AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: વીમા કંપનીઓએ 80C હેઠળ રોકાણ મર્યાદા વધારવા, હેલ્થ પ્રોડક્ટ્સ પર GST ઘટાડવાની કરી માંગ

જીવન વીમો એ વ્યક્તિના મૃત્યુની સાથે સાથે જીવિત રહેવાની ઘટનામાં સામાજિક સુરક્ષાની એક પ્રોક્સી છે. તેથી, કલમ 80C હેઠળ 1.5 લાખની મુક્તિ મર્યાદામાં સુધારો કરવાની જરૂર છે.

Budget 2022: વીમા કંપનીઓએ 80C હેઠળ રોકાણ મર્યાદા વધારવા, હેલ્થ પ્રોડક્ટ્સ પર GST ઘટાડવાની કરી માંગ
Demand for separate section for deduction of tax on payment of insurance premium.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 6:01 PM
Share

વીમા કંપનીઓ આગામી કેન્દ્રીય બજેટ 2022 (Budget 2022) માં આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ વીમા પ્રીમિયમની  (Insurance Premium)  ચુકવણી પર અલગથી 1 લાખ રૂપિયાની છૂટની માંગ કરી રહી છે. જેથી કરીને વધુ લોકોને વીમાના દાયરામાં લાવી શકાય. વીમા કંપનીઓ પણ ઇચ્છે છે કે સ્વાસ્થ્ય વીમા ઉત્પાદનો  (Health Insurance)  પરનો વર્તમાન 18 ટકાનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઘટાડીને 5 ટકા કરવામાં આવે જેથી કરીને આવા ઉત્પાદનો સામાન્ય લોકો માટે વધુ પોસાય તેવા બની શકે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે.

કેનેરા એચએસબીસી ઓબીસી જીવન વીમાના મુખ્ય નાણાકીય અધિકારી તરુણ રસ્તોગીએ કહ્યું કે, ઉદ્યોગ નીતિ નિર્માતાઓ લાંબા સમયથી અપેક્ષા રાખી રહ્યા છે કે, લોકોને જીવન વીમો લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે, કલમ 80C હેઠળ વીમા પ્રીમિયમની ચુકવણી પર ઓછામાં ઓછા એક લાખ રૂપિયાની અલગ છૂટ આપવી જોઈએ. હાલમાં, તમામ નાણાકીય ઉત્પાદનો IT કપાતની કલમ (80C) હેઠળ આવરી લેવામાં આવે છે અને તેની મર્યાદા 1,50,000 રૂપિયા છે.

વીમા પ્રીમિયમની ચુકવણી પર કર કપાત માટે અલગ વિભાગ હોવો જોઈએ

એડલવાઈસ ટોકિયો લાઈફ ઈન્સ્યોરન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુબ્રજિત મુખોપાધ્યાયે જણાવ્યું હતું કે, અમે આશા રાખીએ છીએ કે બજેટ જીવન વીમા પ્રિમિયમની ચુકવણી પર કર કપાત માટે એક અલગ વિભાગ બનાવવા પર વિચાર કરશે.

એજીસ ફેડરલ લાઇફ ઇન્સ્યોરન્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિઘ્નેશ શહાણેએ જણાવ્યું હતું કે, કલમ 80Cમાં હાલ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સહીત ઘણા રોકાણ વિકલ્પો શામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, ટર્મ પોલિસી માટે એક અલગ વિભાગ સારો રહેશે.

ફ્યુચર જેનરાલી ઈન્ડિયા લાઈફ ઈન્સ્યોરન્સના સિનિયર વીપી અને હેડ પ્રોડક્ટ્સ એન્ડ ડેવલપમેન્ટ ચિન્મય બડેએ જણાવ્યું હતું કે, જીવન વીમો એ વ્યક્તિના મૃત્યુની સાથે સાથે જીવિત રહેવાની ઘટનામાં સામાજિક સુરક્ષાની એક પ્રોક્સી છે. તેથી, કલમ 80C હેઠળ 1.5 લાખની મુક્તિ મર્યાદામાં સુધારો કરવાની જરૂર છે.

વીમા નિયમનકાર આઈઆરડીએઆઈ ના વાર્ષિક અહેવાલ 2020-21 અનુસાર, દેશમાં વીમાનો દર જીડીપીના 4.2 ટકા છે, જ્યારે વૈશ્વિક સ્તરે આ આંકડો 7.4 ટકા છે. માર્ચ 2021 સુધીમાં, બિન-જીવન વીમો લેવાનો દર માંડ એક ટકા હતો.ૉ

હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર GST ઘટાડવામાં આવે

લિબર્ટી જનરલ ઈન્સ્યોરન્સના સીઈઓ અને હોલ ટાઈમ ડિરેક્ટર રૂપમ અસ્થાનાએ જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાને કારણે, હેલ્થ ઈન્સ્યોરન્સ પોતાને અનિશ્ચિતતાઓથી બચાવવા માટે રોજિંદી જરૂરિયાત બની ગઈ છે અને તે પહેલા કરતાં વધુ સુસંગત છે. તેથી, સરકારે આરોગ્ય વીમા પ્રીમિયમ પર લાગુ પડતા GSTમાં ભારે ઘટાડા પર વિચાર કરવો જોઈએ, જે હાલમાં 18 ટકા વસૂલવામાં આવે છે.

આ પણ વાંચો : Budget 2022: મધ્યમ કદના એકમના કારોબારી મનમોહનને શું જોઈએ? બસ સસ્તો કાચો માલ…

Follow Us
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
g clip-path="url(#clip0_868_265)">