એકાદશી
હિન્દુ પંચાંગમાં અગિયારમી તિથિ એકાદશી અથવા તો અગિયારસથી ઓળખવામાં આવે છે. આ તિથિ ગુજરાતી કેલેન્ડર પ્રમાણે મહિનામાં બે વાર આવે છે. અંજવાળિયા પક્ષની અગિયારસને શુક્લ પક્ષની એકાદશી કહેવાય છે અને અંધારિયા પક્ષની અગિયારસને કૃષ્ણ પક્ષની એકાદશી કહેવાય છે. આ બંને અગિયારસનું હિન્દુ ધર્મમાં બહુ જ મહત્વ રહેલું છે. તેમાં ભગવાન વિષ્ણુની ભક્તિ કરવામાં આવે છે.
એક મહિનમાં 2 એટલે આખા વર્ષમાં 24 અગિયારસ આવે છે. તે વ્રત કરતા સમયે અમુક નિયમોનું પાલન કરવું પડે છે. જેમ કે વ્રત રાખતા લોકોએ ફળાહાર કરવું જોઈએ. કોઈ પણ ભોજન સામગ્રી પ્રભુને તુલસી પત્ર ધરાવીને જ અર્પણ કરવી જોઈએ. તે દિવસે ગુસ્સો કરવો જોઈએ નહી તેમજ અપશબ્દો બોલવા ન જોઈએ. વિનમ્ર સ્વભાવે દરેક સાથે વાત કરવી જોઈએ. આખા દિવસ દરમિયાન ‘ॐ नमो भगवते वासुदेवाय’ મંત્રનો જાપ કરવો જોઈએ અને શ્રી હરીનું ધ્યાન ધરવું જોઈએ.
Ekadashi : એકાદશી પર મૃત્યુ પામેલા લોકો શું ખરેખર મોક્ષ પ્રાપ્ત કરે છે?
એકાદશીનું ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ હોય છે. હિન્દુ શાસ્ત્રો અને સમુદાયમાં એકાદશી વ્રત, ઉપવાસનું ભારે મહત્વ આંકવામાં આવ્યું છે. હિન્દુ વર્ષમાં 24 એકાદશી આવે છે. જો અધિક માસ હોય તો 26 એકાદશી આવે છે. લોકો આ દિવસે ઉપવાસ કરતા હોય છે.એકાદશી પર મૃત્યુ પામેલા વ્યક્તિને મોક્ષ મળે છે તેવી ઘણી માન્યતાઓ પણ છે.
- Tanvi Soni
- Updated on: Jun 20, 2025
- 10:19 am
Ekadashi : એકાદશી પર ચોખા કેમ ન ખાવા જોઈએ? ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો જાણો
દાદીમાની વાતો : હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ શુભ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. એકાદશીના દિવસે ચોખાનું સેવન વર્જિત છે.
- Meera Kansagara
- Updated on: Jan 14, 2025
- 2:31 pm