AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એર કંડિશનરમાંથી ગેસ લીક થયો હોય તો AC માં કેટલો ગેસ ભરવામાં આવે છે?

અમદાવાદના જીવરાજપાર્કની જ્ઞાનદા સોસાયટીમાં એર કંડિશનરમાં ભરવાના ગેસનો મોટો જથ્થો સંગ્રહાયેલો હોવાને કારણે એકાએક લાગેલ આગ વિકરાળ બની અને બે માનવ જીંદગીનો ભોગ લીધો. આવા સંજોગોમાં એ જણાવુ જરૂરી છે કે, એર કંડિશનરમાં કેટલો ગેસ ભરવામાં આવે છે અને કયા પ્રકારનો.

એર કંડિશનરમાંથી ગેસ લીક થયો હોય તો AC માં કેટલો ગેસ ભરવામાં આવે છે?
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2025 | 9:35 PM
Share

ઉનાળામાં પડતી કાળઝાળ ગરમીથી બચવા માટે હવે સૌ કોઈ પંખા, એર કુલર કે એર કંડિશનરનો ઉપયોગ કરે છે. ગરમીને કારણે ક્યારેક ઘર કે ઓફિસમાં લગાવેલું એસી પણ ખરાબ થઈ જાય છે. જો ઘરનુ એસી કલાકો સુધી ચલાવ્યા પછી પણ યોગ્ય માત્રામાં ઠંડક ના મળે, ત્યારે એમ કહી શકાય કે એસીમાં કોઈ ખામી છે.

ખાસ કરીને આવુ થાય ત્યારે સૌથી પહેલા એમ માનવામાં આવે છે કે, એસીમાંથી ગેસ લીક ​​થયો છે. એસીમાં પૂરતા ગેસ વિના, ઘરમાં કે ઓફિસમાં લગાવેલ વિન્ડો એસી અથવા સ્પ્લિટ એસી રૂમને ગરમીમાં ઠંડુ કરી શકતુ નથી. જ્યારે પણ એસી ચલાવવા છતા રુમ ઠંડો ના થાય ત્યારે આપણે એસી રિપેર કરનાર ટેકનિશિયનને બોલાવીએ છીએ.

ટેકનિશિયન આવ્યા બાદ, સૌ પ્રથમ જે જગ્યા જ્યાંથી ગેસ લીક ​​થઈ રહ્યો છે તે બંધ કરવામાં આવે છે અને પછી એસીમાં ગેસ ભરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે 1.5 ટનના એસીમાં કેટલા કિલોગ્રામ ગેસ ભરવામાં આવે છે?

ઘરેલુ એર કંડિશનર વસાવનારા મોટાભાગના લોકોને એ ખબર નહીં હોય કે, એસીમાં કેટલો ગેસ આવશે તે એસીની ટનની ક્ષમતા પર આધાર રાખે છે. ગેસ લીકેજ થવાના કિસ્સામાં ટેકનિશિયન તમારા 1.5 ટનના એસીમાં કેટલા કિલોગ્રામ એસી ભરે છે તે જાણો

AC માં કયો ગેસ વપરાય છે?

ભારતના બજારમાં વેચાતા એર કંડિશનરમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ગેસનો ઉપયોગ થાય છે, જેમાં R22, R410A અને R32 ગેસનો સમાવેશ થાય છે. હાલમાં, બજારમાં સૌથી વધુ વેચાતા મોડેલો એવા છે જે R32 પ્રકારના ગેસ સાથે આવે છે.

1.5 ટન એસી ગેસ ક્ષમતા

અર્બન કંપનીના જણાવ્યા અનુસાર, 1.5 ટનના એસીમાં 1.5 કિલોથી 2 કિલો ગેસ ભરેલો હોય છે. હવે જ્યારે તમને ખબર પડી ગઈ છે કે 1.5 ટનના એસીમાં કેટલા કિલોગ્રામ ગેસ હોય છે, તો ચાલો હવે તમને જણાવીએ કે 1.5 ટનના એસીમાં ગેસ ભરવા માટે કેટલા પૈસા ખર્ચવા પડશે?

એસી ગેસ રિફિલિંગ ચાર્જ

અર્બન કંપનીની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કંપની એસીમાં ગેસ ભરવા માટે ગ્રાહકો પાસેથી 2500 રૂપિયા વસૂલ કરે છે. અર્બન કંપની ઉપરાંત, જો તમે ઈચ્છો તો, તમે નજીકના એસી રિપેરર અથવા તમારા ઘરની નજીકના કંપનીના સર્વિસ સેન્ટર પર ફરિયાદ નોંધાવીને પણ ગેસ રિફિલ કરાવી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે એસી ગેસ રિફિલિંગ ચાર્જ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ હોઈ શકે છે.

આજના વર્તમાન સમયમાં અવનવી ટેકનોલોજી રોજબરોજની જીંદગીમાં સામેલ થઈ જાય છે. અવનવી ટેકનોલોજીને લગતા સમાચારો જાણવા માટે તમે અમારા આ ટોપિક પર ક્લિક કરો. 

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">