AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge Update: શું તમને ખબર છે તમે જે કેપ્સ્યુલ ખાવ છો તેનો બહારનો ભાગ શેનાથી બનેલો છે ? જાણો, પેટમાં કેટલી ઝડપથી ઓગળે છે

જિલેટીન પ્રાણીઓની ચામડી અને હાડકાંમાંથી બનાવવામાં આવતું હોવાથી ફાર્મા ઉદ્યોગમાં શાકાહારી કેપ્સ્યુલ (capsule) પણ લોકપ્રિય છે. આ કેપ્સ્યુલ જીલેટીનથી નથી પરંતુ સેલ્યુલોઝથી બનેલું છે. આ સેલ્યુલોઝ દેવદારના રસમાંથી બનાવવામાં આવે છે.

Knowledge Update: શું તમને ખબર છે તમે જે કેપ્સ્યુલ ખાવ છો તેનો બહારનો ભાગ શેનાથી બનેલો છે ? જાણો, પેટમાં કેટલી ઝડપથી ઓગળે છે
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 8:18 PM
Share

Knowledge Update: ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં(Pharma Industries) ખાવાની દવાઓ શેલ અથવા કવરમાં બંધ કરવા માટે ઘણી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. આ શેલ અથવા કવરને જ કેપ્સ્યુલ (capsule) કહેવાય છે. જે પદ્ધતિથી દવાઓને કેપ્સ્યુલમાં બનાવવામાં આવે છે તેને એન્કેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. આ કેપ્સ્યુલ ખાવાવાળી દવાઓ માટે છે. કેપ્સ્યુલ દવાને એવી રીતે ખાવા યોગ્ય બનાવે છે જે તેને ગળી જવામાં સરળ બનાવે છે. કેપ્સ્યુલ્સ સખત અથવા નરમ બંને હોઈ શકે છે.

સામાન્ય રીતે મોટાભાગની કેપ્સ્યુલ જિલેટીનથી બનેલી હોય છે. જિલેટીનમાંથી કેપ્સ્યુલ બનાવવામાં આવે છે કારણ કે જિલેટીન એક મુખ્ય ઘટક અથવા દવાઓનો ભાગ છે. જિલેટીન ખાદ્ય ઉત્પાદનોમાં પણ જોવા મળે છે. જિલેટીન ગાય અને ડુક્કરની ચામડી અને હાડકાં ઉકાળીને બનાવવામાં આવે છે.

તેનો ઉપયોગ જિલેટીન કેપ્સ્યુલ બનાવવા માટે થાય છે. આવા કેપ્સ્યુલ હાર્ડ શેલ માટે બનાવવામાં આવે છે. બીજી બાજુ નરમ શેલની કેપ્સ્યુલમાટે તેલ અને પ્રવાહીનો ઉપયોગ થાય છે. જિલેટીન આધારિત દવાઓ બજારમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે કારણ કે આવા કેપ્સ્યુલ સસ્તા છે અને દવાઓના ભાવ વાજબી રાખવામાં મદદ કરે છે.

જિલેટીન કેપ્સ્યુલ અમેરિકન સંગઠન એફડીએ અનુસાર, ખોરાકમાં જિલેટીન લેવાનું સલામત છે. જો કે, જિલેટીનની માત્રા અંગે કોઈ નિયમ નથી જે લઈ શકાય. જિલેટીનથી બનેલા કેપ્સ્યુલની કેટલીક આડઅસરો પણ નોંધવામાં આવી છે. આ પાચનમાં વિક્ષેપ પેદા કરી શકે છે અને પેટની તકલીફ પણ કરી શકે છે.

તે પણ હકીકત છે કે જિલેટીન આધારિત કેપ્સ્યુલનો વધુ પડતો ઉપયોગ કિડની અને લીવરને નુકસાન પહોંચાડે છે. આવું થાય છે કારણ કે જિલેટીનનું પ્રોટીન શરીર દ્વારા યોગ્ય રીતે ઉપયોગમાં લેવાતું નથી. જિલેટીનનું પ્રોટીન સંપૂર્ણ સ્વરૂપમાં છે, જે પાચન કરવું મુશ્કેલ છે.

કેપ્સ્યુલ ઝડપથી ઓગળી જાય છે જિલેટીન કેપ્સ્યુલ ખાધા પછી તરત જ પેટમાં ઓગળી જાય છે. તેમાં વપરાતી દવાઓ સાથે કેપ્સ્યુલ શરીરમાં કામ કરવાનું શરૂ કરે છે. જિલેટીન પ્રાણીઓની ચામડી અને હાડકાંમાંથી બનાવવામાં આવતું હોવાથી ફાર્મા ઉદ્યોગમાં શાકાહારી કેપ્સ્યુલ પણ લોકપ્રિય છે. આવા કેપ્સ્યુલ સેલ્યુલોઝથી બનેલા છે જિલેટીનથી નહીં.

આ સેલ્યુલોઝ દેવદારના રસમાંથી બનાવવામાં આવે છે. આમાં કોઈ પ્રાણીના ભાગોનો ઉપયોગ કરવામાં આવતો નથી. જોકે શાકાહારી કેપ્સ્યુલ ખૂબ મોંઘા છે છતાં તેની માંગ ઝડપથી વધી રહી છે. તેનું કારણ એ છે કે શાકાહારી કેપ્સ્યુલથી કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં.

શાકાહારી કેપ્સ્યુલ શાકાહારી કેપ્સ્યુલમાં બે ઘટકો હોય છે – શુદ્ધ પાણી અને હાઇડ્રોક્સીપ્રોપીલમેથિલસેલ્યુલોઝ અથવા HPMC. આ બંને તત્વો સંપૂર્ણપણે કુદરતી છે. જેની શરીર પર કોઈ અસર થતી નથી. શાકાહારી આધારિત કેપ્સ્યુલ પ્રવાહી જેલ અથવા ફાર્માસ્યુટિકલ પાવડરથી ભરેલા છે. તેમાં કોઈ પ્રિઝર્વેટિવ્સ, ખાંડ, સ્ટાર્ચ અથવા અન્ય કોઈપણ ઉમેરાયેલા ઘટકો ઉમેરવામાં આવતા નથી. આ પ્રકારની કેપ્સ્યુલ આપણી પાચન તંત્ર દ્વારા સરળતાથી પચી જાય છે અને તે સામાન્ય રીતે GOM પ્રી હોય છે.

આ પણ વાંચો : New Zealand: ઓકલેન્ડને છોડીને આખો દેશ ફરીથી થશે ‘અનલોક’, 30 લાખ લોકોને મળશે લોકડાઉનથી છૂટ

આ પણ વાંચો :Akshay Kumarની માતાની હાલત નાજુક, ICUમાં દાખલ, UKથી ફિલ્મનું શૂટિંગ છોડ્યા બાદ ઉતાવળમાં મુંબઈ પરત ફર્યા અભિનેતા

Follow Us
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
g clip-path="url(#clip0_868_265)">