Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Amavasya: શિવ અને શનિ બંનેની કૃપા પ્રાપ્ત થશે આ શનિ અમાવસ્યા એ , વાંચો શું કરશો ઉપાય

Shani Amavasya 2022 : શનિ અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. આ દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. શનિદેવ આ દિવસે દરેક મુશ્કેલી દૂર કરે છે.

Shani Amavasya: શિવ અને શનિ બંનેની કૃપા પ્રાપ્ત થશે આ શનિ અમાવસ્યા એ , વાંચો શું કરશો ઉપાય
Shani Amavasya 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2022 | 8:18 AM

શ્રાવણ(Shravan) મહિનાનો છેલ્લો દિવસ શ્રાવણ વદ અમાસ જે 27 ઓગસ્ટ શનિવારે જ છે જેથી આ દિવસે શિવ અને શનિ (Shani maharaj)ની કૃપા એક સાથે પ્રાપ્ત થશે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે જે ભક્તો એ શ્રાવણ માસ પર્યંત શિવ(Lord Shiva)ની આરાધના કરી છે એ હજુ પણ આજે પોતાની શક્તિ અને નિષ્ઠાથી આરાધના કરશે તેમને તેમની ભક્તિ અનુસાર આજ દિવસે ભગવાન શિવના આશીર્વાદ મળશે અને આ જ દિવસે અમાસ અને શનિવાર હોવાથી શનિ અમાવસ્યા શનિ ને ખુશ કરવા નો શ્રેષ્ઠ અવસર

જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ અમાવાસ્યા એ શનિ આરાધના કરવાનો શ્રેષ્ઠ અવસર કહેવાય કેમકે શનિ ને રાત્રી બલી કહ્યા છે અને અમાસ ને ગાઢ રાત્રી ગણી છે માટે શનિ અમાવસ્યા એ વિશેષ કૃપા કરે છે જેથી શાસ્ત્રનું માનીએ તો જેમને શનિની પનોતી ચાલતી હોય કે જેમની કુંડળીમાં શનિ અશુભ હોય નીચનો કે શત્રુ ક્ષેત્રી હોય અને પીડા આપતો હોય જેવીકે દગો ફટકો લડાઈ-ઝઘડા કોર્ટ-કચેરી નુકશાની લગ્ન વિલંબ કાર્યમાં રુકાવટ આ સમસ્યા હોય તેને શનિની પીડા કહેવાય તેમણે તો અવશ્ય શનિ અમાવસ્યા એ નિવારણ કરવું જોઈએ જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર શનિ રાજામાંથી રંક અને રંક માંથી રાજા પણ બનાવે છે.

મુખ્યત્વે પનોતી જેઓને પણ અશુભ બનતી હોય તેને પણ મુખ્યત્વે ધન નાશ દેવું કર્જ ઘર-પરિવારમાં ક્લેસ ભાઈભાંડુ વચ્ચે ઘર્ષણ વેપાર ધંધા નોકરી મા રુકાવટ કે નુકસાન બાપદાદા ની જમીન જાગીર પ્રોપર્ટીમાં કોર્ટ કચેરી કે બંધનો આવે અચાનક સોદા રોકાઈ જાય કે ટુટી જાય , શારીરિક રીતે વાયુને લગતા રોગો જેવા કે પ્રેશર ડાયાબિટીસ હાર્ટ પ્રોબ્લેમ પ્રોબ્લેમ જોઈન્ટ પ્રોબ્લેમ વા અન્ય માનસિક રોગો જેવી બાબતો પણ સંભવી શકે તે શરીરને કષ્ટ પીડા નિવારણ કરવા ખાસ આ દિવસે શાસ્ત્રીય ઉપાયો કરવાથી ચોક્કસ પીડામાંથી મુક્તિ અને રાહત મેળવી શકાય છે

રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?
નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલું ભણેલી છે?
સુનિતા વિલિયમ્સની નેટવર્થ કેટલી છે, જાણો
ગરમીની ઋતુમાં કાચી ડુંગળી કેમ ખાવી જોઈએ? જાણો કારણ
Snake Seeing Sign: ઘરમાં સાપ નીકળે તો શુભ કે અશુભ? જાણો શું સંકેત આપે છે

સૌથી પ્રથમ આ દિવસે ઉપવાસ કરવો એક સમય સાંજે ભોજન લેવું એમાં પણ અડદની દાળ અને રોટલી દિવસ દરમિયાન દૂધ અને ફ્રૂટ લઈ શકાય

સંધ્યા સમયે કે રાત્રે સુતા પહેલા ત્રણ હનુમાન ચાલીસા કરવા

એક શનિ બીજ મંત્ર ની માળા કરવી (પીડા નિવારણ ની પ્રાર્થના સાથેકોઈ પણ મંત્ર ની ૧ કે ૩ માળા કરવી)

ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ

ઓમ શં શનેશ્વરાય નામ:

હનુમાનજી અને શનિદેવને તેલ સિંદુર કે અડદ કે કાળા તલ અર્પણ કરવા

શનિ અમાવસ્યા એ ગરીબો ને દાન કરવું

પોતાના જૂના વસ્ત્રો કે કાળા કપડાનું ગરીબોને દાન કરવું

ગરીબોને કાળા કામળા નું દાન કરવું

લોખંડના વાસણોનું દાન કરવું

કાળા અડદ કાળા તલ નું દાન કરવું

ભોજન કે અનાજનું યથાશક્તિ દાન કરવું

ગરીબ જરૂરિયાત વાળા લોકો પૈસા કે વસ્તુ આપી યથાશક્તિ મદદ કરવી

કૂતરાઓ ને ભોજન આપવું

કાગડાઓને ગઠીયા કે ભોજન આપવું

આવા ઉપાયો આ દિવસે સંકલ્પ કરી કરવા થી શનિ દેવ ખુશ થઇ કષ્ટો દૂર કરે છે

જેવો એ શ્રાવણ માસ સાધના ની પૂર્ણાહુતિ કરવાની છે તેઓએ પણ આ દિવસે સાધના પૂર્ણ થતી હોવાથી આ નિમિત્તે બ્રાહ્મણ અને ગરીબોને ભોજન વસ્ત્રો અન્ય દાન પુણ્ય કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે)

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
g clip-path="url(#clip0_868_265)">