Stock Market : રોકાણકારોમાં ગજબનો ક્રેઝ! કોન્ડોમ બનાવતી કંપની લાવી રહી છે ‘IPO’, ‘GMP’ 40 ટકા સુધી પહોંચ્યો
જો તમે IPO પર દાવ લગાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક કામના સમાચાર બહાર આવ્યા છે. શુક્રવાર, 22 ઓગસ્ટના રોજ એટલે કે આજે મેડિકેર કંપનીનો IPO રોકાણ માટે ખુલી ગયો છે.

કંપનીનો IPO ખુલી ગયો છે અને તેનું સબ્સ્ક્રિપ્શન 26 ઓગસ્ટે બંધ થશે. આ પછી શેર એલોટમેન્ટ 28 ઓગસ્ટ 2025 ના રોજ થશે. IPO ની લિસ્ટિંગ ડેટ 1 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. ગ્રે માર્કેટ ₹58 ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આનો અર્થ એ થયો કે, આ સ્ટોક લિસ્ટિંગ પર 40 ટકા સુધીનો નફો આપી શકે છે.

ઉત્તર પ્રદેશ સ્થિત આ કોન્ડોમ ઉત્પાદક કંપની છે, જેનું નામ 'Anondita Medicare' છે. અનોંદિતા મેડિકેર લિમિટેડ IPO એક બુક બિલ્ડ ઇશ્યૂ છે, જેની કુલ સાઇઝ રૂ. 69.50 કરોડ છે. આ ઇશ્યૂ સંપૂર્ણપણે ફ્રેશ છે, જેમાં 48 લાખ નવા શેર જારી કરવામાં આવ્યા છે. કંપનીના પ્રમોટર્સ અનુપમ ઘોષ, સોનિયા ઘોષ અને રેસંત ઘોષ છે.

આ IPO 22 ઓગસ્ટ 2025 ના રોજ એટલે કે આજે સબ્સ્ક્રિપ્શન માટે ખુલી ગયો છે અને 26 ઓગસ્ટ 2025 સુધી ખુલ્લો રહેશે. આ પછી, શેર એલોટમેન્ટ 28 ઓગસ્ટ 2025 ના રોજ કરવામાં આવશે. આ IPO 'NSE-SME' પ્લેટફોર્મ પર લિસ્ટ થશે અને લિસ્ટિંગ તારીખ 1 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે.

અનોંદિતા મેડિકેર IPO ની પ્રાઇસ બેન્ડ રૂ. 137 થી રૂ. 145 પ્રતિ શેર રાખવામાં આવી છે. આ ઇશ્યૂમાં લોટ સાઇઝ 1000 શેર હશે. રિટેલ રોકાણકાર માટે લઘુત્તમ રોકાણ રકમ રૂ. 2,74,000 છે, જેમાં 2000 શેરનો સમાવેશ થશે. HNI રોકાણકારોએ ઓછામાં ઓછા 3 લોટ એટલે કે 3000 શેર માટે અરજી કરવાની રહેશે, જેની કુલ રકમ રૂ. 4,35,000 છે.

અનોંદિતા મેડિકેર IPOમાં કુલ 47,93,000 શેર ઓફર કરવામાં આવી રહ્યા છે. આમાંથી 2,70,000 શેર 'માર્કેટ મેકર' માટે અનામત રાખવામાં આવ્યા છે. 22,56,000 શેર 'Qualified Institutional Buyer' (QIB) માટે ઉપલબ્ધ રહેશે. 6,81,000 શેર નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII અથવા HNI) ને ફાળવવામાં આવ્યા છે. વધુમાં રિટેલ રોકાણકારો માટે 15,86,000 શેર ઓફર કરવામાં આવશે.

31 માર્ચ, 2024 અને 31 માર્ચ, 2025 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ દરમિયાન, અનોંદિતા મેડિકેર લિમિટેડની આવકમાં 66% અને કર પછીનો નફો (PAT) 327% વધ્યો. નાણાકીય વર્ષ 2025 માં, કંપનીની આવક રૂ. 77.13 કરોડ, EBITDA રૂ. 25.65 કરોડ અને કર પછીનો નફો રૂ. 16.42 કરોડ રહ્યો છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
