AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yogi Adityanath Education: રાજનીતિ પહેલા ગણિતમાં હતી યોગી આદિત્યનાથની રૂચી, જાણો કેવું રહ્યું તેમનું વિદ્યાર્થી જીવન

યોગી આદિત્યનાથ ખૂબ જ સારા વક્તા છે અને તેમની વાણીથી કોઈને પણ આકર્ષિત કરવાની ક્ષમતા છે. તેમણે ખૂબ જ નાની ઉંમરે સન્યાસ લીધો અને સમાજ સેવામાં જોડાયા. તેમનો અભ્યાસ કેવો હતો અને તેમનું વિદ્યાર્થી જીવન કેવું હતું ચાલો એક નજર કરીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 11:15 AM
Share
Yogi Adityanath - File Photo

Yogi Adityanath - File Photo

1 / 6
યોગી આદિત્યનાથનો જન્મ 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર તહસીલના પંચુર ગામમાં થયો હતો. તે સમયે તે ભાગ ઉત્તર પ્રદેશમાં જ આવતો હતો. યોગી આદિત્યનાથ ગઢવાલી રાજપૂત છે. તેમના પિતાનું નામ આનંદ સિંહ બિષ્ટ અને માતાનું નામ સાવિત્રી દેવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું સાચું નામ અજય સિંહ બિષ્ટ છે.

યોગી આદિત્યનાથનો જન્મ 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર તહસીલના પંચુર ગામમાં થયો હતો. તે સમયે તે ભાગ ઉત્તર પ્રદેશમાં જ આવતો હતો. યોગી આદિત્યનાથ ગઢવાલી રાજપૂત છે. તેમના પિતાનું નામ આનંદ સિંહ બિષ્ટ અને માતાનું નામ સાવિત્રી દેવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું સાચું નામ અજય સિંહ બિષ્ટ છે.

2 / 6
યોગીજીએ વર્ષ 1977માં ટિહરી ગડવાલની ગજાની શાળામાંથી શિક્ષણની શરૂઆત કરી હતી. 1989માં તેમણે ભારત મંદિર ઈન્ટર કોલેજ, ઋષિકેશમાંથી 12મું પાસ કર્યું અને 1992માં હેમવતી નંદન બહુગુણા ગડવાલ યુનિવર્સિટીમાંથી ગણિતમાં B.Sc કર્યું. કોલેજના સમયથી જ તેઓ તેમની વાણીની ગુણવત્તા માટે ખૂબ જ પ્રખ્યાત હતા.

યોગીજીએ વર્ષ 1977માં ટિહરી ગડવાલની ગજાની શાળામાંથી શિક્ષણની શરૂઆત કરી હતી. 1989માં તેમણે ભારત મંદિર ઈન્ટર કોલેજ, ઋષિકેશમાંથી 12મું પાસ કર્યું અને 1992માં હેમવતી નંદન બહુગુણા ગડવાલ યુનિવર્સિટીમાંથી ગણિતમાં B.Sc કર્યું. કોલેજના સમયથી જ તેઓ તેમની વાણીની ગુણવત્તા માટે ખૂબ જ પ્રખ્યાત હતા.

3 / 6
1993માં યોગીજી ગોરખપુર આવ્યા હતા અને અહીં તેઓ ગોરખનાથ મંદિરના મહંત અવૈધનાથજીને મળ્યા હતા. મહંત અવૈધનાથજી તેમનાથી વાકેફ હતા. યોગીજીએ અવૈધનાથજી પાસેથી દીક્ષા લીધી અને 1994માં સાધુ બન્યા, જેના કારણે તેમનું નામ અજય સિંહ બિષ્ટથી બદલીને યોગી આદિત્યનાથ કરવામાં આવ્યું.

1993માં યોગીજી ગોરખપુર આવ્યા હતા અને અહીં તેઓ ગોરખનાથ મંદિરના મહંત અવૈધનાથજીને મળ્યા હતા. મહંત અવૈધનાથજી તેમનાથી વાકેફ હતા. યોગીજીએ અવૈધનાથજી પાસેથી દીક્ષા લીધી અને 1994માં સાધુ બન્યા, જેના કારણે તેમનું નામ અજય સિંહ બિષ્ટથી બદલીને યોગી આદિત્યનાથ કરવામાં આવ્યું.

4 / 6
1998માં, યોગીજીએ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર પહેલીવાર ગોરખપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી અને તેઓ જીત્યા. 12મી લોકસભા ચૂંટણીમાં તેઓ સૌથી યુવા સાંસદ હતા, તે સમયે તેમની ઉંમર માત્ર 26 વર્ષની હતી. 1999ની લોકસભા ચૂંટણીમાં તેઓ ફરી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમના નામે સૌથી યુવા સાંસદ બનવાનો રેકોર્ડ છે.

1998માં, યોગીજીએ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર પહેલીવાર ગોરખપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી અને તેઓ જીત્યા. 12મી લોકસભા ચૂંટણીમાં તેઓ સૌથી યુવા સાંસદ હતા, તે સમયે તેમની ઉંમર માત્ર 26 વર્ષની હતી. 1999ની લોકસભા ચૂંટણીમાં તેઓ ફરી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમના નામે સૌથી યુવા સાંસદ બનવાનો રેકોર્ડ છે.

5 / 6
યોગી આદિત્યનાથ હિન્દુ યુવા વાહિનીના સ્થાપક પણ છે. હિન્દુ યુવા વાહિની સંગઠન એ હિન્દુ યુવાનોનું સામાજિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રવાદી જૂથ છે. 19 માર્ચ 2017 ના રોજ, તેઓ ઉત્તર પ્રદેશના 21મા મુખ્ય પ્રધાન બન્યા.

યોગી આદિત્યનાથ હિન્દુ યુવા વાહિનીના સ્થાપક પણ છે. હિન્દુ યુવા વાહિની સંગઠન એ હિન્દુ યુવાનોનું સામાજિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રવાદી જૂથ છે. 19 માર્ચ 2017 ના રોજ, તેઓ ઉત્તર પ્રદેશના 21મા મુખ્ય પ્રધાન બન્યા.

6 / 6
Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">