ઘરના મુખ્ય દરવાજા પાસે અરીસો લગાવવો શુભ કે અશુભ? ચાલો જાણીએ
કેટલીકવાર ઘરનો દેખાવ વધારવા માટે કેટલીક વસ્તુઓ લગાવીને ઘરને સજાવામાં આવે છે. જે આખા ઘર માટે હાનિકારક હોઈ શકે છે. આમાં, સૌથી આકર્ષક લાગતો અરીસો છે. તમે ઘણા ઘરોના મુખ્ય પ્રવેશદ્વારની આસપાસ અરીસા લગાવેલો જોયા હશે, પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુ શાસ્ત્રમાં આમ કરવું યોગ્યા છે કે નહીં ચાલો જાણીએ .

આજકાલ, આકર્ષક દેખાવ બનાવવા માટે ઘરની અંદર અને બહાર વિવિધ સજાવટનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો ઘરના મુખ્ય દરવાજાની આસપાસ અરીસો લગાવવો શુભ છે કે નહીં ચાલો જાણીએ.

કેટલીકવાર ઘરનો દેખાવ વધારવા માટે કેટલીક વસ્તુઓ લગાવીને ઘરને સજાવામાં આવે છે. જે આખા ઘર માટે હાનિકારક હોઈ શકે છે. આમાં, સૌથી આકર્ષક લાગતો અરીસો છે. તમે ઘણા ઘરોના મુખ્ય પ્રવેશદ્વારની આસપાસ અરીસા લગાવેલો જોયા હશે, પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુ શાસ્ત્રમાં આમ કરવું યોગ્યા છે કે નહીં ચાલો જાણીએ .

દરવાજા પર કે દરવાજા પાસે અરીસો લગાવવાના શુભ અને અશુભ બન્ને પ્રભાવો છે. ત્યારે ચાલો જાણીએ કેવી રીતે અરીસો લગાવવો શુભ છે અને અશુભ

ઘણા જ્યોતિષો માને છે કે જો તમે મુખ્ય દરવાજા પર અરીસો લગાવો છો, તો તમારા ઘરને ક્યારે ખરાબ નજર નહીં લાગે. આ અરીસાની મદદથી, જો કોઈ નકારાત્મક ઊર્જા ખરાબ ઇરાદા સાથે તમારા ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે, તો તે ખરાબ ઊર્જા અરીસા સાથે અથડાયા પછી જતી રહે છે.

પણ વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે તમારા ઘરના મુખ્ય દરવાજા પર અરીસો મૂકવાથી તમારી પ્રગતિમાં અવરોધ આવે છે. આ સિવાય ઘરના મુખ્ય દરવાજાની આસપાસ અરીસો લગાવવાથી ઘરમાં ટૂંક સમયમાં આર્થિક મુશ્કેલીઓ આવશે. ગરીબી પ્રવર્તશે, અને તમારા પ્રયત્નો નિષ્ફળ જશે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ક્યારેય અરીસો ન મૂકવો જોઈએ. આનું કારણ એ છે કે અરીસો એક એવી વસ્તુ છે કે ઊર્જા તેને અથડાઈને પાછી જતી રહે છે. તેથી, જ્યારે તમે મુખ્ય પ્રવેશદ્વારની આસપાસ અરીસો લગાવો છો, ત્યારે નકારાત્મક ઉર્જા તો પાછી જતી રહે છે પણ આ સાથે સકારાત્મક ઊર્જા પણ ઘરમા પ્રવેશ કરતી નથી.

તમે ઘણા ઘરોમાં મુખ્ય દરવાજા પાસે કે દરવાજા પર જ અરીસા મૂકતા જોયા હશે. જ્યારે આ આકર્ષક દેખાઈ શકે છે, પણ તે ઘરમાં નુકસાન પણ પહોંચાડી શકે છે કારણ કે તે તમારા ઘરમાં વાસ્તુ દોષો લાવે છે અને અશાંતિ પેદા કરે છે.
ઘરમાં પારિજાતનો છોડ લગાવવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શુ કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
