હિન્દુ ધર્મમાં ગાયની સૌથી વધુ પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ગાયની સેવા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને બધા પાપોનો નાશ થાય છે.
Pic credit - google
શાસ્ત્રો અનુસાર, ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે, તેથી ફક્ત ગાયની પૂજા કરવાથી બધા દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે.
Pic credit - google
ત્યારે ઘણી વખત એવું બને છે કે ગાય સવારમાં આપણા ઘરની સામે આવીને ઉભી રહે છે તો તે કઈ વાતનો સંકેત આપે છે ચાલો જાણીએ
Pic credit - google
જો ગાય જાતે જ કોઈ વ્યક્તિના ઘરની સામે આવીને ઉભી રહે છે, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે લક્ષ્મીના આગમનનો સંકેત આપે છે.
Pic credit - google
જો કોઈ વ્યક્તિના આંગણામાં ગાય આવીને ઉભી રહી જાય કે બેસી જાય તો તે સંકટ ટળી જવાનો સંકેત આપે છે.
Pic credit - google
આથી ગાયનું આંગણામાં આવવું સમસ્યાઓ ટળી જવાના સંકેત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ગાયને રોટલી જરુર ખવડાવો
Pic credit - google
વાસ્તુશાસ્ત્ર મુજબ, જો ગાય કોઈ વ્યક્તિના ઘરની અંદર પ્રવેશ કરે છે, તો તે શુભ માનવામાં આવે છે. તે ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મકતા લાવે છે.
Pic credit - google
જો ગાય કોઈ વ્યક્તિના ઘરની બહાર આવી અવાજ કરે છે તો તે પણ શુભ માનવામાં આવે છે. તે તમારા ખરાબ કર્મોનો નાશ થવાના અને જીવનની નવી શરૂઆતના સંકેત આપે છે
Pic credit - google
નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી