Budget 2022 : શું તમે જાણો છો દેશનું પહેલું બજેટ રજૂ કરવાની તક ભારતીયને મળી ન હતી! જાણો દેશના બજેટનો રસપ્રદ ઇતિહાસ

દેશનું પહેલું બજેટ 161 વર્ષ પહેલાં રજુ થયું હતું દેશનું પહેલું બજેટ 7 એપ્રિલ 1860 ના રોજ બ્રિટીશ સરકારના નાણાં પ્રધાન જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરાયું હતું.

Budget 2022 : શું તમે જાણો છો દેશનું પહેલું બજેટ રજૂ કરવાની તક ભારતીયને મળી ન હતી! જાણો દેશના બજેટનો રસપ્રદ ઇતિહાસ
દેશનું પહેલું બજેટ બ્રિટીશ સરકારના નાણાં પ્રધાન જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરાયું હતું.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 10:45 AM

Budget 2022: 1 ફેબ્રુઆરીએ દેશના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. બજેટ ઉપર દરેક ભારતીયોની નજર હોય છે. જે દરેક ક્ષેત્ર અને વર્ગના વિકાસ, લાભ અને પડનારા બોજની સ્થિતિને વર્ણવે છે. કોરોના મહામારીના કારણે આ આવર્ષનું બજેટ ખુબ મહત્વનું છે. આમતો દરેક દેશ બજેટ જાહેર કરે છે પરંતુ ભારતનો બજેટનો ઇતિહાસ અને પરંપરા બંને અનોખા છે.

દેશનું પહેલું બજેટ 162 વર્ષ પહેલાં રજુ થયું હતું દેશનું પહેલું બજેટ 7 એપ્રિલ 1860 ના રોજ બ્રિટીશ સરકારના નાણાં પ્રધાન જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરાયું હતું. આઝાદી પછીનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947 ના રોજ દેશના પ્રથમ નાણાં પ્રધાન આર કે શનમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. આ બજેટ 15 ઓગસ્ટ 1947 થી 31 માર્ચ 1948 ના સમયગાળા માટે હતું. 26 જાન્યુઆરી 1950 ના રોજ પ્રજાસત્તાકની સ્થાપના પછીનું પહેલું બજેટ જોન મથાઇએ 28 ફેબ્રુઆરી 1950 ના રોજ રજૂ કર્યું હતું.

બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે સંસદમાં બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે. રાષ્ટ્રપતિની મંજૂરી પછી તે કેબિનેટ સમક્ષ મૂકવામાં આવે છે અને ત્યારબાદ સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવે છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

બજેટ રજૂ થયા પછી શું થાય છે?

બજેટની રજૂઆત પછી તે સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવું પડે છે. તે બંને ગૃહોમાંથી પસાર થયા પછી 1 એપ્રિલથી અમલમાં છે. આપણા દેશમાં નાણાકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ છે.

બજેટની તૈયારી ૫ મહિના અગાઉથી શરૂ થાય છે

બજેટની તૈયારી 5 મહિના અગાઉથી શરૂ થાય છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં આર્થિક બાબતોના વિભાગનું બજેટ ડિવિઝન તમામ મંત્રાલયો, વિભાગો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પરિપત્રો મોકલે છે. જેમાં તેઓને આવતા નાણાકીય વર્ષ માટેના તેમના ખર્ચનો અંદાજ લગાવીને જરૂરી ફંડ્સ સૂચવવા કહેવામાં આવે છે.આ પછી ઓક્ટોબર -નવેમ્બરમાં નાણાં મંત્રાલયે અન્ય મંત્રાલયો અને વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજીને કયા મંત્રાલય અથવા વિભાગને કેટલી ચૂકવણી કરવામાં આવે તે રકમનો નિર્ણય લે છે. બેઠક નક્કી થયા પછી બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવે છે.

બજેટમાં સંકળાયેલા અધિકારીઓને બહારના વ્યક્તિ સાથે સંપર્કની મંજૂરી અપાતી નથી બજેટ દસ્તાવેજ બધું ફાઇનલ થયા પછી છાપવામાં આવે છે પરંતુ આ વખતે છાપકામ કરાયું નથી. નાણાં મંત્રાલયમાં બજેટ રજૂ થવાના આશરે એક અઠવાડિયા પહેલા હલવા વિધિ થાય છે જે કોરોનાના કારણે સ્થગિત કરાઈ છે. આ પછી સંબંધિત તમામ અધિકારીઓને નાણાં મંત્રાલયમાં રાખવામાં આવે છે અને કોઈ પણ બહારના વ્યક્તિનો સંપર્ક કરવાની મંજૂરી અપાતી નથી. બજેટ રજૂ થાય પછીજ આ અધિકારીઓને બહાર આવવાની છૂટ હોય છે.

આ પણ વાંચો :  Budget 2022: મોદી સરકારના 9 બજેટ : આમ આદમીને ક્યારે મળી ટેક્સમાં રાહત અને ક્યારે ઝીકાયો બોજ? જાણો વિગતવાર

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલની કિંમત 90 ડોલરને પાર પહોંચી, જાણો આજે પેટ્રોલ – ડીઝલનો શું જાહેર થયો ભાવ?

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">