Travel Tips : જેવર એરપોર્ટથી નજીક આવેલા છે આ ફરવા લાયક સ્થળો, માતા-પિતાને ફર્સ્ટ ઈન્ટરનેશલ એરપોર્ટની ટિકિટ બુક કરાવી લઈ જાવ ફરવા
જેવર એરપોર્ટનું પહેલા તબક્કાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.આ એરપોર્ટનો 3900 કિલોમીટર લાંબો રનવે છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યું હતુ. આ એરપોર્ટ ગ્રેટર નોઈડાની પાસે છે અને અંદાજે દિલ્હીથી 80 કિલોમીટર દુર છે. તો ચાલો જેવર ઈન્ટરનેશલ એરપોર્ટ નજીક ફરવા લાયક ક્યા ક્યા સ્થળો આવેલા છે.

જેવરમાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ દેશનું સૌથી મોટું અને આધુનિક એરપોર્ટ છે. શરુઆતના ફેઝમાં જેવર એરપોર્ટને અંદાજે 10 શહેરો સાથે જોડવામાં આવશે. જ્યાંથી મુસાફરોની ડિમાન્ડ આવવાની વધારે રહે છે. પહેલા તબક્કામાં બિઝનેસ રુટ તેમજ મુખ્ય શહેરોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

એરલાઇન્સ ધીમે ધીમે વિવિધ શહેરો માટે તેમનું સંપૂર્ણ શેડ્યુલ અને બુકિંગ લિંક્સ તબક્કાવાર રીતે જાહેર કરશે.તો આ પહેલા જાણી લો આ એરપોર્ટની નજીક ક્યા ક્યા ફરવા લાયક સ્થળો આવેલા છે. અહી તમે જવાનો પ્લાન બનાવી શકો છે. અંદાજે 200 કિલોમીટરની અંદર આ સુંદર ફરવા લાયક સ્થળો આવેલા છે.

જો તમે દુનિયાભરમાં પ્રેમનું પ્રતિક તરીકે ઓળખાતા તાજ મહેલ જોવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો જેવર એરપોર્ટથી અંદાજે 139 કિલોમીટર દુર આગરા આવેલું છે. તમે યમુના એક્સપ્રેસ વેથી તમે પરિવાર સાથે એક દિવસમાં જ તાજમહેલ જોઈ ઘરે પરત ફરી શકો છો.

જો તમારે માતા-પિતાને મથુરા -વૃંદાવનની આધ્યાત્મિક યાત્રા કરાવવી છે. તો તમે મથુરા અને વૃંદાવન તમારા માતા -પિતાને લઈ જઈ શકો છો. કારણ કે પહેલા ટ્રેનમાં લાંબી મુસાફરી કરી મથુરા જવું મુશ્કેલીભર્યું હતુ. પરંતુ હવે જેવર એરપોર્ટથી વૃંદાવન અંદાજે 87 કિલોમીટર દુર આવેલું છે અને દોઢ કલાકમાં તમે મથુરા પહોંચી શકો છે. આ સાથે તમારા માતા-પિતાને પણ થાક ઓછો લાગશે.

અલીગઢ પીતલ નગરી અને ઐતિહાસિક ધરોહર માટે ફેમસ છે. જેવર એરપોર્ટથી અંદાજે 24-25 કિલોમીટર દુર આવેલું છે. અહી તમે અલીગઢ, શેખા પક્ષી અભયારણ, તીર્થધામ મંગલાયતન, જામા મસ્જિદ,ખેરેગ્શ્વેર મંદિર ફરવાનો પ્લાન બનાવી શકો છો. તમે આરમદાયક ટ્રિપ કરી શકો છો.

જો તમે એન્ડવેન્ચરના શોખીન છો. તો ઋષિકેશ બેસ્ટ ઓપ્શન છે. જેવર એરપોર્ટથી ઋષિકેશ 290 કિલોમીટર દુર આવેલું છે. અહી તમે ગંગા આરતી, રાફ્ટિંગની મજા માણી શકો છો. તેમજ શાંત વાતાવરણ અને નદી કિનારે સુંદર નજારો તમારી ટ્રીપ યાદગાર બનાવશે. (all photo : PTI)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
