AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારા પર્સમાં પણ છે આ વસ્તુ ? તો ચેતી જજો, એક નાની ભૂલ તમને આર્થિક રીતે કંગાળ બનાવી શકે છે

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં પૈસા, સુખ અને સમૃદ્ધિની કામના કરે છે પરંતુ ઘણીવાર સખત મહેનત કરવા છતાં પૈસા હાથમાં ટકતા નથી. વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 'પર્સ' ધન આકર્ષિત કરવાનું એક મહત્વનું માધ્યમ છે. કહેવાય છે કે, પર્સમાં કેટલીક શુભ વસ્તુઓ રાખવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને પ્રગતિના રસ્તા ખુલે છે.

| Updated on: May 12, 2026 | 5:00 PM
Share
પર્સ માત્ર રૂપિયા રાખવાનું સાધન નથી પરંતુ તે વ્યક્તિની આર્થિક ઊર્જા સાથે પણ જોડાયેલું હોય છે. જ્યોતિષાચાર્યોના મતે, જો પર્સમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહે તો 'ધન આગમન'ના દ્વાર ખુલે છે અને ખોટા ખર્ચમાં ઘટાડો થાય છે. બીજી તરફ, નકામી કે નકારાત્મક વસ્તુઓ આર્થિક અસ્થિરતાનું કારણ બની શકે છે.

પર્સ માત્ર રૂપિયા રાખવાનું સાધન નથી પરંતુ તે વ્યક્તિની આર્થિક ઊર્જા સાથે પણ જોડાયેલું હોય છે. જ્યોતિષાચાર્યોના મતે, જો પર્સમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહે તો 'ધન આગમન'ના દ્વાર ખુલે છે અને ખોટા ખર્ચમાં ઘટાડો થાય છે. બીજી તરફ, નકામી કે નકારાત્મક વસ્તુઓ આર્થિક અસ્થિરતાનું કારણ બની શકે છે.

1 / 5
ધાર્મિક માન્યતાઓ અનુસાર, પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આવી સ્થિતિમાં પર્સમાં પીપળાનું પાન રાખવું શુભ માનવામાં આવે છે. આ માટે એક તાજું, સ્વચ્છ અને ક્યાંયથી ફાટેલું ન હોય તેવું પીપળાનું પાન લઈને તેને ગંગાજળથી શુદ્ધ કરો. તેના પર કેસર અથવા ચંદનથી 'શ્રીં' (શ્રી) લખો અને પાનને સુકવીને પર્સમાં સાચવીને રાખી દો. આનાથી ધન આકર્ષિત થાય છે અને આર્થિક સ્થિરતા આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આવી સ્થિતિમાં પર્સમાં પીપળાનું પાન રાખવું શુભ માનવામાં આવે છે. આ માટે એક તાજું, સ્વચ્છ અને ક્યાંયથી ફાટેલું ન હોય તેવું પીપળાનું પાન લઈને તેને ગંગાજળથી શુદ્ધ કરો. તેના પર કેસર અથવા ચંદનથી 'શ્રીં' (શ્રી) લખો અને પાનને સુકવીને પર્સમાં સાચવીને રાખી દો. આનાથી ધન આકર્ષિત થાય છે અને આર્થિક સ્થિરતા આવે છે.

2 / 5
વાસ્તુમાં સફેદ કે પીળી કોડીને અત્યંત શુભ માનવામાં આવે છે. સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થઈ હોવાને કારણે તેને દેવી લક્ષ્મીની પ્રિય વસ્તુ ગણવામાં આવે છે. માન્યતા છે કે, લક્ષ્મીજીના ચરણોમાં સ્પર્શ કરાવીને કોડીને પર્સમાં રાખવાથી આર્થિક તંગી દૂર થાય છે અને નકારાત્મક ઊર્જાથી રક્ષણ મળે છે. જો કોડી ઉપલબ્ધ ન હોય તો લક્ષ્મી-ગણેશ અંકિત ચાંદીનો સિક્કો રાખવાથી પણ સમાન ફળ મળે છે.

વાસ્તુમાં સફેદ કે પીળી કોડીને અત્યંત શુભ માનવામાં આવે છે. સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થઈ હોવાને કારણે તેને દેવી લક્ષ્મીની પ્રિય વસ્તુ ગણવામાં આવે છે. માન્યતા છે કે, લક્ષ્મીજીના ચરણોમાં સ્પર્શ કરાવીને કોડીને પર્સમાં રાખવાથી આર્થિક તંગી દૂર થાય છે અને નકારાત્મક ઊર્જાથી રક્ષણ મળે છે. જો કોડી ઉપલબ્ધ ન હોય તો લક્ષ્મી-ગણેશ અંકિત ચાંદીનો સિક્કો રાખવાથી પણ સમાન ફળ મળે છે.

3 / 5
અક્ષત (અખંડ ચોખા) સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ચોખાના 21 દાણાને લાલ કપડા કે લાલ કાગળમાં બાંધીને પર્સમાં રાખવાથી ધન સંચયમાં મદદ મળતી હોવાની માન્યતા છે. ગોમતી ચક્ર પણ ધન વૃદ્ધિ અને દેવામાંથી રાહત અપાવનારું શુભ પ્રતીક મનાય છે. ગોમતી ચક્રની સાથે પર્સમાં નાનો 'ઓમ' સ્વાસ્તિક કે ગુરુનો ફોટો રાખવો પણ શુભ ગણાય છે.

અક્ષત (અખંડ ચોખા) સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ચોખાના 21 દાણાને લાલ કપડા કે લાલ કાગળમાં બાંધીને પર્સમાં રાખવાથી ધન સંચયમાં મદદ મળતી હોવાની માન્યતા છે. ગોમતી ચક્ર પણ ધન વૃદ્ધિ અને દેવામાંથી રાહત અપાવનારું શુભ પ્રતીક મનાય છે. ગોમતી ચક્રની સાથે પર્સમાં નાનો 'ઓમ' સ્વાસ્તિક કે ગુરુનો ફોટો રાખવો પણ શુભ ગણાય છે.

4 / 5
નિષ્ણાતોના મતે, પર્સમાં ફાટેલી નોટો, જૂના બિલ, નકામા કાગળ અને ઉધારની ચિઠ્ઠીઓ રાખવી જોઈએ નહીં. આવી વસ્તુઓ આર્થિક અવ્યવસ્થા અને નકારાત્મકતા વધારે છે. સ્વચ્છ અને વ્યવસ્થિત પર્સ પોઝિટિવ એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે. શ્રદ્ધા અને સકારાત્મક વિચાર સાથે કરવામાં આવેલા આ સરળ ઉપાયો આર્થિક સંતુલન અને સમૃદ્ધિ લાવવામાં મદદરૂપ માનવામાં આવે છે.

નિષ્ણાતોના મતે, પર્સમાં ફાટેલી નોટો, જૂના બિલ, નકામા કાગળ અને ઉધારની ચિઠ્ઠીઓ રાખવી જોઈએ નહીં. આવી વસ્તુઓ આર્થિક અવ્યવસ્થા અને નકારાત્મકતા વધારે છે. સ્વચ્છ અને વ્યવસ્થિત પર્સ પોઝિટિવ એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે. શ્રદ્ધા અને સકારાત્મક વિચાર સાથે કરવામાં આવેલા આ સરળ ઉપાયો આર્થિક સંતુલન અને સમૃદ્ધિ લાવવામાં મદદરૂપ માનવામાં આવે છે.

5 / 5

( નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રના આધારે છે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી.)

ઘરની આ જગ્યાઓ પર ભૂલથી પણ ના મુકશો મની પ્લાન્ટ, નહીં તો કંગાળ થઈ જશો, જાણો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
ગુજરાતમાં રેકોર્ડબ્રેક ગરમી, અનેક શહેરોમાં 44 ડિગ્રીને પાર તાપમાન
ગુજરાતમાં રેકોર્ડબ્રેક ગરમી, અનેક શહેરોમાં 44 ડિગ્રીને પાર તાપમાન
ગૃહિણીઓ મસાલાનો સ્ટોક કરતા પહેલા ચેતી જજો
ગૃહિણીઓ મસાલાનો સ્ટોક કરતા પહેલા ચેતી જજો
મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો, આધ્યાત્મિક ગુરુની મુલાકાત લેશો
મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો, આધ્યાત્મિક ગુરુની મુલાકાત લેશો
g clip-path="url(#clip0_868_265)">