
ઓમર અબ્દુલ્લા
ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ પાર્ટીના ઉપાધ્યક્ષ છે. 10 માર્ચ, 1970ના રોજ બ્રિટનમા જન્મેલા ઓમર અબ્દુલ્લા, 2009માં જમ્મુ અને કાશ્મીરના સૌથી નાની વયના મુખ્ય પ્રધાન બન્યા હતા. ઓમર અબ્દુલ્લા નેશનલ કોન્ફરન્સ પાર્ટીના પ્રમુખ ફારુક અબ્દુલ્લાના પુત્ર છે. આ કારણે તેમનો રાજકારણ સાથેનો સંબંધ જૂનો રહ્યો છે અને અમુક અંશે તેમને રાજકારણ વારસામાં મળ્યું છે. ઓમર અબ્દુલ્લાના પિતા ફારુક અબ્દુલ્લા અને તેમના દાદા શેખ અબ્દુલ્લા પણ જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. ઓમર અબ્દુલ્લાએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. પ્રથમ, તેઓ 1998માં 28 વર્ષની વયે 12મી લોકસભામાં ચૂંટાયા હતા. તેમણે સૌથી યુવા લોકસભા સભ્ય બનીને રેકોર્ડ બનાવ્યો. આ પછી, તેઓ ફરીથી વર્ષ 1999માં બીજી વખત લોકસભામાં ચૂંટાયા. તેઓ ન માત્ર સૌથી યુવા લોકસભા સભ્ય બન્યા, પણ સૌથી યુવા કેન્દ્રીય મંત્રી પણ બન્યા હતા..
વર્ષ 2001માં તેમણે કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. પરંતુ તેમણે વર્ષ 2002માં જ રાજીનામું આપી દીધું હતું, તેનું કારણ તેમની પાર્ટી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. વર્ષ 2003માં તેઓ પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. 2006માં ફારુક અબ્દુલ્લા ફરીથી પાર્ટીના અધ્યક્ષ બન્યા. 2009માં તેમણે કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન સરકાર બનાવી અને સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા. તેઓ 2015 સુધી મુખ્યમંત્રી રહ્યા.
ઓમર અબ્દુલ્લાએ તેમનું સ્કૂલિંગ શ્રીનગરથી કર્યું હતું. તેમણે સિડનહામ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી B.COM અને સ્ટ્રેથક્લાઈડ યુનિવર્સિટીમાંથી MBA પણ કર્યું છે. ઓમર અબ્દુલ્લાએ 1994માં પાયલનાથ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેઓ વર્ષ 2012માં અલગ થઈ ગયા હતા.
શું જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે? ઉપરાજ્યપાલે આપી કેબિનેટના પ્રસ્તાવને મંજૂરી આપી
જમ્મુ અને કાશ્મીરના નવા ચૂંટાયેલા મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શનિવારે કેબિનેટ દ્વારા પસાર કરાયેલ પૂર્ણ રાજ્યનો દરજ્જો મંજૂર કર્યો છે.
- Dhinal Chavda
- Updated on: Oct 19, 2024
- 6:59 pm
જમ્મુ-કાશ્મીરમાં છે અબ્દુલ્લા પરિવારનો દબદબો, દાદા, પિતા રહી ચૂક્યા છે સીએમ, ઓમર અબ્દુલ્લા ત્રીજી વખત લેશે શપથ
ઓમર અબ્દુલ્લા આ પહેલા 2 વખત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, તમને જણાવી દઈએ કે, ઓમર અબ્દુલ્લાના પિતાએ પણ લવ મેરેજ કર્યા હતા. ઓમર અબ્દુલ્લાએ પણ લવ મેરેજ કર્યા છે. ઓમર અબ્દુલ્લાની પર્સનલ લાઈફ અનેક ઉતાર-ચઢાવ ભરેલી રહી છે.
- Nirupa Duva
- Updated on: Mar 10, 2025
- 10:03 am
ઓમર અબ્દુલ્લા નેશનલ કોન્ફરન્સ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા, સરકાર રચવાનો દાવો રજૂ કરશે
નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોની આજે ગુરુવારે મળેલ બેઠકમાં પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાને વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. શુક્રવારે, તેના સહયોગી કોંગ્રેસ અને સીપીઆઈ (એમ) સાથે નેશનલ કોન્ફરન્સની બેઠક થશે. ત્યાર બાદ તેઓ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
- TV9 Gujarati
- Updated on: Oct 10, 2024
- 4:32 pm
Jammu Kashmir Election Result : બડગામ બેઠક પર ઓમર અબ્દુલ્લાનો 18485 મતે વિજય, જમ્મુ કાશ્મીરના CM બનશે
નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલાએ બડગામ બેઠક પરથી જીત મેળવી છે. ઓમરે જમ્મુ કાશ્મીરની બડગામ બેઠક પરથી ચૂંટણી લડવા ઉપરાંત અન્ય બેઠક પરથી પણ ઝંપલાવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં ઈન્ડિયા એલાયન્સને સ્પષ્ટ બહુમતી મળી રહી હોવાથી જમ્મુ કાશ્મીરમાં મુખ્ય પ્રધાન બની શકે છે ઓમર અબ્દુલ્લા.
- TV9 Gujarati
- Updated on: Oct 9, 2024
- 1:49 pm
જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સરકાર બનાવી શકે છે, ઓમર અબ્દુલ્લાની આ વાતનો સમજો અર્થ
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સરકાર બનાવી શકે છે. તેમણે એ પણ જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં ભાજપ કેવી રીતે સરકાર બનાવી શકે છે. ઓમરે લોકોને ચેતવતા કહ્યું કે તેઓ સમજદારીથી મતદાન કરે અને તેને વિભાજિત ન થવા દે.
- TV9 Gujarati
- Updated on: Oct 9, 2024
- 1:49 pm
ફેમિલી કોર્ટ, હાઈકોર્ટે છુટાછેડા આપવા ઈન્કાર કર્યા બાદ ઓમર અબ્દુલાએ સુપ્રીમના ખખડાવ્યા દ્વાર, કહ્યું 2009થી અલગ છીએ
ઓમર અબ્દુલ્લાની અરજી પર સુપ્રીમ કોર્ટે પાયલ અબ્દુલ્લાને નોટિસ પાઠવી છે. ઓમર અબ્દુલ્લા તેની પત્નીથી છૂટાછેડા લેવા માટે કોર્ટના શરણે છે, પરંતુ તેને ફેમિલી કોર્ટ અને હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે, ત્યારબાદ તેણે હવે આ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Oct 9, 2024
- 1:50 pm
હવે ઓમર અબ્દુલાએ પણ પાકિસ્તાનને કહ્યું- સંબંધ સુધારવાની જવાબદારી એકલા ભારતની નહીં
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ બે દિવસ પહેલા પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું હતું કે, તે પહેલાથી જ બરબાદ થઈ ગયું છે, તેથી પાકિસ્તાને આ વિશે વિચારવું જોઈએ. યુદ્ધ માત્ર બંને દેશોમાં વિનાશનું કારણ બનશે, તેનાથી વધુ કંઈ નહીં. હવે ઓમર અબ્દુલાએ પણ પાકિસ્તાનને સલાહ આપી છે.
- TV9 Gujarati
- Updated on: Oct 9, 2024
- 1:50 pm