Travel Tips : કચ્છના રાપરના સુપ્રસિદ્ધ મેળાની એક વખત જરુર મુલાકાત લો
કચ્છના રાપરના સુપ્રસિદ્ધ રવેચી મંદિરે મેળો ભરાય છે. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. પારપંરિક પહેરવેશ અને ભાતીગળ સંસ્કૃતિના દર્શન માટે ગુજરાત બહારથી પણ લોકો રવેચી મંદિરે ભરાતા મેળામાં આવે છે. તો ચાલો જાણીએ કેવી રીતે રવેચીના મેળામાં પહોંચશો.

દર વર્ષે ભાદરવા સુદ આઠમના રોજ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલા રવ ગામ નજીક રવેચી ધામ ખાતે રવેચી માતાનો ભવ્ય મેળો યોજાય છે.દેવીસર તળાવના કાંઠે ઘટાદાર વૃક્ષોની વચ્ચે આવેલું આ મંદિર અને તેનું પરિસર ખુબ જ રમણીય અને મનોહર છે.

રવેચીનો મેળો સાંસ્કૃતિક વિવિધતા અને ભક્તિનું સંગમ છે. લોકવાયકા મુજબ, આ પ્રાચીન મંદિરનું નિર્માણ મહાભારતકાળમાં પાંડવો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેળામાં આહીર, રબારી, ચારણ તેમજ અન્ય ઘણા સમુદાયના લોકો પણ રવેચી મેળામાં ભાગ લે છે.

બધા શ્રદ્ધાળુઓ માતાજીના સાનિધ્યમાં ભજન, કીર્તન અને ગરબા કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. મંદિરની એક વિશેષતા અહીં પ્રજ્વલિત રહેતી શુદ્ધ ઘીની અખંડ જ્યોત છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર છે.

રવેચી મેળો, ભક્તિ અને પરંપરાની જીવંત અભિવ્યક્તિ. દેવી રવેચીને સમર્પિત, આ મેળો પવિત્ર મંદિરની નજીક યોજાય છે જ્યાં અખંડ જ્યોત હજુ પણ તેનો પવિત્ર પ્રકાશ ફેલાવે છે.

રવેચીનો મેળોની દરેક ક્ષણ કચ્છના આધ્યાત્મિક સાર અને સાંસ્કૃતિક સમૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે.

કચ્છ એ એવુ સ્થળ છે જ્યાં દરેક લોકોને મેળાઓ અને તહેવારો સાથે આનંદમાં માણે છે.તમામ સમુદાયો પોતાના પરંપરાગત પહેરવેશમાં આવે આવે છે અને ખુશીથી મેળાનો આનંદ માણે છે.

રાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું છે, જે રાપર તાલુકાનું વડુ મથક છે. જો તમે પણ આ મેળામાં જવાનો પ્લાન કરી રહ્યા છો. તો તમારે ભૂજ અહીંથી 140 કિ.મી. પશ્ચિમમાં આવેલું છે. તમે પ્રાઈવેટ કાર કે પછી લોકલ વાહન દ્વારા મેળાની મુલાકાત લઈ શકો છો. (photo : gujarta tourisam)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
