Railway : માલગાડીના ડબ્બામાં કિનારે પૈડા કેમ લગાવામાં આવે? કારણ સાંભળીને તમને નવાઈ લાગશે
માલગાડીના ડબ્બા પર પૈડા આકારનું સાધન લગાવવામાં આવે છે. તે શું છે અને તે માલગાડીના ડબ્બા પર શા માટે લગાવવામાં આવે છે? આજે અમે તમને તેના વિશે જણાવીશું.

જ્યારે આપણે રેલવે સ્ટેશન હોઈએ ત્યારે ત્યાંથી પસાર થતી અનેક ટ્રેન જોતા હોઈએ છીએ. ટ્રેનને જોયા બાદ મનમાં અનેક સવાલ આવે છે કે, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને આવે છે. કેટલાક સવાલ ટ્રેનના ડબ્બાને લઈને આવે છે. ટ્રેનના ડબ્બાના કોચ, બોર્ડ,નંબર પૈડાની સાઈઝ, કિંત વગેરેના સવાલો થતા હોય છે.

પરંતુ આજે આપણે કોઈ પેસેન્જર કે, એક્સપ્રેસ ટ્રેન વિશે નહી પરંતુ માલગાડી સાથે જોડાયેલ એક રોચક તથ્ય વિશે વાત કરીશું. શું તમે ક્યારે વિચાર્યું કે,માલગાડીના ડબ્બા પર પૈડા કેમ હોય છે.

માલગાડીના ડબ્બાની કિનારે લાગેલા પૈડાનો ખાસ ઉપયોગ થાય છે. જે હૈંડબ્રેક તરીકે કામ કરે છે. આ સ્ટીયરિંગ વ્હીલ જેવું લાગે છે પરંતુ તેનો ઉપયોગ ત્યારે કરવામાં આવે જ્યારે માલગાડી ઉભી હોય.જેથી તે આપમેળે આગળ પાછળ ન થાય.

તે કેવી રીતે કામ કરે છે. તો જ્યારે આ વ્હીલ (હેન્ડલ) ઘડિયાળની દિશામાં ફેરવવામાં આવે છે, ત્યારે તેની સાથે જોડાયેલ ચેઇન અને રોડ સિસ્ટમ વેગનના મુખ્ય વ્હીલ્સને ચુસ્તપણે લોક કરે છે.

તે શા માટે ઇન્સ્ટોલ કરવામાં આવે છે, જ્યારે કોઈ માલગાડીને સ્ટેશન અથવા લૂપ લાઇન પર લાંબા સમય સુધી રોકવી પડે છે, ત્યારે લોકો પાઇલટ અથવા ગાર્ડ તેનો ઉપયોગ ટ્રેનને સુરક્ષિત કરવા માટે કરે છે જેથી વેગન પલટી ન જાય અને અકસ્માત ન થાય.

સલામતી માટે જરુરી. તે ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ તરીકે કાર્ય કરે છે, જે ટ્રેનની સ્થિરતા સુનિશ્ચિત કરે છે. (all photo : PTI)
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો
