સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કષ્ટભંજન દેવ દાદાને કરાયો ફુલોનો દિવ્ય શણગાર, જુઓ મનમોહન તસવીરો
સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી રવિવારના રોજ ધરાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ભક્તોએ શણગાર આરતી સાથે દિવ્ય વાઘાનો શણગારના દર્શનનો લાભ લીધો હતો.

સાળંગપુર મંદિર ખાતે સિંહાસનને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. સાથે દાદાને પણ દિવ્ય સણગાર કરવામાં આવ્યો હતો. જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

સાળંગપુર ખાતે નિલકંઠ મહાદેવ મંદિરથી શોભાયાત્રા નાસીક ઢોલની સાથે વાજતે ગાજતે મંદિરમાં પહોચી હતી ત્યારબાદ શ્રી કષ્ટભંજનદેવ દાદાનું ભવ્યાતિભવ્ય રાજોપચાર પૂજન પવિત્ર બ્રાહ્મણો દ્વારા વેદોક્ત વિધિ સાથે સંતો દ્વારા કરવામાં આવ્યું હતું.

દાદાને ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ અને પુષ્પવર્ષા કરવામાં આવેલ,વાંસળી,સિતાર,ઢોલ,તબલા વગેરે સંગીત વાદ્યોની સાથે સમગ્ર મંદિરનું વતાવરણ રમણીય બની ગયું હતું.

પૂજન -અર્ચન-અભિષેક બાદ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા 6:45 કલાકે રાજોપચાર પૂજનની મહાઆરતી કરવામાં આવી હતી સાથો સાથ યજમાનશ્રીને રૂડા આશીર્વાદ આપ્યા હતા.

મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.દાદાના ભક્તોએ આ અનેરા દર્શનનૉ પ્રત્યક્ષ તેમજ દેશ-વિદેશમાં વસતા દાદાના તમામ ભક્તજનોએ ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.