ઓમર અબ્દુલ્લા
ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ પાર્ટીના ઉપાધ્યક્ષ છે. 10 માર્ચ, 1970ના રોજ બ્રિટનમા જન્મેલા ઓમર અબ્દુલ્લા, 2009માં જમ્મુ અને કાશ્મીરના સૌથી નાની વયના મુખ્ય પ્રધાન બન્યા હતા. ઓમર અબ્દુલ્લા નેશનલ કોન્ફરન્સ પાર્ટીના પ્રમુખ ફારુક અબ્દુલ્લાના પુત્ર છે. આ કારણે તેમનો રાજકારણ સાથેનો સંબંધ જૂનો રહ્યો છે અને અમુક અંશે તેમને રાજકારણ વારસામાં મળ્યું છે. ઓમર અબ્દુલ્લાના પિતા ફારુક અબ્દુલ્લા અને તેમના દાદા શેખ અબ્દુલ્લા પણ જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. ઓમર અબ્દુલ્લાએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. પ્રથમ, તેઓ 1998માં 28 વર્ષની વયે 12મી લોકસભામાં ચૂંટાયા હતા. તેમણે સૌથી યુવા લોકસભા સભ્ય બનીને રેકોર્ડ બનાવ્યો. આ પછી, તેઓ ફરીથી વર્ષ 1999માં બીજી વખત લોકસભામાં ચૂંટાયા. તેઓ ન માત્ર સૌથી યુવા લોકસભા સભ્ય બન્યા, પણ સૌથી યુવા કેન્દ્રીય મંત્રી પણ બન્યા હતા..
વર્ષ 2001માં તેમણે કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. પરંતુ તેમણે વર્ષ 2002માં જ રાજીનામું આપી દીધું હતું, તેનું કારણ તેમની પાર્ટી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. વર્ષ 2003માં તેઓ પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. 2006માં ફારુક અબ્દુલ્લા ફરીથી પાર્ટીના અધ્યક્ષ બન્યા. 2009માં તેમણે કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન સરકાર બનાવી અને સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા. તેઓ 2015 સુધી મુખ્યમંત્રી રહ્યા.
ઓમર અબ્દુલ્લાએ તેમનું સ્કૂલિંગ શ્રીનગરથી કર્યું હતું. તેમણે સિડનહામ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી B.COM અને સ્ટ્રેથક્લાઈડ યુનિવર્સિટીમાંથી MBA પણ કર્યું છે. ઓમર અબ્દુલ્લાએ 1994માં પાયલનાથ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેઓ વર્ષ 2012માં અલગ થઈ ગયા હતા.
જમ્મુમાં કુદરતી આફતનો કહેર: વૈષ્ણોદેવી ભૂસ્ખલનમાં 41ના મોત, 30 મૃતદેહો કાટમાળમાંથી મળ્યા, મોટાભાગના દિલ્હી, યુપી, પંજાબ અને રાજસ્થાનના શ્રદ્ધાળુઓ
જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ભારે વિનાશ થયો છે. કિશ્તવાડ, ડોડા અને વૈષ્ણો દેવીમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને પંજાબના હતા. અત્યાર સુધીમાં 38 મૃતદેહો મળી આવ્યા છે.
- Manish Gangani
- Updated on: Aug 28, 2025
- 7:20 pm
પીડિતોની માફી માંગવા અમારી પાસે શબ્દો નથી, 26 વર્ષમાં પહેલીવાર કાશ્મીરીઓ આતંકવાદી સામે ખુલ્લેઆમ બહાર આવ્યા: ઓમર અબ્દુલ્લા
પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલા બાદ, જમ્મુ કાશ્મીર વિધાનસભાના એક દિવસીય વિશેષ સત્રમાં ઓમર અબ્દુલ્લા ભાવુક થયા હતા. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ કહ્યું, અમે પ્રવાસીઓને અહીં આવવા આમંત્રણ આપ્યું હતું, હું મૃતકોના પરિવારોની કયા શબ્દોમાં માફી માગું. માફી માંગવા માટે અમારી પાસે શબ્દો નથી. અમે આ લોકોને જમ્મુ અને કાશ્મીર આવવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમને સહી સલામત પાછા મોકલી શક્યા નહીં.
- TV9 Gujarati
- Updated on: Apr 28, 2025
- 5:05 pm
હોટલોની રેકી, 3થી વધુ આતંકવાદી અને લશ્કર-એ-તૈયબાનું કાવતરું, 30ના મોતની આશંકા, પહેલગામ આતંકવાદી હુમલામાં સૌથી મોટો ખુલાસો
પહેલગામના બાઈસરન ખાતે થયેલા આતંકવાદી હુમલામાં 30 લોકોના મોતની આશંકા છે. તેમાંથી બે વિદેશી નાગરિક પણ હોવાની વાત છે, જે પૈકી એક ઈઝરાયેલનો નાગરિક છે અને બીજો ઈટાલીનો નાગરિક હોવાનું કહેવાઈ રહ્યું છે. દરમિયાન હુમલાને લઈને મહત્વની માહિતી સામે આવી છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ એપ્રિલના પહેલા અઠવાડિયામાં કાશ્મીરના ઘણા પ્રવાસન સ્થળોની રેકી કરી હતી. આમાં પહેલગામની હોટલોનો પણ સમાવેશ થાય છે. એવું પણ સામે આવ્યું છે કે પહેલગામ આતંકી હુમલો ત્રણથી વધુ આતંકવાદીએ કર્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Apr 22, 2025
- 9:52 pm