોળનું વાવેતર થયું હતું, જ્યારે ગત 8 સપ્ટેમ્બર સુધી તેનો આંકડો 131.17 લાખ હેક્ટર હતો. મતલબ કે આ વર્ષે 8 સપ્ટેમ્બર સુધી 11.26 લાખ હેક્ટરમાં કઠોળની વાવણી ઘટી હતી. અડદ દાળ, તુવેર દાળ અને મગ દાળ સહિત તમામ ખરીફ કઠોળના વાવેતર ક્ષેત્રમાં ઘટાડો નોંધાયો છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">