Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : ભરૂચ – નર્મદાના વનવિસ્તારમાં કેસરિયા ખજાનાની અખૂટ સંપત્તિ, હોળી પૂર્વે અહીં વન આકર્ષણ ઉભું કરે છે

Holi 2023 : ફાગણમાં સોળે કળાએ ખીલેલો નયનરમ્ય કેસૂડો હોળીનો પ્રાકૃતિક રંગ છે . કેસુડો આયુર્વેદની દ્રષ્ટિએ પણ ગુણકારી છે. તેનો હોળી-ધૂળેટીમાં રંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કેસૂડાનું પાણી પણ ઉત્તમકારી છે જે ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે તેમ સાંભળવામાં આવ્યું છે.

Gujarati Video : ભરૂચ - નર્મદાના વનવિસ્તારમાં કેસરિયા ખજાનાની અખૂટ સંપત્તિ, હોળી પૂર્વે અહીં વન આકર્ષણ ઉભું કરે છે
The forest area of Bharuch Narmada district is considered to be the treasure of Kesuda flower
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 2:20 PM

Holi 2023 : ભરૂચ નર્મદા જિલ્લાના વનક્ષેત્રને કેસુડાના ફૂલનો ખજાનો માનવામાં આવે છે. ફાગણ માસમાં આ બે જીલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં ઠેરઠેર કેસુડાના ફુલોથી વૃક્ષ છવાયેલા રહે છે. ઔષધીય દ્રષ્ટિએ કેસુડાના ફુલ ખુબ મહત્વ ધરાવતા હોવાથી તે વનવાસીઓ માટે આજીવિકાનું સાધન પણ બને છે. ચામડી સબંધીત રોગો તેમજ ત્વચાને સ્વચ્છ રાખવા સાઈટ કેસુડાના ફૂલ ઘણા ઉપયોગી છે. હોળીના પૂરવ અગાઉ કેસૂડાની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. અનાદીકાળથી કેસુડાના ફુલો અને તેમાંથી બનાવેલા રંગોથી હોળી અને ધુળેટી ઉજવવાની પરંપરા રહેલી છે. હોળીના તહેવાર ટાણે બજારમાં તેની સારી માંગ રહે છે. તેના પાનનો ઉપયોગ પહેલા જમવા માટેના પડીયા પતરાળા બનાવવામાં થતો હતો. કેસુડાનુ મુલ્યવર્ધન કરીને ધણી કંપનીઓ તેમાથી સોંદર્ય પ્રસાધન ઔષધિઓ બનાવતી હોવાથી કેસુડાના ફુલોનું સારૂ બજારૂ ઉપલબ્ધ છે.

Air Coolers : ઉનાળામાં ઠંડી હવા આપશે આ 5 સસ્તા કુલર, કિંમત 5000 રૂપિયાથી ઓછી
કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?

ઉનાળામાં સૂકાભંઠ વનક્ષેત્રમાં કેસરી ફૂલોવાળા વૃક્ષ તમારુ અવશ્ય ધ્યાન ખેંચ્યુ હશે. આ સુંદર ફૂલ કેસૂડાના હોય છે. કેસૂડાના ફૂલ ઔષધ છે. ગરમીથી બચવા ઉપરાંત અનેક રોગોમાં તે રામબાણ ઈલાજ છે. ઉનાળો શરૂ થતા સાથે જ બજારમાં મળવા માંડતા આ ફૂલનો તમે અનેક રોગોમાં અસરકારક ઘરેલુ ઉપચાર તરીકે ઉપયોગ કરી શકાય છો. ઉનાળામાં કેસૂડાના ફૂલને આખી રાત પાણીમાં પલાળીને સવારે આ પાણી ગાળી તે પાણીથી સ્નાન કરવાથી શરીરમાં ઠંડક વળે છે અને ઉનાળામાં પણ ત્વચા પર ગરમીની અસર ઓછી થાય છે.

ફાગણમાં સોળે કળાએ ખીલેલો નયનરમ્ય કેસૂડો હોળીનો પ્રાકૃતિક રંગ છે . કેસુડો આયુર્વેદની દ્રષ્ટિએ પણ ગુણકારી છે. તેનો હોળી-ધૂળેટીમાં રંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કેસૂડાનું પાણી પણ ઉત્તમકારી છે જે ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે તેમ સાંભળવામાં આવ્યું છે. હાલ ગુજરાતમાં ભરૂચ -નર્મદા જિલ્લામાં ઠેર-ઠેર કેસૂડો લહેરાતો જોવા મળી રહ્યો છે. વનવાસીસમાજના પૂર્વજોએ દરેક વનસ્પતિના ઔષધિય ઉપયોગને જાણીને તેને ધર્મ સાથે વણી લીધા હતા. જેથી સમાજમાં દરેકનું આરોગ્ય સારૂ રહે.

વસંત ઋતુમાં કેસરીયો કેસૂડો ખીલે ઉઠે છે

કવિઓએ જેને પોતાની કવિતામાં ઢાળી છે અને ફાગણમાં જ્યારે પાનખરની ઋતુ જામી હોય ત્યારે બધા વૃક્ષો પરથી પાંદડા ખરી પડે છે ત્યારે કેસૂડો સોળે કળાએ ખીલી ઊઠે છે. રંગોનો તહેવાર હોળી નજીક આવી રહ્યો છે આ સાથે કેસૂડો પણ ખીલી ઉઠ્યો છે. આદિવાસી પંથકમાં ઠેક-ઠેકાણે ખીલેલા કેસૂડાના વૃક્ષને જોવાનો લાહવો પણ અનેરો છે. શિયાળાની વિદાય સાથે પાનખર ઋતુ બાદ આવતી વસંત ઋતુમાં કેસરીયો કેસૂડો ખીલી ઉઠે છે.

કેસુડા વગર અધુરી ધૂળેટી માનવામાં આવે છે

કેસુડાના સુંદર ફૂલો વગર ધૂળેટી અધૂરી છે. આદિકાળથી પ્રાકૃતિક રંગો સાથે હોળીની ઉજવણી થતી આવી છે. આ પરંપરાને આજે પણ અંતરિયાળ ગામોમાં રહેતા આદિવાસી લોકો નિભાવી રહ્યા છે.

નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. માન્યતાઓને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.

31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
g clip-path="url(#clip0_868_265)">