બાળવયે સંન્યાસ લેવાં આદિ શંકરાચાર્યજીએ શું કરી હતી લીલા ?

હિન્દુ સંસ્કૃતિના ઉત્થાન માટે આદિ શંકરાચાર્યજીએ માત્ર 8 વર્ષની ઉંમરે જ ધારણ કરી લીધો હતો સંન્યાસ ! અને આ સંન્યાસ માટે માતા આર્યઅંબાને મનાવવા તેમણે કરી હતી એક અદભુત લીલા !

બાળવયે સંન્યાસ લેવાં આદિ શંકરાચાર્યજીએ શું કરી હતી લીલા ?
આદિ શંકરાચાર્યજી
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: May 17, 2021 | 1:33 PM

આદિ શંકરાચાર્યજી (SHANKRACHARYA) એટલે એક એવાં ગુરુ કે, જે આદિગુરુ કે આદ્યગુરુના નામે પ્રસિદ્ધ છે. આદિ શંકરાચાર્યજીએ ખૂબ જ નાની ઉંમરે અનેક શિષ્યો બનાવ્યા હતા અને સનાતન હિન્દુ સંસ્કૃતિને જીવિત રાખવા અથાગ પ્રયત્નો કર્યા હતા. ધર્મના ઉત્થાન માટે આદિ શંકરાચાર્યજીએ માત્ર 8 વર્ષની ઉંમરે જ ધારણ કરી લીધો હતો સંન્યાસ ! અને આ સંન્યાસ માટે માતા આર્યઅંબાને મનાવવા તેમણે કરી હતી એક અદભુત લીલા !

આમ તો આદિ શંકરાચાર્યજીના પ્રાગટ્ય સમયને લઈને મતમતાંતર પ્રવર્તે છે. પણ, એક દ્રઢ માન્યતા અનુસાર તેમનો જન્મ ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં વૈશાખ સુદ પાંચમના રોજ થયો હતો. જેને લીધે વૈશાખ સુદ પંચમી શંકરાચાર્ય જયંતિ તરીકે ઉજવાય છે. કેરળ પ્રદેશમાં પૂર્ણા નદીના તટ પર આવેલાં કાલડી ગામમાં શિવગુરુ નામના બ્રાહ્મણના ઘરે માતા આર્યઅંબાના ગર્ભથી શંકરાચાર્યજીનો જન્મ થયો હતો. કહે છે કે શિવગુરુ વૃદ્ધ થવા છતાં સંતાનહીન હતા. આખરે, તેમણે શિવજીની દુષ્કર આરાધના કરી તેમને પ્રસન્ન કર્યા. શિવજીએ સ્વયં જ પુત્રરૂપે તેમને ત્યાં અવતરવાનું વરદાન આપ્યુ અને એટલે જ શિવકૃપાથી પ્રાપ્ત થયેલ તે પુત્રનું નામ રખાયું ‘શંકર’.

બાળ શંકરના વિદ્વત્વનો પરચો તો લોકોને બાળપણથી જ મળવા લાગ્યો. માત્ર એક વર્ષની ઉંમરે જ શંકરાચાર્યજીએ અદ્વિતીય ભાવ પ્રગટ કરવાનું શરૂ કર્યું. બે વર્ષની ઉંમરે તેમણે પુરાણાદિ કથાઓનું શ્રવણ કરી બધું જ કંઠસ્થ કરી લીધું. પાંચમે વર્ષે તેમને યજ્ઞોપવીત આપી ગુરુને આશ્રમે મોકલવામાં આવ્યા. માત્ર સાત વર્ષની ઉંમરે તેઓ વેદ, વેદાંત અને વેદાંગોનું પૂર્ણ અધ્યયન કરીને પાછા ફર્યા. શંકરાચાર્યજીની આ અસાધારણ પ્રતિભાથી સૌ કોઈ દંગ હતા.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

શંકરાચાર્યજી જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું મૃત્યુ થયું હતું. ઘરે એક માત્ર વૃદ્ધ માતા હતી. વિદ્યાધ્યયન સંપૂર્ણ થયા બાદ તેમની ઈચ્છા સંન્યાસ લેવાની હતી. તેમણે માની આજ્ઞા માંગી. પણ માએ ન આપી. માતૃભક્ત શંકરાચાર્યજીએ સંન્યસ્તનો વિચાર જતો કર્યો. પણ, એકવાર એવું બન્યું કે માતા સંગ નદીએ ગયેલાં શંકરાચાર્યજીનો પગ એક મગરે પકડી લીધો. મા આર્યઅંબાએ રોકકળ કરી મૂકી. એ વખતે શંકરાચાર્યજીએ માતાને કહ્યું.

What did Adi Shankaracharyaji do in his childhood to take a Sanyasa ?

સંન્યાસ માટે માતા પાસે લીધું વચન !

આદિ શંકરાચાર્યજી: “હે મા ! મારું મન સંસારમાં નથી. મને સંન્યાસ લેવાની આજ્ઞા આપો. શક્ય છે કે આ મગર મને છોડી દે.”

આખરે, માએ આજ્ઞા આપી અને તે સાથે જ શંકરાચાર્યજીને મગરે મુક્ત કરી દીધાં. માત્ર આઠ વર્ષની ઉંમરે તે ગૃહ ત્યાગીને નીકળી પડ્યા. શંકરાચાર્યજીએ ગોવિંદ ભગવત્પાદ પાસેથી દીક્ષા લીધી. ગુરુએ તેમને નામ આપ્યું ભગવત્ પૂજ્ય પાદાચાર્ય. શંકરાચાર્યજીએ ગુરુએ બતાવ્યા મુજબ જ્ઞાન ગ્રહણ કર્યું અને સાધના શરૂ કરી. અલ્પકાળમાં જ તે યોગસિદ્ધિને પામ્યા. ગુરુએ તેમની પ્રતિભા જોઈ તેમને કાશી જઈ વેદાંતસૂત્રનું ભાષ્ય લખવાની આજ્ઞા આપી. શંકરાચાર્ય કાશી ગયા, જ્યાં તેમના જ્ઞાનથી આકર્ષીત થઈ અનેક માણસો તેમના શિષ્ય બન્યા.

લોકવાયકા અનુસાર આદિ શંકરાચાર્યજીને માત્ર 16 વર્ષનું જ આયુષ્ય હતું. પરંતુ, તેમના શાસ્ત્રાર્થથી પ્રસન્ન થઈ વેદવ્યાસજીએ તેમને અદ્વૈતવાદનો પ્રચાર કરવાની આજ્ઞા આપી. સાથે જ વધુ સોળ વર્ષના આયુષ્યનું વરદાન આપ્યું. બૌદ્ધ અને જૈન ધર્મના પ્રચાર-પ્રસારના તે સમયમાં યજ્ઞ, હવન, વેદ અને કર્મકાંડ સદંતર બંધ જેવાં જ હતા. આવાં વિપરીત સંજોગોમાં શંકરાચાર્યજીએ બ્રહ્મત્વને ફરી જગાડ્યું. અને વેદ ધર્મપ્રચારને ચરમ શિખરે આસનસ્થ કર્યો. ઉત્તરાવસ્થામાં તેમણે ચાર મઠ તેમજ અન્ય ધાર્મિક કેન્દ્રોની સ્થાપના કરી. અને જીવનનો ઉદ્દેશ્ય પૂર્ણ થયો જાણી બરોબર 32 વર્ષની ઉંમરે કેદારક્ષેત્રમાં સમાધિસ્થ થયા.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">