AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Rules: મુસાફરો ધ્યાન રાખજો! શું ટ્રેનમાં ફટાકડા લઈ જવાય? રેલવેનો આ નિયમ જાણી લેજો નહીં તો તમારી દિવાળી….

તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘરે મુસાફરી કરે છે અને મોટાભાગના લોકો મુસાફરી દરમિયાન ટ્રેન ટ્રાન્સપોર્ટેશનને અનુકૂળ માધ્યમ માને છે.

| Updated on: Oct 13, 2025 | 5:25 PM
Share
દિવાળી પહેલા બજારો ફરી એકવાર ધમધમતા બની ગયા છે. મીઠાઈઓ અને દીવાઓ ઉપરાંત ફટાકડાઓની માંગ પણ વધુ છે. તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘરે મુસાફરી કરે છે અને મોટાભાગના લોકો અવરજવર માટે ટ્રેન ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે છે.

દિવાળી પહેલા બજારો ફરી એકવાર ધમધમતા બની ગયા છે. મીઠાઈઓ અને દીવાઓ ઉપરાંત ફટાકડાઓની માંગ પણ વધુ છે. તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘરે મુસાફરી કરે છે અને મોટાભાગના લોકો અવરજવર માટે ટ્રેન ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે છે.

1 / 6
દિવાળી એ એક ખાસ તહેવાર છે. દિવાળી દરમિયાન લોકો ઘરે ફટાકડા, મીઠાઈઓ અને ડેકોરેટિવ આઇટમ્સ સાથે લઈ જવાનું વિચારે છે. એવામાં જો તમે તમારા સામાન સાથે ટ્રેનમાં મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારે રેલવેના નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

દિવાળી એ એક ખાસ તહેવાર છે. દિવાળી દરમિયાન લોકો ઘરે ફટાકડા, મીઠાઈઓ અને ડેકોરેટિવ આઇટમ્સ સાથે લઈ જવાનું વિચારે છે. એવામાં જો તમે તમારા સામાન સાથે ટ્રેનમાં મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારે રેલવેના નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

2 / 6
રેલવેના નિયમો અનુસાર, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કેટલીક વસ્તુઓ લઈ જવાની મનાઈ છે. આમાં ફટાકડા, રોકેટ અને સ્પાર્કલર જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ વિસ્ફોટક અને ખતરનાક હોય છે, જે જાનહાનિનું કારણ બની શકે છે.

રેલવેના નિયમો અનુસાર, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કેટલીક વસ્તુઓ લઈ જવાની મનાઈ છે. આમાં ફટાકડા, રોકેટ અને સ્પાર્કલર જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ વિસ્ફોટક અને ખતરનાક હોય છે, જે જાનહાનિનું કારણ બની શકે છે.

3 / 6
ભારતીય રેલવેના નિયમો અનુસાર, કોઈપણ મુસાફરને આવી વસ્તુઓ સાથે રાખીને મુસાફરી કરવાની પરવાનગી નથી. રેલવે 'પ્રતિબંધિત વસ્તુઓ' અંગે ખૂબ જ કડક છે. બીજું કે, પરિણામે સુરક્ષા દળો (Security Forces) સમયાંતરે ટ્રેનમાં અચાનક નિરીક્ષણ કરવા આવે છે.

ભારતીય રેલવેના નિયમો અનુસાર, કોઈપણ મુસાફરને આવી વસ્તુઓ સાથે રાખીને મુસાફરી કરવાની પરવાનગી નથી. રેલવે 'પ્રતિબંધિત વસ્તુઓ' અંગે ખૂબ જ કડક છે. બીજું કે, પરિણામે સુરક્ષા દળો (Security Forces) સમયાંતરે ટ્રેનમાં અચાનક નિરીક્ષણ કરવા આવે છે.

4 / 6
ખાસ કરીને દિવાળી અને નવા વર્ષ દરમિયાન, રેલવે સુરક્ષા વિભાગ કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે આ નિયમોનો કડક અમલ કરે છે. આ વચ્ચે જો કોઈ મુસાફર નિરીક્ષણ દરમિયાન ફટાકડા કે રોકેટ જેવી પ્રતિબંધિત વસ્તુઓ સાથે મળી આવે છે, તો કાયદા હેઠળ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.

ખાસ કરીને દિવાળી અને નવા વર્ષ દરમિયાન, રેલવે સુરક્ષા વિભાગ કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે આ નિયમોનો કડક અમલ કરે છે. આ વચ્ચે જો કોઈ મુસાફર નિરીક્ષણ દરમિયાન ફટાકડા કે રોકેટ જેવી પ્રતિબંધિત વસ્તુઓ સાથે મળી આવે છે, તો કાયદા હેઠળ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.

5 / 6
રેલવે કાયદાની કલમ 164 હેઠળ, મુસાફરને ₹1,000 દંડ, 3 વર્ષની જેલ અથવા તો બંને થઈ શકે છે. વાત એમ છે કે, ફટાકડા પ્રતિબંધિત વસ્તુ છે, તેથી ટ્રેનમાં ફટાકડા લઈ જતા મુસાફરો સજાને પાત્ર છે. આટલું જ નહીં, જો મુસાફર આ વસ્તુઓ સાથે મુસાફરી કરે છે અને કોઈ નુકસાન કે ઈજા થાય છે, તો મુસાફરને જવાબદાર ઠેરવવામાં આવી શકે છે.

રેલવે કાયદાની કલમ 164 હેઠળ, મુસાફરને ₹1,000 દંડ, 3 વર્ષની જેલ અથવા તો બંને થઈ શકે છે. વાત એમ છે કે, ફટાકડા પ્રતિબંધિત વસ્તુ છે, તેથી ટ્રેનમાં ફટાકડા લઈ જતા મુસાફરો સજાને પાત્ર છે. આટલું જ નહીં, જો મુસાફર આ વસ્તુઓ સાથે મુસાફરી કરે છે અને કોઈ નુકસાન કે ઈજા થાય છે, તો મુસાફરને જવાબદાર ઠેરવવામાં આવી શકે છે.

6 / 6

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">