AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગર: પેથાપુર-રાંધેજા રોડની બાજુમાં આવેલી ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

ગાંધીનગરમાં પેથાપુર-રાંધેજા રોડની બાજુમાં આવેલી નડતરરૂપ દરગાહ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. મહાનગરપાલિકા દ્વારા અગાઉ આ જગ્યાના આધાર પૂરાવા રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જે બાદ આજે દરગાહ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2025 | 5:46 PM
Share

રાજ્યભરમાં ગેરકાયદે કરાયેલા દબાણો દૂર કરવાની કામગીરી અવિરતપણે ચાલુ છે. જેમા ગાંધીનગરમાં પેથાપુર-રાંધેજા રોડ ર આવેલી ગેરકાયદે દરગાહને પણ તોડી પાડવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા અગાઉ આ દરગાહની જમીનના આધાર પુરાવાઓ રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ સમય મર્યાદામાં જવાબ ન મળ્યા બાદ આજે વહેલી સવારે મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દરગાહને તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા દરગાહના સંચાલકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું હતું કે દરગાહ જે જમીન પર આવેલી છે તેના માલિકી અને કાયદેસર આધાર પુરાવા રજૂ કરવામાં આવે.  જો કે ચોક્કસ સમય મર્યાદામાં કોઈ પુરાવા રજૂ કરવામાં ન આવતા તંત્ર દ્વારા આજે વહેલી સવારે દરગાહને તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી.

મહાનગપાલિકાની દબાણ શાખા દ્વારા તોડી પડાઈ દરગાહ

મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ગેરકાયદે દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું. ભારે મશીનરીની મદદથી રોડની બાજુમાં આવેલું આ બાંધકામ દૂર કરવામાં આવ્યું. ડિમોલિશનમાં કોઈપણ પ્રકારની સ્થિતિ વણસે નહીં તેને ધ્યાને રાખી સઘન પોલીસ બંદોબસ્ત સાથે દરગાહ તોડવાની કામગીરી કરાઈ હતી. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. આ સાથે ફાયરના જવાનોને પણ તકેદારીના ભાગરૂપે હાજર રખાયા હતા.

રાજ્યભરમાં જ્યાં ક્યાંય પણ ગેરકાયદે દબાણ કરવામાં આવેલા છે તેના પર તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. તંત્રનું સ્પષ્ટ કહેવુ છે કે ગેરકાયદે દબાણ કરનારાઓ સામે કડક હાથે જ કામગીરી કરવામાં આવી રહી છે. સરકારી જમીન હોય કે જાહેર રસ્તા પર કરાયેલા દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. જેમા ધાર્મિક બાંધકામો પણ બાકાત નથી.

Input Credit- Himanshu Patel- Gandhinagar

અમેરિકાના ઐયાશ બિઝનેસમેન જેફરી એપસ્ટીનની ફાઈલમાં ટ્રમ્પના એવા તો શું કાળા કારનામા છુપાયેલા છે કે સાર્વજનિક થવા નથી દેતા- વાંચો

Follow Us
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
g clip-path="url(#clip0_868_265)">