Phoneને લેપટોપથી ચાર્જ કેમ ના કરવો જોઈએ ? 99% લોકો નથી જાણતા નુકસાન
ખાસ કરીને, ઓફિસમાં કામ કરતી વખતે અથવા મુસાફરી કરતી વખતે, આપણે લેપટોપથી જ ફોન ચાર્જ કરીએ છે, પણ લેપટોપથી ફોન ચાર્જ કરવો કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે તે તમે નથી જાણતા

સ્માર્ટફોન વિના એક દિવસ પણ પસાર કરવો મુશ્કેલ લાગે છે. ઘણા લોકો વ્યક્તિગતથી લઈને વ્યાવસાયિક કામ સુધી બધું જ મોબાઇલ ફોન પર કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ સ્માર્ટફોનની બેટરી ડાઉન થવા લાગે છે, ત્યારે આપણે તેને ઝડપથી ચાર્જ કરવા માંગીએ છીએ. આ જ કારણ છે કે આપણે આપણી સુવિધા માટે લેપટોપથી મોબાઇલ ફોન ચાર્જ કરવાની આદત બનાવી દીધી છે. ખાસ કરીને, ઓફિસમાં કામ કરતી વખતે અથવા મુસાફરી કરતી વખતે, આપણે લેપટોપથી જ ફોન ચાર્જ કરીએ છે, પણ લેપટોપથી ફોન ચાર્જ કરવો કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે તે તમે નથી જાણતા

સ્માર્ટફોનને હમેંશા તેના મૂળ ચાર્જરથી જ ચાર્જ કરવાની સલાહ આપવામાં આવે છે. પણ જો તમે ફોનને લેપટોપથી ચાર્જ કરો છો તો તમારા ફોન જલદી ખરાબ થઈ શકે છે આ સિવાય પણ ફોનને ઘણા નુકસાન થાય છે ત્યારે ચાલો જાણી એ અહીં સત્ય કે ફોન કેમ લેપટોપથી ચાર્જ ના કરવો જોઈએ

જ્યારે મોબાઇલ ફોનને મૂળ ચાર્જરથી ચાર્જ કરવામાં આવે છે ત્યારે ચાર્જિંગ સ્પીડ ઝડપી હોય છે. બીજી તરફ, લેપટોપના USB પોર્ટથી ફોનને ચાર્જ કરવાની સ્પીડ ઓછી થાય છે. આનું કારણ એ છે કે મોટાભાગના લેપટોપનો USB 2.0 પોર્ટ ફક્ત O.5A (એમ્પીયર) આપે છે અને USB 3.0 પોર્ટ 0.9A પાવર આપે છે. બીજી તરફ, ફોન ચાર્જર 2A અથવા તેથી વધુ પાવર આપે છે. જેના કારણે ફોન ઝડપથી ચાર્જ થાય છે.

બેટરી હેલ્થ પર અસર: ઓછા વોલ્ટેજ અને પાવર સપ્લાયને કારણે ફોનની બેટરી પર અસર થાય છે. આવી સ્થિતિમાં, જો તમે ફોનને લાંબા સમય સુધી લેપટોપ અથવા અનિયમિત પાવર સપ્લાય આપતી ડિવાઇસથી ચાર્જ કરો છો, તો તે તમારા મોબાઇલ ફોનની બેટરી હેલ્થ પર નકારાત્મક અસર કરે છે, જે બેટરીનું પ્રદર્શન અને આયુષ્ય ઘટાડી શકે છે.

ઓવરહિટીંગની સમસ્યા: લેપટોપથી ફોન ધીમો ચાર્જ થાય છે. જેના કારણે આપણે મોબાઇલ ફોનને લાંબા સમય સુધી લેપટોપ સાથે કનેક્ટ રાખીએ છીએ. આમ કરવાથી, ફોન ગરમ થવા લાગે છે. ક્યારેક ફોન પણ વધુ ગરમ થવા લાગે છે, જે બેટરીને અસર કરે છે અને તેને નુકસાન પણ થઈ શકે છે.

લેપટોપ બેટરી પર અસર: જો તમારું લેપટોપ બેટરીથી ચાલી રહ્યું હોય અને તમે તેનાથી ફોન ચાર્જ કરો છો, તો તેની બેટરી પણ ઝડપથી ડિસ્ચાર્જ થવા લાગશે. એટલું જ નહીં, તે લેપટોપની બેટરી લાઇફ પણ ઘટાડી શકે છે.

ડેટા ચોરી અને વાયરસનું જોખમ: ઘણી વખત આપણે વિચાર્યા વગર ફોનને લેપટોપ સાથે ચાર્જ કરવા માટે કનેક્ટ કરીએ છીએ. આમ કરવાથી, USB કનેક્શનથી ડેટા ટ્રાન્સફર પણ ચાલુ થઈ જાય છે અને જો તમારા લેપટોપમાં વાયરસ કે માલવેર હોય, તો તે ફોનમાં પણ આવી શકે છે. તે જ સમયે, જો તમે ફોનને ચાર્જ કરવા માટે બીજા કોઈના લેપટોપ સાથે કનેક્ટ કરો છો, તો તમારો ડેટા ચોરાઈ જવાનો ભય પણ વધી જાય છે.

શોર્ટ સર્કિટનું જોખમ: લેપટોપ ચાર્જ કરતી વખતે, વ્યક્તિએ મોબાઇલ ફોનને તેની સાથે કનેક્ટ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે, બંને ઉપકરણોની પાવર હેન્ડલિંગ ક્ષમતા અલગ છે. આવી સ્થિતિમાં, લેપટોપ કે મોબાઇલ ફોનમાં શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે.
રાતે સૂતી વખતે Phone ચાર્જમાં કેમ ના મુકવો જોઈએ? 99% લોકો નથી જાણતા કારણ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
