New Zealand: ઓકલેન્ડને છોડીને આખો દેશ ફરીથી થશે ‘અનલોક’, 30 લાખ લોકોને મળશે લોકડાઉનથી છૂટ

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને (Jacinda Ardern) કહ્યું કે, કોરોના કેસ ઘટાડવામાં સકારાત્મક પ્રગતિ થઈ છે. પરંતુ ઝડપથી ફેલાતું ડેલ્ટા વેરિએન્ટ ગેમ ચેન્જર સાબિત થયું છે.

New Zealand: ઓકલેન્ડને છોડીને આખો દેશ ફરીથી થશે 'અનલોક', 30 લાખ લોકોને મળશે લોકડાઉનથી છૂટ
File photo
Follow Us:
| Updated on: Sep 06, 2021 | 6:59 PM

મંગળવારે ન્યુઝીલેન્ડના (New Zealand )સૌથી મોટા શહેર ઓકલેન્ડ (Auckland) સિવાય દેશના મોટાભાગના ભાગોમાંથી લોકડાઉન હટાવવામાં આવશે. સરકારે સોમવારે આ જાહેરાત કરી હતી. સરકારે સંકેત આપ્યા છે કે ઓકલેન્ડમાં ઓછામાં ઓછા આગામી સપ્તાહ સુધી કડક પ્રતિબંધો લાગુ રહેશે. ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડમાં ગત મહિનાથી કોરોના વાઈરસના ડેલ્ટા વેરિએન્ટ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. તાજેતરમાં સંક્રમિત થયેલા તમામ દર્દીઓ ઓકલેન્ડના છે. સોમવારે પણ શહેરમાં કોરોનાના 20 નવા કેસ નોંધાયા હતા.

વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને સોમવારે કહ્યું હતું કે ન્યુઝીલેન્ડ આ અઠવાડિયે તેના મોટાભાગના કોવિડ -19 લોકડાઉનને હટાવી લેશે. દેશમાં માત્ર ઓકલેન્ડ શહેર જ કડક પ્રતિબંધ હેઠળ રહેશે. અહીં લોકોએ તેમના ઘરોમાં રહેવું પડશે. આર્ડર્ને કહ્યું કે મંગળવારથી 30 લાખ લોકોએ તેમના ઘરોમાં રહેવાની જરૂર રહેશે નહીં.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

છેલ્લા ત્રણ સપ્તાહમાં પ્રથમ વખત ગુરુવારે શાળાઓ ફરી ખુલશે. તેમણે આગળ કહ્યું કે ગયા મહિને ઓકલેન્ડમાં ડેલ્ટા વેરિએન્ટને કારણે કોરોનાનું સંક્ર્મણ વધી ગયું હતું. આ કારણે લોકડાઉન અહીં બીજા અઠવાડિયા સુધી અમલમાં રહેશે. 20 લાખની વસ્તી ધરાવતા ઓકલેન્ડમાં હજુ સુધી કોરોના સંક્ર્મણ નિયંત્રણમાં નથી.

કોરોનાને નિયંત્રણ કરવા માટે વધુ સારું કામ કર્યું

ન્યુઝીલેન્ડના વડાપ્રધાને કહ્યું કે કોરોનાના કેસ ઘટાડવામાં સકારાત્મક પ્રગતિ થઈ છે. પરંતુ ઝડપથી સંક્ર્મણ ફેલાવતું ડેલ્ટા વેરિએન્ટ ગેમ ચેન્જર સાબિત થયું છે. આનો અર્થ એ કે ઓકલેન્ડને ટૂંક સમયમાં પ્રતિબંધોમાંથી મુક્તિ મળવાની નથી. તેમણે કહ્યું કે અમે કોરોના સંક્રમણને રોકવા માટે વધુ સારું કામ કર્યું છે.

કડક લોકડાઉનના પ્રતિબંધો કામ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કામ પૂર્ણ થયું નથી. પીએમે કહ્યું કે અમે આ વાયરસને ખતમ કરવાના આરે છીએ. પરંતુ અમે હથિયારો મૂકી શકતા નથી. દેશની ચાર-સ્તરીય કોરોના રિસ્પોન્સ સિસ્ટમ હેઠળ ઓકલેન્ડ સિવાય બાકીનો દેશ લેવલ ટુ પ્રતિબંધો પર રહેશે.

છ મહિના સુધી એક પણ કેસ સામે આવ્યો ન હતો

લેવલ ટુ હેઠળ ઘરોમાં રહેવાના પ્રતિબંધો નાબૂદ કરવામાં આવશે. પરંતુ ઓકલેન્ડમાં સામે આવેલા કોરોના ક્લસ્ટર પહેલાની સ્થિતિ પુનઃ સ્થાપિત થશે નહીં. ઘરની અંદર લોકોની ભીડ 50થી વધુ નહીં હોય. ઘણી જગ્યાએ ફરી માસ્ક પહેરીને ટ્રેસર-એપ સ્કેનિંગનો ઉપયોગ કર્યો. છેલ્લા છ મહિનાથી ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

આ દેશ કોરોના મુક્ત ઝોન રહ્યો હતો અને રોગચાળાનો સામનો કરવા માટે સમગ્ર વિશ્વમાં તેની પ્રશંસા કરવામાં આવી હતી. અત્યાર સુધી ન્યુઝીલેન્ડમાં કોવિડ -19ના 821 કેસ નોંધાયા છે. તે જ સમયે, સરકાર દેશમાંથી કોરોના વાયરસના ચેપને સંપૂર્ણપણે નાબૂદ કરવાના પ્રયાસમાં એક અનોખી વ્યૂહરચના અપનાવી રહી છે.

આ પણ વાંચો : શું તમને ખબર છે કે, ડુંગળીની છાલમાંથી પણ બનાવી શકાય છે જૈવિક ખાતર ? ઘરે જ આ રીતે બનાવો ખાતર

આ પણ વાંચો :ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં કપાસ અને ડાંગરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">