17 જુલાઈના મહત્વના સમાચાર : કચ્છના સિરક્રીકમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ, સુરક્ષા એજન્સીઓએ શરૂ કરી તપાસ
Gujarat Live Updates આજ 17 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
LIVE NEWS & UPDATES
-
કચ્છના સિરક્રીકમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ, સુરક્ષા એજન્સીઓએ શરૂ કરી તપાસ
કચ્છના સીરક્રિકમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ. BSF પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી. કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની. પાકિસ્તાની બોટ અંગે સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. બોટનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવ્યો હતો. બોટમાં કોઈ શંકાસ્પદ સામગ્રી કે વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે.
-
સુરતના નાસિરનગર ડિમોલિશનના અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા SMCની દોડધામ
સુરત શહેરમાં નાસિર નગર કથિત ડીમોલેશન મામલે હવે એસએમસીએ દોડધામ મચાવી દીધી છે. હાઈકોર્ટે આ ડિમોલીશન સામે આકરુ વલણ દાખવવાનો રૂખ અપનાવતા, સુરત મહાનગરપાલિકાએ ડિમોલીશનથી અસરગ્રસ્ત થયેલા પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની તૈયારી શરૂ કરી છે. જેના ભાગરૂપે SMC દ્વારા ખાલી આવાસોનો સર્વે કરવામાં આવ્યો છે. ગોટાલાવાડીમાં 130 અલથાણ આવાસમાં 260 ઘર ખાલી હોવાનું સરવેમા સામે આવ્યું છે. હાઇકોર્ટના કડક વલણ બાદ કાર્યવાહી કરાઈ છે. આગામી 20મી જુલાઈએ હાઇકોર્ટમાં છે વધુ સુનાવણી.
-
-
દાહોદના અનવરપુરા ગામે મહિલાએ, બે માસૂમ બાળકીઓ સાથે કૂવો પૂર્યો
દાહોદના અનવરપુરા ગામે મહિલા બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં કૂદી. 23 વર્ષીય સુનીતા કલારા પોતાની બે બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું. પ્રાચી (ઉંમર 3 વર્ષ) અને વંશી (ઉંમર દોઢ વર્ષ) સાથે કૂવામાં કુદી. ઘટનાની જાણ થતાં ઝાલોદ પોલીસ અને ફાયર બ્રિગેડની ઘટનાસ્થળે પહોંચી. શોધખોળ કરતાં સુનીતા અને પ્રાચીનો મૃતદેહ મળી આવ્યો. સમગ્ર મામલો પોલીસ અને ફાયરબ્રિગેડે વધુ તપાસ હાથ ધરી.
-
નવસારી સહિત જિલ્લામાં વરસ્યો વરસાદ
નવસારી સહિત જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. વરસાદ વરસતા ડાંગર પાકને મળ્યું જીવન દાન.
-
વિશેષ આરતી અને નજર ઉતારવાની વિધિ બાદ જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીને નિજ મંદિરમાં કરાશે બિરાજમાન
ભગવાન જગન્નાથજી આજે નિજ મંદિરમાં બિરાજમાન થશે. 149મી રથયાત્રા બાદ આજે પૂર્ણ થશે પવિત્ર પરંપરા. જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનું થશે નિજ મંદિરમાં આગમન. વિશેષ આરતી અને નજર ઉતારવાની વિધિ બાદ થશે પ્રવેશ. જયઘોષ વચ્ચે ભગવાનને નિજ મંદિરમાં પધરાવાશે. મંદિર પરિસરમાં ભક્તોનું ઉમટશે ઘોડાપૂર. વર્ષો જૂની પરંપરાનું આજે થશે પાલન. નગરયાત્રા પૂર્ણ કરી ભગવાન પરત ફરશે પોતાના ધામે. ધાર્મિક માહોલ વચ્ચે યોજાશે વિશેષ વિધિઓ. હરિભક્તોમાં જોવા મળી રહ્યો છે ભારે ઉત્સાહ. મંદિરમાં દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ. જય રણછોડ… માખણચોરના ગગનભેદી નારાથી ગુંજશે મંદિર પરિસર. ભગવાનના નિજ મંદિરમાં આગમનના દર્શનને લઈ ભક્તોમાં આતુરતા. 149મી રથયાત્રા મહોત્સવનો આજે થશે ધાર્મિક સમાપન પ્રસંગ. જગન્નાથ મંદિરમાં આજે ભક્તિમય વાતાવરણ વચ્ચે પૂર્ણ થશે પરંપરા.
-
-
વરસાદ ખેંચાતા વડોદરામાં પીવાના પાણી માટે સર્જાશે મુશ્કેલી
વડોદરા શહેરને પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં, હવે માત્ર 20 દિવસ જ ચાલે તેટલું જ પાણી રહ્યું છે. જો વરસાદ હજુ પણ ખેચાય તો ફરી પાલિકાએ નર્મદાનું પાણી ખરીદવું પડશે. અગાઉ લેવાયેલા નર્મદાના પાણીથી સપાટી 207.85 ફૂટ પર પહોંચી છે. આટલું પાણી 20 દિવસ સુધી જ ચાલી શકશે. અત્યાર સુધી વડોદરામાં 8 ઇચ જેટલો જ વરસાદ વરસ્યો છે.
આજે 17 જુલાઈને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Jul 17,2026 9:13 AM

