સરગવાની શીંગો જ નહીં તેના પાંદડાના પણ અઢળક ફાયદાઓ તમે જાણીને ચોંકી જશો
સામાન્ય દેખાતો સરગવાનો છોડ ખરેખર કુદરતનો એક ખજાનો છે. આપણે સામાન્ય રીતે તેની શીંગોનો ઉપયોગ તો કરીએ છીએ, પરંતુ તેના પાંદડાના અઢળક ગુણોથી અજાણ હોઈએ છીએ. કારણ કે તેના પાંદડામાં એવા અદ્ભુત ઔષધીય ગુણો રહેલા છે. ચાલો વિગતે જાણીએ.

સરગવાના પાંદડાઓમાં વિટામિન્સ, મિનરલ્સ, અને એન્ટી-ઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તે માત્ર શરીરને પોષણ જ નથી આપતા, પરંતુ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરીને, પાચન સુધારીને અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓમાં પણ ફાયદો પહોંચાડે છે. તો ચાલો, જાણીએ કે સરગવાના આ સામાન્ય પાંદડા કેવી રીતે તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે.

પોષક તત્વોનો ભંડાર - સરગવાના પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ, વિટામિન A, વિટામિન C અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.

સોજા વિરોધી (Anti-inflammatory) ગુણ - સરગવાના પાંદડામાં એવા સંયોજનો હોય છે જે શરીરમાં થતા આંતરિક સોજાને ઘટાડવામાં મદદ કરે છે. આ સોજો ઘણા રોગો, જેમ કે સંધિવા (આર્થરાઈટિસ), ડાયાબિટીસ અને હૃદય રોગનું મૂળ કારણ હોઈ શકે છે.

ત્વચા અને વાળ માટે ફાયદાકારક - તેના પાંદડામાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ ત્વચાને સ્વસ્થ રાખે છે અને તેને મુક્ત રેડિકલથી થતા નુકસાનથી બચાવે છે. તે ત્વચા પરની કરચલીઓ ઓછી કરવામાં અને ચહેરો ચમકદાર બનાવવામાં મદદ કરે છે. સાથે જ, તે વાળના મૂળને મજબૂત કરીને વાળને ખરતા અટકાવે છે.

પાચનતંત્ર માટે ઉત્તમ - સરગવાના પાંદડામાં રહેલા ફાઈબર પાચન ક્રિયાને સુધારે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે. તે આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

લોહીમાં શુગરનું સ્તર નિયંત્રિત કરે છે - સરગવાના પાંદડાનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ મળે છે. આ કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે.

મગજ અને ચેતાતંત્ર માટે લાભદાયક - તેના ગુણો મગજને શાંત રાખવામાં અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. તે ચેતાતંત્રને સુરક્ષિત રાખે છે, જેનાથી તણાવ અને ચિંતા ઓછી થાય છે.

સરગવાના પાંદડાનો ઉપયોગ કેવી રીતે કરવો? - તમે સરગવાના પાંદડાનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો જેમ કે દાળ, સૂપ કે શાકમાં નાખીને, પાંદડાની સ્વાદિષ્ટ ચટણી બનાવીને, પાંદડાને સૂકવીને તેનો પાવડર બનાવી શકો છો અને તેને પાણી કે સ્મૂધીમાં ભેળવીને પી શકો છો, તેના પાંદડાને ગરમ પાણીમાં નાખીને ચા બનાવીને. (ALL PHOTOS CREDIT: GOOGLE AND SOCIAL MEDIA)
બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.તો એસિડિટી અને ગેસને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
