AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Amavasya 2022 : શનિ અમાવસ્યા પર આ મંત્રોનો જાપ કરો, જીવનમાંથી દરેક મુશ્કેલી દૂર થશે

Shani Amavasya 2022 : શનિ અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. આ દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. શનિદેવ આ દિવસે દરેક મુશ્કેલી દૂર કરે છે.

Shani Amavasya 2022 : શનિ અમાવસ્યા પર આ મંત્રોનો જાપ કરો, જીવનમાંથી દરેક મુશ્કેલી દૂર થશે
Shani Jayanti
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 2:26 PM
Share

શનિ અમાવસ્યા 2022: 30 એપ્રિલ 2022નો દિવસ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે. આ દિવસે સૂર્યગ્રહણ ઉપરાંત શનિ અમાવસ્યા (Shani Amavasya)પણ છે. શનિ અમાવસ્યાનું પોતાનું વિશેષ મહત્વ છે. શનિ અમાવસ્યા પર અનેક પ્રકારના સંયોગો બને છે. શનિવારે આવતી અમાવસ્યા તિથિ વિવિધ રીતે પૂજા પાઠ કરીને ઉજવવામાં આવે છે. જો આ અમાસ પર કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિ બધી જ પરેશાનીઓથી મુક્ત થઈ જાય છે.

અમાસના દિવસે ગંગા, યમુના અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે ખાસ કરીને ગરીબોને દાન કરવાનું પણ મહત્વ છે. એવી માન્યતા છે કે આ દિવસે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. જો શનિ અમાવસ્યાના દિવસે શનિ (Shani) ભગવાનની પૂજા કરવામાં આવે તો સાડેસાતી અને ઢૈયાના દુષ્પ્રભાવથી મુક્તિ મળે છે. શનિદેવની વિશેષ કૃપા મેળવવા માટે આ દિવસે તમારે કેટલાક મંત્રોનો જાપ કરવો જોઈએ. ચાલો જાણીએ આ મંત્રો વિશે….

જાણો શનિદેવનો પૌરાણિક મંત્ર

ऊँ ह्रिं नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम। छाया मार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्

શનિનો વૈદિક મંત્ર

ऊँ शन्नोदेवीर- भिष्टयऽआपो भवन्तु पीतये शंय्योरभिस्त्रवन्तुनः

તાંત્રિક શનિ મંત્ર:

ऊँ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः

શનિબીજ મંત્ર

ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः

સામાન્ય મંત્ર-

ॐ शं शनैश्चराय नमः

શનિ ગાયત્રી મંત્ર

ऊँ भगभवाय विद्महैं मृत्युरुपाय धीमहि तन्नो शनिः प्रचोद्यात्

શનિ અમાવસ્યાનો શુભ સમય શું છે?

વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા 30મી એપ્રિલ, 2022ને શનિવારે છે. આ દિવસે શનિ અમાવસ્યા આવી રહી છે. અમાવસ્યા તિથિ 30 એપ્રિલની મોડી રાત્રે 12.59 વાગ્યે શરૂ થાય છે અને 01 મેના રોજ બપોરે 1:59 વાગ્યે સમાપ્ત થશે. આ જ કારણ છે કે ઉદયા તિથિના આધારે ખાસ કરીને 30 એપ્રિલની સાંજે ભક્ત શનિદેવની પૂજા કરવામાં આવશે.

શનિ દોષથી છુટકારો મેળવવા માટે કરો આ મહાન ઉપાય

જીવનના તમામ અવરોધોને દૂર કરવા માટે દરેક વ્યક્તિએ ખાસ કરીને શનિ અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ અને પછી જળ ચઢાવવું જોઈએ. આ પછી સાંજે શનિદેવની સામે અને પીપળના ઝાડ પર સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.

શનિ અમાવસ્યા પર આ ઉપાય કરો

ધાર્મિક માન્યતા અનુસાર શનિ અમાવસ્યા પર પંચામૃત સ્નાન કરો, શનિદેવને તલ-તેલનો અભિષેક કરો અને તેની સાથે શનિદેવની સામે શનિ ચાલીસાનો પાઠ કરો. આ સિવાય શનિ મંદિરમાં જઈને કષ્ટોથી મુક્તિ માટે ભગવાનની પ્રાર્થના કરો અને શનિદેવની મૂર્તિ સામે સરસવના તેલનો દીવો અને મીઠાઈઓ ચઢાવો.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે)

આ પણ વાંચો :વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશોને પરમાણુ હુમલાની આપી ધમકી! કહ્યું- જો યુક્રેનમાં દખલગીરી થશે તો વીજળીની ઝડપે હુમલો કરીશું

આ પણ વાંચો :વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નૌતમ સ્વામીએ કહ્યું, હાર્દિકે હિન્દુવાદી પક્ષમાં જોડાઈ જવું જોઈએ

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">