AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PF ખાતું બંધ થઈ ગયું છે ? હવે ચિંતા છોડો, આ સરળ ઓનલાઇન સ્ટેપ્સથી પાછા મેળવો તમારા ‘ફસાયેલા પૈસા’

ઘણી વખત નોકરી બદલ્યા પછી કર્મચારીઓ પોતાના જૂના પ્રોવિડન્ટ ફંડ (EPF) ખાતા પર ધ્યાન આપવાનું ચૂકી જતા હોય છે. સમય જતાં આ બેદરકારીને કારણે ખાતું નિષ્ક્રિય (Inoperative) થઈ જાય છે. જો કે, જૂના નિષ્ક્રિય ખાતામાંથી પૈસા ઉપાડવા અથવા તેને વર્તમાન સક્રિય (Active) ખાતામાં ટ્રાન્સફર કરવા માટે કેટલાંક ઓનલાઇન સ્ટેપ્સને ફોલો કરવા જરૂરી છે.

| Updated on: May 22, 2026 | 4:26 PM
Share
ઘણી વખત જૂની કંપની છોડ્યા પછી લોકો પોતાના કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ખાતા પર ધ્યાન આપતા નથી, જેના કારણે તે ખાતું ધીમે-ધીમે ઇન-ઓપરેટિવ એટલે કે નિષ્ક્રિય થઈ જાય છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના નિયમો અનુસાર, આવા નિષ્ક્રિય પડેલા ખાતાને ફરીથી એક્સેસ કરવું અને તેમાં જમા થયેલી રકમને સુરક્ષિત રીતે ઉપાડવી અથવા નવી કંપનીમાં ટ્રાન્સફર કરવી ખૂબ જ સરળ છે.

ઘણી વખત જૂની કંપની છોડ્યા પછી લોકો પોતાના કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ખાતા પર ધ્યાન આપતા નથી, જેના કારણે તે ખાતું ધીમે-ધીમે ઇન-ઓપરેટિવ એટલે કે નિષ્ક્રિય થઈ જાય છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના નિયમો અનુસાર, આવા નિષ્ક્રિય પડેલા ખાતાને ફરીથી એક્સેસ કરવું અને તેમાં જમા થયેલી રકમને સુરક્ષિત રીતે ઉપાડવી અથવા નવી કંપનીમાં ટ્રાન્સફર કરવી ખૂબ જ સરળ છે.

1 / 8
EPFO ના નિયમો મુજબ, કોઈ સભ્યનું ખાતું ત્યારે નિષ્ક્રિય (In-Operative) જાહેર કરવામાં આવે છે, જ્યારે કર્મચારી નોકરી છોડી દે છે અને તેના ખાતામાં સતત 36 મહિના (3 વર્ષ) સુધી કોઈ નવું યોગદાન (કન્ટ્રીબ્યુશન) આપવામાં આવતું નથી. આ સિવાય, જો કોઈ સભ્ય કાયમી ધોરણે વિદેશમાં સ્થાયી થઈ જાય અથવા કોઈ સભ્યનું અકાળે અવસાન થાય અને તેના ફંડ પર કોઈ ક્લેમ કરવામાં ન આવે, ત્યારે પણ ખાતાને ઇન-ઓપરેટિવ કેટેગરીમાં મૂકી દેવામાં આવે છે.

EPFO ના નિયમો મુજબ, કોઈ સભ્યનું ખાતું ત્યારે નિષ્ક્રિય (In-Operative) જાહેર કરવામાં આવે છે, જ્યારે કર્મચારી નોકરી છોડી દે છે અને તેના ખાતામાં સતત 36 મહિના (3 વર્ષ) સુધી કોઈ નવું યોગદાન (કન્ટ્રીબ્યુશન) આપવામાં આવતું નથી. આ સિવાય, જો કોઈ સભ્ય કાયમી ધોરણે વિદેશમાં સ્થાયી થઈ જાય અથવા કોઈ સભ્યનું અકાળે અવસાન થાય અને તેના ફંડ પર કોઈ ક્લેમ કરવામાં ન આવે, ત્યારે પણ ખાતાને ઇન-ઓપરેટિવ કેટેગરીમાં મૂકી દેવામાં આવે છે.

2 / 8
નાણાકીય વર્ષ 2016-17 માં નિયમોમાં કરવામાં આવેલા ફેરફારો પછી હવે સભ્યની ઉંમર 58 વર્ષની થાય ત્યાં સુધી નિષ્ક્રિય ખાતાઓ પર પણ વાર્ષિક વ્યાજ મળતું રહે છે. આથી તમારી જમા મૂડી પૂરેપૂરી સુરક્ષિત છે અને તેના પર વ્યાજ ઉમેરાતું રહ્યું છે. જો કે, પોતાના જૂના નિષ્ક્રિય ખાતામાંથી પૈસા ઉપાડવા અથવા તેને પોતાના વર્તમાન સક્રિય (Active) ખાતામાં ટ્રાન્સફર કરવા માટે ઓનલાઇન સ્ટેપ્સને ફોલો કરી શકાય છે.

નાણાકીય વર્ષ 2016-17 માં નિયમોમાં કરવામાં આવેલા ફેરફારો પછી હવે સભ્યની ઉંમર 58 વર્ષની થાય ત્યાં સુધી નિષ્ક્રિય ખાતાઓ પર પણ વાર્ષિક વ્યાજ મળતું રહે છે. આથી તમારી જમા મૂડી પૂરેપૂરી સુરક્ષિત છે અને તેના પર વ્યાજ ઉમેરાતું રહ્યું છે. જો કે, પોતાના જૂના નિષ્ક્રિય ખાતામાંથી પૈસા ઉપાડવા અથવા તેને પોતાના વર્તમાન સક્રિય (Active) ખાતામાં ટ્રાન્સફર કરવા માટે ઓનલાઇન સ્ટેપ્સને ફોલો કરી શકાય છે.

3 / 8
પોતાના જૂના નિષ્ક્રિય ખાતામાંથી પૈસા ઉપાડવા અથવા તેને પોતાના વર્તમાન સક્રિય (Active) ખાતામાં ટ્રાન્સફર કરવા માટે ઓનલાઇન સ્ટેપ્સને ફોલો કરી શકાય છે. સૌથી પહેલાં તમને તમારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ની જરૂર પડશે. જો તમે તમારો જૂનો UAN ભૂલી ગયા છો, તો EPFO ના 'Unified Member Portal' પર જઈને "Know your UAN" વિકલ્પ પર ક્લિક કરો, જ્યાં આધાર સાથે લિંક હોય તેવો મોબાઇલ નંબર અને પાન/આધાર નંબર દાખલ કરીને તમે તે મેળવી શકો છો. લાંબા સમયથી બંધ પડેલા ખાતાને ફરીથી ચાલુ કરવા માટે કેવાયસી (KYC) હોવું સૌથી જરૂરી છે. તેના માટે સભ્ય પોર્ટલ પર લોગિન કરો અને Manage > KYC સેક્શનમાં જાઓ અને અહીં પોતાનો આધાર, પાન તેમજ ચાલુ બેંક ખાતાની વિગતો દાખલ કરો. આ વિગતો તમારા વર્તમાન અથવા અગાઉના એમ્પ્લોયર (નિયોક્તા) દ્વારા ડિજિટલ રીતે વેરિફાય (Approve) થવી જરૂરી છે.

પોતાના જૂના નિષ્ક્રિય ખાતામાંથી પૈસા ઉપાડવા અથવા તેને પોતાના વર્તમાન સક્રિય (Active) ખાતામાં ટ્રાન્સફર કરવા માટે ઓનલાઇન સ્ટેપ્સને ફોલો કરી શકાય છે. સૌથી પહેલાં તમને તમારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ની જરૂર પડશે. જો તમે તમારો જૂનો UAN ભૂલી ગયા છો, તો EPFO ના 'Unified Member Portal' પર જઈને "Know your UAN" વિકલ્પ પર ક્લિક કરો, જ્યાં આધાર સાથે લિંક હોય તેવો મોબાઇલ નંબર અને પાન/આધાર નંબર દાખલ કરીને તમે તે મેળવી શકો છો. લાંબા સમયથી બંધ પડેલા ખાતાને ફરીથી ચાલુ કરવા માટે કેવાયસી (KYC) હોવું સૌથી જરૂરી છે. તેના માટે સભ્ય પોર્ટલ પર લોગિન કરો અને Manage > KYC સેક્શનમાં જાઓ અને અહીં પોતાનો આધાર, પાન તેમજ ચાલુ બેંક ખાતાની વિગતો દાખલ કરો. આ વિગતો તમારા વર્તમાન અથવા અગાઉના એમ્પ્લોયર (નિયોક્તા) દ્વારા ડિજિટલ રીતે વેરિફાય (Approve) થવી જરૂરી છે.

4 / 8
જો તમે વર્તમાનમાં કોઈ નવી જગ્યાએ નોકરી કરી રહ્યા છો, તો જૂના નિષ્ક્રિય ખાતાના પૈસાને નવા ખાતામાં ટ્રાન્સફર કરવા સૌથી સમજદારીભર્યો નિર્ણય છે. આના માટે પોર્ટલ પર Online Services > One Member - One EPF Account (Transfer Request) વિકલ્પ પર જાઓ અને તમારા જૂના રોજગાર તેમજ PF ખાતાની વિગતો દાખલ કરો. ક્લેમને અટેસ્ટ કરવા માટે તમારા અગાઉના અથવા વર્તમાન એમ્પ્લોયરને પસંદ કરો અને Get OTP પર ક્લિક કરો. આધાર-લિંક્ડ મોબાઇલ પર આવેલા OTPને સબમિટ કરતાની સાથે જ ટ્રાન્સફર રિક્વેસ્ટ નોંધાઈ જશે. જો તમે હવે નોકરી નથી કરી રહ્યા અને પૂરેપૂરા પૈસા ઉપાડવા માંગો છો, તો પોર્ટલ પર Online Services > Claim (Form 31, 19, 10C & 10D) પર ક્લિક કરો અને તમારા બેંક ખાતાના છેલ્લા 4 આંકડા નાખીને તેને વેરિફાય કરો. ત્યારબાદ Proceed for Online Claim ને પસંદ કરો. ધ્યાન રાખો કે, જો તમારી કુલ નોકરી 5 વર્ષથી ઓછી રહી હોય, તો ટેક્સ (TDS) થી બચવા માટે Form 15G જરૂર અપલોડ કરો.

જો તમે વર્તમાનમાં કોઈ નવી જગ્યાએ નોકરી કરી રહ્યા છો, તો જૂના નિષ્ક્રિય ખાતાના પૈસાને નવા ખાતામાં ટ્રાન્સફર કરવા સૌથી સમજદારીભર્યો નિર્ણય છે. આના માટે પોર્ટલ પર Online Services > One Member - One EPF Account (Transfer Request) વિકલ્પ પર જાઓ અને તમારા જૂના રોજગાર તેમજ PF ખાતાની વિગતો દાખલ કરો. ક્લેમને અટેસ્ટ કરવા માટે તમારા અગાઉના અથવા વર્તમાન એમ્પ્લોયરને પસંદ કરો અને Get OTP પર ક્લિક કરો. આધાર-લિંક્ડ મોબાઇલ પર આવેલા OTPને સબમિટ કરતાની સાથે જ ટ્રાન્સફર રિક્વેસ્ટ નોંધાઈ જશે. જો તમે હવે નોકરી નથી કરી રહ્યા અને પૂરેપૂરા પૈસા ઉપાડવા માંગો છો, તો પોર્ટલ પર Online Services > Claim (Form 31, 19, 10C & 10D) પર ક્લિક કરો અને તમારા બેંક ખાતાના છેલ્લા 4 આંકડા નાખીને તેને વેરિફાય કરો. ત્યારબાદ Proceed for Online Claim ને પસંદ કરો. ધ્યાન રાખો કે, જો તમારી કુલ નોકરી 5 વર્ષથી ઓછી રહી હોય, તો ટેક્સ (TDS) થી બચવા માટે Form 15G જરૂર અપલોડ કરો.

5 / 8
જો તમારી જૂની કંપની બંધ થઈ ગઈ હોય અથવા એમ્પ્લોયર (નિયોક્તા) ક્લેમને ડિજિટલ સાઈન કરવામાં સહયોગ ન આપી રહ્યો હોય, તો આવી સ્થિતિમાં 'EPFO' સભ્યોને એક ખાસ છૂટ આપે છે. આના માટે તમે નીચે મુજબના પગલાં લઈ શકો છો.

જો તમારી જૂની કંપની બંધ થઈ ગઈ હોય અથવા એમ્પ્લોયર (નિયોક્તા) ક્લેમને ડિજિટલ સાઈન કરવામાં સહયોગ ન આપી રહ્યો હોય, તો આવી સ્થિતિમાં 'EPFO' સભ્યોને એક ખાસ છૂટ આપે છે. આના માટે તમે નીચે મુજબના પગલાં લઈ શકો છો.

6 / 8
બેંક અધિકારી દ્વારા અટેસ્ટેશન: તમે તમારા ક્લેમ ફોર્મ અને KYC ને કોઈ અધિકૃત બેંક અધિકારી (જ્યાં તમારું સક્રિય બેંક ખાતું હોય), ગેઝેટેડ ઓફિસર અથવા મેજિસ્ટ્રેટ પાસે અટેસ્ટ (પ્રમાણિત) કરાવીને સીધા ઈપીએફઓ (EPFO) ઓફિસમાં સબમિટ કરી શકો છો.

બેંક અધિકારી દ્વારા અટેસ્ટેશન: તમે તમારા ક્લેમ ફોર્મ અને KYC ને કોઈ અધિકૃત બેંક અધિકારી (જ્યાં તમારું સક્રિય બેંક ખાતું હોય), ગેઝેટેડ ઓફિસર અથવા મેજિસ્ટ્રેટ પાસે અટેસ્ટ (પ્રમાણિત) કરાવીને સીધા ઈપીએફઓ (EPFO) ઓફિસમાં સબમિટ કરી શકો છો.

7 / 8
EPFiGMS પોર્ટલ: કોઈપણ પ્રકારની ટેકનિકલ અડચણ અથવા સમસ્યા આવવા પર તમે EPFOના સત્તાવાર ફરિયાદ પોર્ટલ (epfigms.gov.in) પર જઈને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ પોર્ટલ પર નિષ્ક્રિય ખાતાઓને ટ્રેક કરવા માટે વિશેષ હેલ્પડેસ્ક મદદ કરે છે.

EPFiGMS પોર્ટલ: કોઈપણ પ્રકારની ટેકનિકલ અડચણ અથવા સમસ્યા આવવા પર તમે EPFOના સત્તાવાર ફરિયાદ પોર્ટલ (epfigms.gov.in) પર જઈને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ પોર્ટલ પર નિષ્ક્રિય ખાતાઓને ટ્રેક કરવા માટે વિશેષ હેલ્પડેસ્ક મદદ કરે છે.

8 / 8

EPFO: EPFOનું મોટું અપડેટ ! UPIથી PF ઉપાડવાની સુવિધા તૈયાર, રાહ ટૂંક સમયમાં થશે પૂરી

Follow Us
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
Breaking News : ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે
Breaking News : ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે
ઓફિસ વિવાદમાં જીત નક્કી, બિઝનેસમાં નફો અને આવકના નવા સ્રોત ખુલશે
ઓફિસ વિવાદમાં જીત નક્કી, બિઝનેસમાં નફો અને આવકના નવા સ્રોત ખુલશે
NEET પુનઃપરીક્ષા પહેલા પેપર લીકનું કૌભાંડ? યુવરાજસિંહનો મોટો દાવો
NEET પુનઃપરીક્ષા પહેલા પેપર લીકનું કૌભાંડ? યુવરાજસિંહનો મોટો દાવો
માંડવીમાં સ્વામીના નિવેદનથી બ્રહ્મ સમાજ નારાજ, ધારાસભ્યનો વળતો પ્રહાર
માંડવીમાં સ્વામીના નિવેદનથી બ્રહ્મ સમાજ નારાજ, ધારાસભ્યનો વળતો પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">