Vastu Tips : ત્રિકોણાકાર પ્લોટ કે ઘર ખરીદાય ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો કોઈ ઘર ચોક્કસ નિયમોનું પાલન કરીને બનાવવામાં આવે છે, તો તે ઘર સમૃદ્ધિ, શાંતિ અને પ્રગતિ લાવે છે. ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર કયા પ્રકારનો પ્લોટ ઘર બનાવવામાં ઉત્તમ માનવામાં આવે છે.

વધતી જતી મોંઘવારીના યુગમાં, જ્યારે માણસની જરૂરિયાતો વધી રહી છે, ત્યારે ઘર બનાવવું એક મોટી સમસ્યા બની ગઈ છે. દરેક માણસ પોતાનું ઘર રાખવાનું સ્વપ્ન જુએ છે. માણસ ગરીબ હોય કે અમીર, તે ઘર બનાવવાનું સ્વપ્ન જુએ છે.

ત્યારે તમે ઘર ખરીદો છો કે ઘર બનાવવા માટે પ્લોટ ખરીદો છો ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે જણાવીશું. તેમજ ક્યાં આકારનો પ્લોટ કે ઘરનું વાસ્તુ શાસ્ત્રમાં શું મહત્વ છે તે જણાવીશું.

દરેક જમીનમાલિકને તેની જરૂરિયાતો અનુસાર નાના, મોટા અને વિવિધ કદના પ્લોટની જરૂર હોય છે. ઘર બનાવવા માટે વિવિધ પ્રકારના પ્લોટ હોય છે,

કેટલાક પ્લોટ ત્રિકોણાકાર હોય છે. આ પ્રકારના પ્લોટ પર ઘર બનાવવું અશુભ માનવામાં આવે છે. ઘરમાલિકને ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.

ત્રિકોણાકાર પ્લોટ પર રહેવું જમીનમાલિક અથવા ઘરમાલિક માટે અશુભ માનવામાં આવે છે. ઘરમાલિકને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આ ઉપરાંત સરકારનો ડર અને કાનૂની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. આવા પ્લોટની એક બાજુની જમીન સામાન્ય રીતે નકશા મુજબ બંધબેસતી નથી.

ત્રિકોણાકાર જગ્યાનો ઉપયોગ શૌચાલય, બહારની દુકાન, પાણીની ટાંકી વગેરે બનાવવા માટે થાય છે. પરંતુ શક્ય હોય ત્યાં સુધી આવી જગ્યાઓ પર મકાન ખરીદવું ન જોઈએ. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.) All Pic- Freepik
તમારી કારકિર્દીમાં ઝડપી સફળતા પ્રાપ્ત કરવા અને આધ્યાત્મિક પ્રગતિ માટે ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો
