AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ છે ભારતના સૌથી ભયાનક રસ્તાઓ, જ્યાં દિવસે જતા પણ ડરે છે લોકો!

Indian Haunted Roads: ભારતમાં એવા ઘણા રસ્તાઓ છે, જે ભૂતિયા સ્થળો તરીકે ઓળખાય છે અને લોકો માને છે કે ત્યાં આત્માઓ રહે છે. જો કે આ અંગે કોઈની પાસે કોઈ સાબિતી નથી, પરંતુ લોકો હજુ પણ આને સાચું માને છે અને દિવસ દરમિયાન પણ જવાથી ડરે છે. ચાલો જાણીએ આવા ભૂતિયા રસ્તાઓ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2022 | 8:40 PM
Share
ભાનગઢ કિલ્લાને ભારતની સૌથી ભૂતિયા જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે. કહેવાય છે કે આ કારણથી દિલ્હી-જયપુર હાઈવેને પણ શ્રાપિત માનવામાં આવે છે. ઘણા લોકો માને છે કે આ રસ્તા પર ઘણી ભયાનક ઘટનાઓનો સામનો કરવો પડે છે, જેનો ખુલાસો કરી શકાતો નથી. તેઓ કહે છે કે જ્યારે તમે કિલ્લાની નજીકથી પસાર થાઓ છો, ત્યારે તમને કેટલીક નકારાત્મક ઉર્જા અને વિચિત્ર વસ્તુઓનો અનુભવ થાય છે.

ભાનગઢ કિલ્લાને ભારતની સૌથી ભૂતિયા જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે. કહેવાય છે કે આ કારણથી દિલ્હી-જયપુર હાઈવેને પણ શ્રાપિત માનવામાં આવે છે. ઘણા લોકો માને છે કે આ રસ્તા પર ઘણી ભયાનક ઘટનાઓનો સામનો કરવો પડે છે, જેનો ખુલાસો કરી શકાતો નથી. તેઓ કહે છે કે જ્યારે તમે કિલ્લાની નજીકથી પસાર થાઓ છો, ત્યારે તમને કેટલીક નકારાત્મક ઉર્જા અને વિચિત્ર વસ્તુઓનો અનુભવ થાય છે.

1 / 5
તમિલનાડુના સત્યમંગલમ વન્યજીવ અભયારણ્યમાંથી પસાર થતા હાઈવેને પણ લોકો ભૂતિયા રસ્તો માને છે અને તેઓ કહે છે કે તે એકદમ ડરામણો રસ્તો છે. લોકોનું કહેવું છે કે ઘણી વખત તેઓએ શેરીઓમાંથી પસાર થતી વખતે અજાણ્યા લોકોનો અવાજ સાંભળ્યો અને પ્રકાશ પણ જોયો. જો કે હજુ સુધી આ વાતનો કોઈ પુરાવો મળ્યો નથી. કહેવાય છે કે આ જંગલમાં લૂંટારુ વીરપ્પન પણ રહેતો હતો, જેને પોલીસે પાછળથી મારી નાખ્યો હતો.

તમિલનાડુના સત્યમંગલમ વન્યજીવ અભયારણ્યમાંથી પસાર થતા હાઈવેને પણ લોકો ભૂતિયા રસ્તો માને છે અને તેઓ કહે છે કે તે એકદમ ડરામણો રસ્તો છે. લોકોનું કહેવું છે કે ઘણી વખત તેઓએ શેરીઓમાંથી પસાર થતી વખતે અજાણ્યા લોકોનો અવાજ સાંભળ્યો અને પ્રકાશ પણ જોયો. જો કે હજુ સુધી આ વાતનો કોઈ પુરાવો મળ્યો નથી. કહેવાય છે કે આ જંગલમાં લૂંટારુ વીરપ્પન પણ રહેતો હતો, જેને પોલીસે પાછળથી મારી નાખ્યો હતો.

2 / 5
દિલ્હીના કેન્ટ રોડને લોકો ભૂતિયા કહે છે અને અહીંથી મુસાફરી કરતા લોકોનો દાવો છે કે સફેદ સાડીવાળી મહિલાનું ભૂત આ રોડ પર ફરે છે. કહેવાય છે કે આ રસ્તા પર ચાલતી એક મહિલા લિફ્ટ માંગે છે અને કાર રોકતી નથી, પરંતુ કારની સાથે દોડવા લાગે છે અને તેને હેરાન કરે છે. જો કે, આ અંગે કોઈ પુરાવા નથી.

દિલ્હીના કેન્ટ રોડને લોકો ભૂતિયા કહે છે અને અહીંથી મુસાફરી કરતા લોકોનો દાવો છે કે સફેદ સાડીવાળી મહિલાનું ભૂત આ રોડ પર ફરે છે. કહેવાય છે કે આ રસ્તા પર ચાલતી એક મહિલા લિફ્ટ માંગે છે અને કાર રોકતી નથી, પરંતુ કારની સાથે દોડવા લાગે છે અને તેને હેરાન કરે છે. જો કે, આ અંગે કોઈ પુરાવા નથી.

3 / 5
ઝારખંડની રાજધાની રાંચી અને જમશેદપુરને જોડતા નેશનલ હાઈવે-33 પર એવા ઘણા અકસ્માતો થાય છે જેને જોઈને આશ્વર્ય થાય.  લોકો આ વિશે કહે છે કે ભૂત આવું કરી રહ્યું છે તો કેટલાક લોકો માને છે કે આ રસ્તો શ્રાપિત છે. આ હાઈવેની બંને બાજુએ મંદિર છે અને એવું માનવામાં આવે છે કે જો કોઈ વાહન ચાલક બંને મંદિરોમાં રોકાઈને પ્રાર્થના ન કરે તો તેનું વાહન અકસ્માતનો ભોગ બને છે.

ઝારખંડની રાજધાની રાંચી અને જમશેદપુરને જોડતા નેશનલ હાઈવે-33 પર એવા ઘણા અકસ્માતો થાય છે જેને જોઈને આશ્વર્ય થાય. લોકો આ વિશે કહે છે કે ભૂત આવું કરી રહ્યું છે તો કેટલાક લોકો માને છે કે આ રસ્તો શ્રાપિત છે. આ હાઈવેની બંને બાજુએ મંદિર છે અને એવું માનવામાં આવે છે કે જો કોઈ વાહન ચાલક બંને મંદિરોમાં રોકાઈને પ્રાર્થના ન કરે તો તેનું વાહન અકસ્માતનો ભોગ બને છે.

4 / 5
આ છે મુંબઈ-ગોવા હાઈવે પર આવેલા કશેડી ઘાટ, જેને લોકો ભૂતિયા રસ્તો માને છે. લોકોનું માનવું છે કે તેની સુંદરતા માટે પ્રખ્યાત આ જગ્યા રાત્રે ડરામણી બની જાય છે. રાત્રિના સમયે અહીંથી પસાર થતા વાહનોને એક મહિલા રોકે છે અને જે ડ્રાઈવર કારને રોક્યા વગર જ જવાનો પ્રયાસ કરે છે, તે અકસ્માતનો ભોગ બને છે.

આ છે મુંબઈ-ગોવા હાઈવે પર આવેલા કશેડી ઘાટ, જેને લોકો ભૂતિયા રસ્તો માને છે. લોકોનું માનવું છે કે તેની સુંદરતા માટે પ્રખ્યાત આ જગ્યા રાત્રે ડરામણી બની જાય છે. રાત્રિના સમયે અહીંથી પસાર થતા વાહનોને એક મહિલા રોકે છે અને જે ડ્રાઈવર કારને રોક્યા વગર જ જવાનો પ્રયાસ કરે છે, તે અકસ્માતનો ભોગ બને છે.

5 / 5
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
g clip-path="url(#clip0_868_265)">