Breaking News : મૌની રોયનું લગ્નજીવન ખતરામાં છે? પતિને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરતા ચાહકો નારાજ થયા
મૌની રોય અને પતિ સુરજ નાંબિયારની જોડી ચાહકોની ફેવરિટ જોડી હતી. પરંતુ એક સમાચારથી ચાહકોને ઝટકો લાગશે કે, કારણ કે, બંન્ને ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા છે. ત્યારબાદ છુટાછેડાની ચર્ચા શરુ થઈ છે.

મૌની રોય અને પતિ સુરજ નાંબિયાર વચ્ચે અણબનાવના સમાચાર સામે આવી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે, તેમણે એકબીજાને અનફોલો કર્યા છે. રિપોર્ટ મુજબ ચાહકો આ વાતથી દુખી છે.

ચાહકોએ જોયું તો મૌની રોય અને સુરજ નાંબિયારે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરવાનું બંધ કર્યું છે. જ્યારે તે એકબીજાને ફોલો કરતા હતા.આને લઈ મૌની કે સુરજનું કોઈ રિએક્શન સામે આવ્યું નથી.જેના કારણે અલગ થવાની અફવા વધારે તેજ બની છે.

વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે કેટલાક ચાહકોએ મોની રોય અને સૂરજ નાંબિયારનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોયું તો બંન્ને એકબીજાને અનફોલો કર્યા છે. ત્યારથી ચર્ચા થઈ રહી છે કે, બંન્ને વચ્ચે કાંઈ સારું ચાલતું નથી. ટુંકમાં અણબનાવ છે.

મૌની રોય ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે. તેમજ પતિ સુરજ સાથે વેકેશનના ફોટો પણ શેર કરતી રહે છે. હવે મૌની રોય કે સુરજ બંન્નેમાંથી કોઈ સાથે વીડિયો કે ફોટો શેર કરતા નથી. તેમજ સુરજે મૌની સાથેના લગ્નના ફોટો પણ ડિલીટ કર્યા છે. આ દાવો ચાહકોએ કર્યો છે.

તમને જણાવી દઈએ કે, મૌની રોય અને નાંબિયારે વર્ષ 2022માં ગોવામાં લગ્ન કર્યા હતા. તેમણે મલયાલી અને બંગાળી રીતિ રીવાજથી લગ્ન કર્યા હતા.ત્યારે બંન્ને સોશિયલ મીડિયા પર લગ્નના ફોટો શેર કર્યા હતા.

સુજ નાંબિયારની વાત કરીએ તો તે દુબઈમાં રહેનાર ઈન્વેસ્ટમેન્ટ બેન્કર છે. મૌની રોય સાથે પહેલી મુલાકાત વર્ષ 2019માં થઈ હતી. બંન્ને લાંબા સમયસુધી રિલેશનશીપમાં રહ્યા હતા. સગાઈ બાદ કપલે લગ્ન કર્યા હતા.
અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને એક્ટિંગની દુનિયામાં ઝંપલાવ્યું, આ અભિનેત્રીના ટીવી સિરીયલથી લઈ ફિલ્મોમાં થઈ ચૂક્યા છે એક્ટિંગના વખાણ અહી ક્લિક કરો
