AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠી ભવનાથ તળેટી, મહાશિવરાત્રીના મેળામાં ઉમટ્યુ માનવ મહેરામણ- Video

જુનાગઢમાં ગિરનાર પર્વતમાળાના તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષે મહાશિવરાત્રી નિમિત્તે મહામેળાનું આયોજન થાય છે. આ મેળો ખાસ કરીને નાગા સન્યાસીઓ, તપસ્વીઓ અને શિવભક્તો માટે ખૂબ મહત્વનો છે. મેળાની રાત્રે શિવભક્તો અને સાધુઓની રવેડી નીકળે છે અને મૃગી કુંડમાં પવિત્ર સ્નાન બાદ આ મેળો સંપન્ન થાય છે.

| Updated on: Feb 24, 2025 | 7:49 PM
Share

જુનાગઢમાં 22 મી ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મેળામાં ઉમટી પડે છે. આજે મેળાવા ત્રીજા દિવસે ભાવિ ભક્તો ભવનાથ મહાદેવના દર્શને ઉમટ્યા છે. સમગ્ર ભવનાથ તળેટી હર હર મહાદેવ અને જય ગીરનારીના નાદથ ગૂંજી ઉઠી છે. મેળાના અદ્દભૂત આકાશી દૃશ્યો પણ સામે આવ્યા છે. અહીં ચકડોળ સહિતની અનેક રાઈડ્સ પણ રાખવામાં આવી છે.

મેળામાં આવનારા ભાવિકો માટે અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા છે. સંત, શુરા, સતી અને દાતાઓની આ ભૂમિમાં હાલ ભજન, ભોજન ભકિતનો ત્રીવેણી સંગમ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રીના આ મેળામાં સહભાગી થવા માટે દેશભરમાંથી વિવિધ અખાડાના સાધુ સંતો મેળામાં સહભાગી થવા આવી પહોંચ્યા છે. હર હર મહાદેવના નાદ સાથે ભાવિકો જપ, તપ અને આરાધનામાં લીન બન્યા છે. હાલ ભવનાથમાં 100 થી વધુ અન્નક્ષેત્ર ચાલી રહ્યા છે. શિવ આરાધનામાં લીન થવાના આ મહાઅવસરમાં અન્નક્ષેત્રોમાં હરીહરનો સાદ સંભળાશે. આ તરફ અહીં આવતા ભાવિકોની સુરક્ષા માટે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

ભવનાથમાં આયોજિત થતા મહાશિવરાત્રીના આ મેળામાં સાધુઓનું શાહી સ્નાન અને શાહી રવેડી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ દરમિયાન મૃગીકુંડમાં શાહી સ્નાનનુ અનેરુ મહત્વ છે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતો વહેલી સવારે મૃગીકુંડમાં સ્નાન કરે છે અને આ સ્નાન બાદ મેળો સંપન્ન થાય છે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠમાં લોકો ભગવાન શિવની ભક્તિમાં લીન થાય છે અને જય ગિરનારી, બમ બમ ભોલે અને હરહર મહાદેવના નારા સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે.

ગેબી ગીરનારમાંથી આવેલા સાધુઓ શિવરાત્રી પુરી થતા ક્યાં જાય છે તે રહસ્ય અકબંધ

ગેબી ગીરનારમાં અનેક સિદ્ધહસ્ત સાધુઓ ભૂગર્ભમાં ગુફા કરીને તપ કરતા હોય છે. આ સાધુઓ ભવનાથમાં મહાશિવરાત્રીએ મંદિર પર ધજા ચઢે ત્યારે જ વર્ષમાં માત્ર એકવાર ગુફામાંથી બહાર આવે છે અને શિવરાત્રી પુરી થતા આ સાધુઓ પરત ક્યાં અને ક્યારે ફરે છે તે રહસ્ય આજસુધી અકબંધ રહ્યુ છે. જો કે એક માન્યતા એવી છે કે શિવરાત્રીની મધરાતે રવાડી બાદ ભવનાથ મંદિરના મૃગી કુંડમાં સ્નાન લેતા કેટલાક અદૃશ્ય થઈ જાય છે. ગેબી ગીરનારની ગોદમાં આવા અનેક અકળ રહસ્યો ધરબાયેલા છે. જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યુ નથી.

નાગા સાધુઓ અને મૃગી કુંડ વિશેનું આ રહસ્ય આજે પણ હજારો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ભવનાથ મહાદેવ મંદિર અને મહાશિવરાત્રી મેળો માત્ર ધાર્મિક મહત્વ જ ધરાવતો નથી, તે રહસ્યમય અને અધ્યાત્મિક શક્તિઓનો અનુભવ કરાવતો મેળો છે. આ મેળો ગુજરાતની સંસ્કૃતિ, આસ્થા અને પરંપરાનું પ્રતિબિંબ છે. ખાસ કરીને નાગા સાધુઓની શોભાયાત્રા, ભજન-કીર્તન, ધાર્મિક વિધિઓ અને લોકજાતિની હાજરી મેળાને અનન્ય બનાવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">